Site icon

જાણો તે લેખક વિશે જેના વિના અમિતાભ બચ્ચન ક્યારેય બની શક્યા ન હોત શહેનશાહ-આ રીતે લખાયા હતા ફિલ્મના ક્લાઈમેક્સ ના ડાયલોગ

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ ફિલ્મ(Bollywood movie) 'શહેનશાહ'થી(Shehenshah) પીઢ અભિનેતા(veteran actor) અમિતાભ બચ્ચનને(Amitabh Bachchan) ફિલ્મ ઈન્ડસ્ટ્રીના(Film industry) શહેનશાહ કહેવામા આવ્યા. શહેનશાહનો બીજો અર્થ હવે અમિતાભ બચ્ચન કહેવાય છે. આ ફિલ્મને રિલીઝ થયાને 35 વર્ષ થઈ ગયા છે, પરંતુ તેના ડાયલોગ્સ આજે પણ લોકોને તેમના આદર્શ બનાવે છે. આમાંથી સૌથી પ્રખ્યાત ડાયલોગ 'રિશ્તે મેં તોહમ તુમ્હારે બાપ લગતે હૈ, નામ હૈ શહેનશાહ' છે. ફિલ્મના(Film Dialogue) આવા અનેક ડાયલોગ્સ છે, જેણે અમિતાભ બચ્ચનને ઈન્ડસ્ટ્રી અને ચાહકોમાં એક અલગ ઓળખ આપી. આ સંવાદો લખનાર સ્વર્ગસ્થ લેખક ઈન્દર રાજ આનંદ(Late writer Inder Raj Anand) હતા.

Join Our WhatsApp Community

બહુ ઓછા લોકો જાણે છે કે 'શહેનશાહ' દરમિયાન ઈન્દર રાજ આનંદની તબિયત બગડી હતી, ફિલ્મનો ક્લાઈમેક્સ શૂટ(Climax shoot) થાય તે પહેલા ઈન્દરનું મૃત્યુ થઈ ગયું હતું. એવું કહેવાય છે કે તેમના પુત્ર ટીનુ આનંદને ફિલ્મના ક્લાઈમેક્સની સ્ક્રિપ્ટ આપ્યાના એક દિવસ બાદ તેમનું અવસાન થયું હતું. ટીનુ આનંદ દ્વારા નિર્દેશિત ફિલ્મમાં, અમિતાભ બચ્ચને પોલીસ અધિકારી ઇન્સ્પેક્ટર વિજય શ્રીવાસ્તવની(Police Officer Inspector Vijay Srivastava) ભૂમિકા ભજવી હતી, જેણે પોતાની સાચી ઓળખ છતી કર્યા વિના 'શહેનશાહ' બનીને વિલનનો અંત કર્યો હતો.ફિલ્મ 'શહેનશાહ'માં મીનાક્ષી શેષાદ્રી(Meenakshi Seshadri,), પ્રાણ(Pran), કાદર ખાન(Kader Khan), અમરીશ પુરી(Amrish Puri) અને પ્રેમ ચોપરાએ(Prem Chopra) પણ કામ કર્યું હતું. ડાયરેક્ટર ટીનુ આનંદે એકવાર એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, જ્યારે હું હોસ્પિટલમાં ગયો ત્યારે મારી ફિલ્મ લગભગ ખતમ થવાના આરે હતી, જ્યારે ક્લાઈમેક્સના ડાયલોગ્સ પૂરા નહોતા. હુંચિંતિત હતો કારણ કે હું ઇચ્છતો હતો કે તે સંવાદના આખા 23 પાના ઝડપથી પૂર્ણ કરે. આ બધા સંવાદો અમિતાભ બચ્ચન કોર્ટમાં બોલવાના હતા. જે ફિલ્મ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતું.

આ સમાચાર પણ વાંચો : શું બીજી વખત લગ્ન કરશે હૃતિક રોશનની એક્સ વાઈફ સુઝેન ખાન- બોયફ્રેન્ડે પણ કહી દીધી આ વાત

ઇન્દર રાજ આનંદ દ્વારા હોસ્પિટલમાં તેના છેલ્લા દિવસોમાં ક્લાઇમેક્સ સીન કેવી રીતે લખવામાં આવ્યો તે વિશે વાત કરતાં ટીનુએ કહ્યું, "તેણે (ઇંદર) મારા ચહેરા પર તણાવ જોયો. પછી મને તેની બાજુમાં બોલાવ્યો, ઓક્સિજન માસ્ક પહેરાવ્યો, અને કહ્યું, 'ચિંતા ન કર દીકરા, હું તને છોડીશ નહીં. હું લોકોને એવું કહેવા નહીં દઉં કે એક પિતાએ તેના પુત્રને તેની ક્લાઈમેક્સ લખ્યા વિના છોડી દીધો, તમને વિશ્વાસ નહીં થાય કે છેલ્લા દિવસે ક્લાઈમેક્સ પૂરો કર્યા પછી તેણે અંતિમ શ્વાસ લીધા, તે હોસ્પિટલમાં મારા ક્રૂ મેમ્બર સાથે બેઠો હતો અને તેણે આખો ક્લાઈમેક્સ સીન લખ્યો હતો.

R. Madhavan: શું આર. માધવન પાસે છે વરસાદ લાવવાની શક્તિ? ‘ધુરંધર’ ના સેટ પર બની એવી ઘટના કે આખી યુનિટ આશ્ચર્યમાં મુકાઈ ગઈ
Rohit Shetty Security Update: રોહિત શેટ્ટીના સેટ પર ‘નો એન્ટ્રી’: ફાયરિંગની ઘટના બાદ સુરક્ષામાં ધરખમ વધારો, આર્ટિસ્ટોએ કરાવવું પડશે રજીસ્ટ્રેશન
KSBKBT 2 Spoiler: KSBKBT 2 માં મોટો ટ્વિસ્ટ: મિહિર વિરાણીનો જીવલેણ અકસ્માત!વિરાણી પરિવારના અસ્તિત્વને બચાવવા તુલસી બનશે બિઝનેસ વુમન
Dhurandhar: પાકિસ્તાનમાં પ્રતિબંધ છતાં ‘ધુરંધર’ નો દબદબો: નેટફ્લિક્સ પર નંબર 1 પર ટ્રેન્ડ કરી રહી છે ફિલ્મ, લોકો થયા આદિત્ય ધરના ફેન
Exit mobile version