Site icon News Continuous Bureau | Mumbai

ઋષિ કપૂરના નિધન બાદ નીતુ કપૂરની થઈ હતી આવી હાલત, અભિનેત્રીએ કર્યો આ અંગે ખુલાસો

News Continuous Bureau | Mumbai

ઋષિ કપૂરના નિધનના (Rishi Kapoor death)બે વર્ષ બાદ નીતુ કપૂર ફરીથી મોટા પડદા પર આવવા જઈ રહી છે. અભિનેત્રીની ફિલ્મ 'જુગ જુગ જિયો' (Jug jug jiyo) ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. તે પહેલા અભિનેત્રી સતત ફિલ્મનું પ્રમોશન (film promotion) કરી રહી છે.પ્રમોશન દરમિયાન અભિનેત્રી ઋષિ કપૂરને પણ સતત યાદ કરી રહી છે. તાજેતરના એક ઇન્ટરવ્યુ દરમિયાન નીતુએ જણાવ્યું હતું કે ઋષિ કપૂરના મૃત્યુ પછી તે એટલી ભાંગી પડી હતી કે તેણે મનોચિકિત્સકની (psychiatrist)સલાહ પણ લેવી પડી હતી.

Join Our WhatsApp Channel

તાજેતર માં આપેલા ઈન્ટરવ્યુમાં નીતુએ કહ્યું, 'મને છોડીને (Rishi Kapoor death)જવું તેના માટે સૌથી મુશ્કેલ હતું. એક માણસ જે આખી જીંદગી તમારી સાથે હોય… તેના સિવાય તમારી પાસે કોઈ જીવન નહોતું. તેનો ખોરાક, તેની સાથે બેસવું, તેની સાથે મુસાફરી કરવી, અમારા બાળકોની સંભાળ રાખવી, બધું તેના વિશે હતું. પણ તેના ગયા ના  થોડા મહિના પછી, મેં વિચાર્યું, 'હવે હું શું કરી રહી છું? બસ જીવન સાથે આગળ વધો.'તે ખૂબ મુશ્કેલ હતું. હું એકલી  આ બધામાંથી પસાર થઈ રહી હતી. મેં તેને મારા મિત્રો, મારા બાળકો (Ranbir and Riddhima) અથવા મારા પરિવારને આના પર આવવા દીધી. એક દિવસ હું સવારે ઉઠી અને વિચાર્યું કે મારે મજબૂત બનીને જીવનમાં આગળ વધવું છે. જીવનના ઉતાર-ચઢાવ તમને મજબૂત બનાવે છે. જ્યારે તમે ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા હોવ ત્યારે તમને ખરાબ લાગે છે, પરંતુ ભગવાન તમને મજબૂત બનાવે છે.’

આ સમાચાર પણ વાંચો: અનુજ ની પત્ની બની અનુપમા, શાહ પરિવારે કરી દુલ્હન ને વિદાય ,અનુજે અનુ ને આપી સૌથી મોટી સરપ્રાઈઝ; જાણો અનુપમા ના આગળ ના એપિસોડ વિશે

'જ્યારે મારા પતિ  મને છોડી ને (Rishi Kapoor death)જતા રહ્યા, ત્યારે મારે મનોચિકિત્સક( psychiatrist) પાસે જવું પડ્યું. હું ડૉક્ટરની (psychiatrist)સલાહ લેતી હતી. પછી મેં કહ્યું, 'ડોક્ટર જે કહે છે તેના કરતાં હું વધુ મજબૂત છું. કારણ કે ડૉક્ટર મને તે જ કહે છે જે હું પહેલેથી જાણું છું. પછી મેં ડૉક્ટરની સલાહ લેવાનું બંધ કર્યું અને જાતે જ તેનો સામનો કર્યો. તમને જણાવી દઇએ કે, હાલમાંજ ઋષિ અને નીતુ કપૂર ના પુત્ર રણબીર કપૂર (Ranbir-Alia wedding) ના લગ્ન થયા હતા આ લગ્ન સમારોહ માં ઋષિ કપૂર ની તસ્વીર બધા ફંકશન માં હાજર હતી. 

Shaan Bandra Apartment સિંગર શાન અને પત્ની બન્યા કરોડોની પ્રોપર્ટીના માલિક બાંદ્રામાં ખરીદ્યું અધધ ૪૮ કરોડનું લક્ઝુરિયસ ઘર.
Siddharth and Kiara Producers અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બન્યા ફિલ્મ નિર્માતા, ટૂંક સમયમાં કરશે નવા પ્રોજેક્ટની જાહેરાત
Madhubala Biopic Shooting સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, સારા અર્જુન સાથે આ મહિના માં શરૂ થશે ‘મધુબાલા’ ની બાયોપિકનું શૂટિંગ
Aryan Khan Web Series આર્યન ખાનની વેબ સિરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ ની બીજી સિઝનને લઈને આવ્યા મોટા સમાચાર, રાઇટરે કર્યો ખુલાસો
Exit mobile version