સોનાક્ષી સિન્હા અને મલાઇકા અરોરા બાદ હવે અભિનેતા અર્જુન કપૂરે બાંદ્રામાં વૈભવી સ્કાય વિલા 20 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
અર્જુનનું આ નવું ઘર 25 મજલી ઈમારતમાં છે જેમાં કુલ 81 સ્કાયવિલા છે. આ સ્કાયવિલા 61 ઓરિયેટ નામના બિલ્ડિંગ પ્રોજેકટનો ભાગ છે.
આ આંતરરાષ્ટ્રીય સ્તરની ડિઝાઈન ધરાવતાં ટાવરમાં બાંદરા વરલી સીલિન્ક, અરબી સમુદ્ર અને મુંબઈની તારાઓથી ઝગમગતું ખુલ્લું આકાશ દેખાય છે. આ વિલામાં સ્વીમિંગ પુલ' અને મિની ગોલ્ફ એરિયા પણ છે.
મલાઇકા અરોરા સાથેના સંબંધને લીધે સતત ચર્ચામાં રહેતો અર્જુન હાલમાં ફિલ્મ સરદાર કા ગ્રાન્ડસનમાં જોવા મળ્યો હતો. તે આગામી ફિલ્મ ભૂતપોલીસમાં જોવા મળશે છે
