Site icon

નસરુદ્દીન શાહ નો બફાટ, કહ્યું મુઘલોએ ભારત ને ઘડ્યું છે. તેઓ આક્રાંતા નથી. હવે થયો વિવાદ. જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 30 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

નસીરુદ્દીન શાહ બોલિવૂડના એવા કલાકારોમાંથી એક છે જેઓ પોતાના અભિનયની સાથે-સાથે પોતાના નિવેદનોને કારણે ઘણી વાર ચર્ચામાં રહે છે. નસીરુદ્દીન શાહ અવારનવાર પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે હેડલાઇન્સમાં રહે છે. હાલમાં જ તેમણે  મુઘલો વિશે આવું નિવેદન આપ્યું હતું, જે બાદ સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચી ગયો છે.ધાર્મિક મુદ્દાઓ પર ઘણી વખત પોતાનો અભિપ્રાય રજૂ કરી ચૂકેલા નસીરુદ્દીને હવે મુસ્લિમો પર એક નિવેદન આપ્યું છે, જે ચર્ચામાં આવી ગયું છે. તેણે એક શો દરમિયાન 'મુઘલોને રાષ્ટ્ર નિર્માતા' કહ્યું, જે પછી સોશિયલ મીડિયા યુઝર્સ તેમની જબરદસ્ત ક્લાસ લઈ રહ્યા છે.

નસીરુદ્દીન શાહનો એક ઈન્ટરવ્યુ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં તે મુસ્લિમોની વાત કરી રહ્યા છે. એક મીડિયા હાઉસ ને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું, 'મુસલમાનોમાં ડર પેદા કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ મુસ્લિમો હાર નહીં માને. મુસ્લિમો તેનો સામનો કરશે કારણ કે આપણે આપણું ઘર બચાવવાનું છે, આપણે આપણી માતૃભૂમિને બચાવવાની છે, આપણે આપણા પરિવારને બચાવવાના છે, આપણે આપણા બાળકોને બચાવવાના છે.વાતચીત દરમિયાન તેમણે વિવાદાસ્પદ નિવેદન આપતાં કહ્યું, 'મુઘલોના કથિત અત્યાચારો સમય સમય પર પ્રકાશિત થાય છે. પરંતુ આપણે કેમ ભૂલીએ છીએ કે મુઘલો એ જ લોકો છે જેમણે આ દેશ માટે યોગદાન આપ્યું છે.તેઓ એવા લોકો છે જેમણે દેશમાં કાયમી સ્મારકો બનાવ્યા છે, જેમની સંસ્કૃતિમાં નૃત્ય, ગીત, ચિત્ર, સાહિત્ય છે. મુઘલો તેને પોતાનું વતન બનાવવા માટે અહીં આવ્યા હતા. મુઘલો, તમે ઇચ્છો તો તેમને શરણાર્થી કહી શકો.

નસીરુદ્દીન શાહનું આ નિવેદન હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે, જેના પર સોશિયલ મીડિયા યુઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે તસવીર દ્વારા જણાવવાનો પ્રયાસ કર્યો કે મુઘલોએ શું કર્યું. યુઝરે શરણાર્થી અને શરણદાતા વચ્ચેનો તફાવત દર્શાવ્યો છે.અન્ય એક યુઝરે લખ્યું- 'તેનો અર્થ માત્ર એક જ છે, પહેલા શરણાર્થી તરીકે આવો અને પછી જે લોકો મૂળ છે તેમને શરણાર્થી બનાવો. .'અન્ય એક યુઝરે લખ્યું, 'શરણાર્થી નહીં પણ પ્રવાસી  વધુ સારો શબ્દ હોત' 'ઇમારતો, સંસ્કૃતિ, નૃત્ય, સંગીત, સાહિત્ય મુઘલો નું નથી' તેઓ મુઘલો પહેલા જ ભારતમાં હતા… જો તેઓ બધા મુઘલોના છે… તો પછી તેઓ અફઘાનિસ્તાનમાં કેમ નથી.

આખરે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની દીકરી વામિકાનો ચહેરો આવ્યો સામે, તસ્વીર જોઈ લોકોએકહી આ વાત; જાણો વિગત, જુઓ ફોટો

તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે નસીરુદ્દીન શાહે વિવાદિત નિવેદન આપ્યું હોય. વિવાદાસ્પદ નિવેદનો સાથે તેમનો ઊંડો સંબંધ છે. થોડા મહિના પહેલા તેમણે અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજાને લઈને લોકોની પ્રતિક્રિયાઓ પર પોતાનો અભિપ્રાય આપ્યો હતો, ત્યારબાદ તેઓ ટ્રોલ થયા હતા. 

Kritika Kamra Gaurav Kapur Wedding: ટીવીની ‘આરોહી’ હવે અસલ જિંદગીમાં પરણશે! ૧૧ માર્ચે કૃતિકા કામરા અને ગૌરવ કપૂર ના લગ્ન; જાણો વેડિંગ સેલિબ્રેશનનો સંપૂર્ણ પ્લાન
Aishwarya Rai: વહેલી સવારે ૫ વાગ્યે એવું તો શું થયું કે એશ્વર્યા રાય રડમસ થઈ ગઈ? મણિ રત્નમની ફિલ્મનું શૂટિંગ જ્યારે એક્ટ્રેસ માટે બન્યું માથાનો દુખાવો!
Vijay and Rashmika wedding: વિજય-રશ્મિકાના લગ્ન કે અભેદ કિલ્લો? પ્રાઈવસી જાળવવા વિદેશી સુરક્ષા એજન્સીને સોંપાઈ જવાબદારી!
Shakira India Tour: ભારત પર ચઢશે શકીરાનો ફીવર! મુંબઈ અને દિલ્હીમાં યોજાશે પોપ સ્ટારનો ભવ્ય કોન્સર્ટ; જાણો ટિકિટના ભાવ અને તારીખ
Exit mobile version