Site icon News Continuous Bureau | Mumbai

થિયેટર પછી, જ્હોન અબ્રાહમની ફિલ્મ ‘સત્યમેવ જયતે 2’ આવશે ઓટીટી પ્લેટફોર્મ પર ; જાણો ક્યારે થશે રિલીઝ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 20 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

સોમવાર

બોલિવૂડ એક્ટર જોન અબ્રાહમની ફિલ્મ ‘સત્યમેવ જયતે 2’ ગયા મહિને સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. 25 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મે સારો બિઝનેસ કર્યો છે. જ્હોનની ફિલ્મ થિયેટરોમાં સલમાન ખાનની છેલ્લી ફિલ્મ સાથે સ્પર્ધા કરી હતી. હવે જ્હોને તેની ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે.’સત્યમેવ જયતે 2’ માં જ્હોન સાથે દિવ્યા ખોસલા કુમાર મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં જ્હોન ટ્રિપલ રોલમાં જોવા મળ્યો છે. હવે આ ફિલ્મ આવતા અઠવાડિયે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવા માટે તૈયાર છે.

જ્હોન અબ્રાહમની ફિલ્મ ‘સત્યમેવ જયતે ૨’ એમેઝોન પ્રાઇમ પર ૨૩ ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. ટી-સીરીઝે સત્યમેવ જયતે ૨નું પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કરીને આ જાણકારી આપી છે. પોસ્ટ શેર કરતાં તેણે લખ્યું- તમારા વીકએન્ડ એક્શન પેક બનાવવા માટે તૈયાર. અમે ૨૩મી ડિસેમ્બરે એમેઝોન પ્રાઇમ પર આવી રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે મહામારીને કારણે ઘણી ફિલ્મો સીધી OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી છે. ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મને થિયેટર કરતાં વધુ પહોંચ મળે છે. હવે 50 ટકા ક્ષમતા સાથે થિયેટરો ખુલી ગયા છે. ત્યારથી, નિર્માતાઓએ હવે થિયેટરોમાં ફિલ્મ રિલીઝ થયાના ચાર અઠવાડિયા પછી તેને OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનું શરૂ કર્યું છે.

‘સત્યમેવ જયતે 2’ ની વાત કરીએ તો આ ફિલ્મમાં જોન અબ્રાહમ ભ્રષ્ટાચાર સામે લડતો જોવા મળ્યો છે. તે દેશમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માંગે છે. જેમાં તેની પત્ની દિવ્યા ખોસલા કુમાર તેને સપોર્ટ કરે છે.સત્યમેવ જયતે ૨ ભૂષણ કુમાર, ક્રિષ્ન કુમાર, મોનિષા અડવાણી, મધુ ભોજવાણી, નિખિલ અડવાણી દ્વારા નિર્મિત છે અને મિલાપ ઝવેરી દ્વારા નિર્દેશિત છે. આ ફિલ્મમાં નોરા ફતેહીનું એક આઈટમ સોંગ પણ છે. જેનું નામ કુસુ-કુસુ છે. 

કરોડો ની સંપત્તિ નો માલિક છે જોન અબ્રાહમ, જાણો અભિનેતા ની નેટવર્થ વિશે

વર્કફ્રન્ટની વાત કરીએ તો જ્હોન અબ્રાહમ ટૂંક સમયમાં ફિલ્મ ‘એટેક’માં જાેવા મળવાનો છે. આ ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. હવે જ્હોનની ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે.

 

Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Kalki 2 Production Update બાહુબલી પછી હવે ‘કલ્કિ 2’નો જાદુ ચાલશે મેકર્સે કરી મોટી તૈયારી, ફિલ્મને લઈને સામે આવ્યું મોટું અપડેટ
Gaurang Vyas Passes Away અદભુત સૂરયાત્રા અટકી દિગ્ગજ સંગીતકાર ગૌરાંગ વ્યાસનું 87 વર્ષની વયે નિધન, 500થી વધુ રચનાઓ અમર છોડી ગયા
Exit mobile version