Site icon News Continuous Bureau | Mumbai

અક્ષય અને અમિતાભની ફિલ્મો થિયેટરમાં રિલીઝ થઈ, તો કંગના રનૌતની ફિલ્મ માટે થિયેટરોએ કેમ કર્યો ઇનકાર; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 4 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

શનિવાર

બૉલિવુડ અભિનેત્રી કંગના રાણાવતની ફિલ્મ 'થલાઇવી' રિલીઝ માટે તૈયાર છે, પરંતુ સિનેમાઘરોમાં ફિલ્મ રિલીઝ કરવામાં કેટલીક મુશ્કેલીઓ હોવાનું જણાય છે. હવે આ સમગ્ર મામલે કંગનાએ મલ્ટિપ્લેક્સ માલિકો માટે એક પોસ્ટ શૅર કરી છે. 

કંગનાએ લખ્યું : કૃપા કરીને આ મુશ્કેલ સમયમાં એકબીજાને સપોર્ટ કરો. સિનેમાઘરોમાં કોઈ ફિલ્મ રિલીઝ થઈ રહી નથી. એવી કેટલીક ફિલ્મો છે જે થિયેટરોમાં રિલીઝ થવાની સંભાવના ધરાવે છે. મારી ફિલ્મના નિર્માતા @vishnuinduriની જેમ @ashaileshrsingh ઘણું સમાધાન કરવાનું વિચારે છે અને થિયેટરોમાં ફિલ્મ રિલીઝ કરવાનું જોખમ લે છે. લોકોના સિનેમા પ્રત્યેના પ્રેમના કારણે જ આ શક્ય બન્યું છે. 

ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગ અને સૌરવ ગાંગુલી બાદ હવે આ બૉલિવુડ કલાકારો જોવા મળશે KBC 13ના શાનદાર શુક્રવારના એપિસોડમાં; જાણો વિગત

અહેવાલો અનુસાર મલ્ટિપ્લેક્સના માલિકો ફિલ્મ રિલીઝ કરવામાં ડરે છે, કારણ કે તે કોવિડ-19 પ્રોટોકોલને અનુસરી રહ્યા છે. અક્ષયકુમાર સ્ટારર 'બેલ બૉટમ' અને અમિતાભ બચ્ચનની 'ચેહરે' જેવી તાજેતરની થિયેટર રિલીઝ દરમિયાન પણ આ નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. જ્યારે 'થલાઇવી'ના નિર્માતાઓએ અગાઉ રોગચાળાની સ્થિતિને જોતાં પહેલાં ફિલ્મ OTT પર રજૂ કરવાનો નિર્ણય કર્યો હતો. બાદમાં તેમણે થિયેટર માલિકોની શરતો સ્વીકારી. આ ફિલ્મ 10 સપ્ટેમ્બરે રિલીઝ થવાની જાહેરાત પણ કરવામાં આવી છે અને ફિલ્મનું બુકિંગ ટૂંક સમયમાં શરૂ થશે. હાલમાં, COVID-19ના કડક નિયમોને કારણે દેશભરમાં સિનેમાઘરોને 50% પ્રેક્ષકો સાથે ચલાવવાની મંજૂરી છે.

Gupt BehindTheScenes। બોબી દેઓલે મનીષા કોઈરાલા સાથે લીધો હતો એવો અજીબ બદલો! ૨૯ વર્ષ પછી ખુલી પોલ; હસવું નહીં રોકી શકો
Historical Romance। રાજ કપૂર સાથે લગ્ન કરવા માટે નરગીસે લીધો હતો દેશના મોટા નેતાનો સહારો! એ કિસ્સો જે આજે પણ કોઈ નથી જાણતું
Suhana Khan on Colorism| ‘મારા રંગ પર કમેન્ટ કરનારાઓ સાંભળી લો…’ જ્યારે ટ્રોલ્સ સામે સિંહણની જેમ ગર્જી હતી શાહરૂખની દીકરી!
Shilpa Shinde Legal Trouble। શિલ્પા શિંદેની મુશ્કેલી વધી, પ્રોડ્યુસર પર ખોટા કેસની કબૂલાત બાદ ધરપકડની માંગ
Exit mobile version