Site icon News Continuous Bureau | Mumbai

‘અનુપમા’ના આવનારા એપિસોડમાં રસપ્રદ વળાંક : પારિતોષને લાફો કેમ મારે છે વનરાજ? પારિતોષ અને કિંજલ જતાં જોઈને અનુપમા રડવા લાગી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 13 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

 

ટીવી સિરિયલ ‘અનુપમા’નો લેટેસ્ટ ટ્રેક એકદમ રસપ્રદ બની ગયો છે. શોકમાં પારિતોષના વર્તનથી દરેકને આઘાત લાગે છે. પારિતોષ અત્યંત અસભ્ય વર્તન કરે છે અને આ કારણોસર વનરાજ પારિતોષને લાફો મારે છે. અહીં બા અને બાપુજી ઘર છોડવાની વાત કરે છે, જે અનુપમા અને વનરાજે સાંભળી લે છે. બા-બાપુજીને અનુપમા-વનરાજ મનાવવાનો પ્રયત્ન કરે છે. ઘણી સમજાવટ પછી બંને સંમત થઈ જાય છે અને કહે છે કે તેઓ ઘરમાં જ રહેશે, પરંતુ કોઈ બાબતમાં કંઈ કહેશે નહીં. આગામી એપિસોડમાં  બતાવવામાં આવશે કે વનરાજ અનુપમાને કહે છે કે પરિતોષ તેના દ્વારા ઉછેરવામાં આવ્યો હતો, પરંતુ તેણે વિચાર્યું ન હતું કે તે આટલો બદલાશે. વનરાજ કહે છે, મેં તેને આકાશ આપ્યું, પણ બા અને બાપુજી તેના શબ્દોથી દુખી છે અને ઘર છોડવા માગે છે. વનરાજ આ બધું કહીને રડવા લાગે છે અને આ જોઈને અનુપમા કહે છે કે આપણે કંઈક કરવું પડશે. વનરાજ કહે છે કે ન તો હું બાપુજીને જવા દઈ શકું કે ન પારિતોષને. અનુપમા તેને સમજાવે છે કે જેમ પાખી તેની સાથે ગુસ્સે થઈ હતી અને થોડા દિવસો પછી સ્વસ્થ થઈ ગઈ હતી, તેવી જ રીતે તોશુ થોડા દિવસો દૂર રહેશે અને તે બધું સમજી જશે. પારિતોષ અને કિંજલ જવા માટે તૈયાર થઈ જાય છે અને અનુપમા બંનેની આરતી ઉતારે છે. તેમને જતાં જોઈને અનુપમા ખૂબ રડવા લાગે છે. 

અભિષેક બચ્ચને પોતાનું ઍપાર્ટમેન્ટ વેચવું પડ્યું, જાણો શું હતું કારણ

Bollywood Intimate Scene Controversy ડાયરેક્ટર કટ બોલતા રહ્યા, છતાં કિસ કરતી રહી આ અભિનેત્રી; શૂટિંગ દરમિયાન મચી ગયો હતો ભારે હોબાળો
Deepika Padukone Raaka ડેડિકેશન હો તો એસા સપ્ટેમ્બરમાં ડિલિવરી છતાં પ્રેગ્નન્સીના આ આખરી દિવસોમાં પણ સેટ પર સક્રિય છે દીપિકા..
Madhuri Dixit TV Comeback ધકધક ગર્લનો નવો અંદાજ, ૨૪ વર્ષના લાંબા અંતરાલ બાદ નાના પડદે પરત ફરી રહી છે માધુરી દીક્ષિત, પૂછશે કરોડોના સવાલ
Director Shakeel Noorani Arrested બોલિવૂડના દિગ્દર્શક શકીલ નૂરાની જાતીય સતામણીના કેસમાં ધરપકડ, મુંબઈ પોલીસની મોટી કાર્યવાહી
Exit mobile version