Site icon

બી.આર. ચોપરાની મહાભારતમાં ‘કૃષ્ણ’નું પાત્ર ભજવનાર આ અભિનેતાનું 12 વર્ષનું લગ્નજીવન થયું વેરવિખેર,  કહ્યું, ‘મોત કરતાં પણ ભયાનક છે છૂટાછેડા’

કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,18 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Community

મંગળવાર.

મનોરંજન જગતમાં આજકાલ છૂટાછેડા લેવાનો સિલસિલો વધી રહ્યો છે. ગઈકાલે ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંતે છૂટાછેડા લેવાની જાહેરાત કર્યા બાદ આજે વધુ એક કપલ અળગું થઈ રહ્યું હોવાના સમાચાર આવ્યા છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ બી.આર. ચોપરાની ધાર્મિક ટીવી સીરિયલ 'મહાભારત' માં ભગવાનનો શ્રી કૃષ્ણનો રોલ કરનાર અભિનેતા નીતિશ ભારદ્વાજ પત્ની સ્મિતાથી અલગ થઈ ગયા છે. અભિનેતા નીતિશ ભારદ્વાજના 12 વર્ષના લગ્નજીવનનો દુઃખદ અંત આવ્યો છે. નીતિશ ભારદ્વાજે તેની પત્નીથી અલગ થવાનું કારણ સ્પષ્ટ કર્યું નથી, પરંતુ ચોક્કસપણે કહ્યું કે તેના છૂટાછેડાનો મામલો કોર્ટમાં છે. હાલમાં સ્મિતા તેની બંને દીકરીઓ સાથે ઈન્દોરમાં રહે છે. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે ધસાતુ બોલનારા કોંગ્રેસના આ દિગ્ગજ નેતાની ધરપકડની ભાજપે કરી માંગણી; જાણો વિગત

એક સમાચાર સંસ્થા સાથેની વાતચીત દરમિયાન અભિનેતા નીતિશે પત્ની સ્મિતાથી અલગ થવાની વાત કરી હતી. તેમણે કહ્યું- હા, મેં સપ્ટેમ્બર, 2019માં મુંબઈની ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. મારે ઊંડાણમાં જવું નથી કે અમારા જુદા થવાનું કારણ શું છે? હાલ મામલો કોર્ટમાં છે. હું ફક્ત એટલું જ કહી શકું છું કે ક્યારેક છૂટાછેડા મૃત્યુ કરતાં વધુ પીડાદાયક હોઈ શકે છે. ખાસ કરીને જ્યારે તમે એકલા રહેતા હોવ.

અભિનેતા નીતિશ ભારદ્વાજે આગળ કહ્યું હતું કે, મને લગ્ન જેવા રિવાજો પર પૂરો વિશ્વાસ છે, પરંતુ હું નસીબદાર નથી. લગ્ન તૂટવાના ઘણા કારણો હોઈ શકે છે. ક્યારેક તે જીદ અથવા સહાનુભૂતિના અભાવના કારણે થાય છે. અથવા તે ઘમંડ અને હંમેશા પોતાના વિશે વિચારવાનું પરિણામ હોઈ શકે છે. પરંતુ જ્યારે કુટુંબ તૂટી જાય છે, ત્યારે બાળકો સૌથી વધુ સફર કરે છે. આવી સ્થિતિમાં, બાળકો પર તેની ઓછામાં ઓછી અસર થાય તે સુનિશ્ચિત કરવાની જવાબદારી માતાપિતાની છે.

ઈન્ટરવ્યુ દરમિયાન નીતિશ ભારદ્વાજને પૂછવામાં આવ્યું કે શું તમે તમારી દીકરીઓ સાથે વાત કરો છો? આના જવાબમાં તેમણે કહ્યું કે, હું આ અંગે કંઈ કહેવા માંગતો નથી કે હું એમને મળી શકું છું કે નહીં. મેં ઘણી વખત સ્મિતા સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેણે મારા મેસેજનો કોઈ જવાબ ના આપ્યો…

શું દેશમાં કોરોનાનું સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે?, છેલ્લા બે દિવસથી ઘટી રહ્યાં છે કોરોનાના કેસ; જાણો આજનો આંકડો

Ranbir Kapoor: રણબીર કપૂર એ ઐશ્વર્યા રાય ની આ ફિલ્મમાં સહાયક નિર્દેશક તરીકે કર્યું હતું કામ, 17 વર્ષ પછી અભિનેત્રી સાથે કર્યો રોમાન્સ
Katrina Kaif Pregnancy: શું ખરેખર કેટરીના કૈફ ગર્ભવતી છે? જાણો રિપોર્ટ માં શું કરવામાં આવી રહ્યો છે દાવો
Sunny Sanskari Ki Tulsi Kumari Trailer: વરુણ-જાહ્નવીની કેમેસ્ટ્રી એ જીત્યા ચાહકો ના દિલ, ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ નું મજેદાર ટ્રેલર થયું રિલીઝ
Two Much With Kajol and Twinkle Trailer: કાજોલ-ટ્વિંકલ ના સવાલ જવાબ થી ડર્યો આમિર ખાન, સલમાન ખાને ઉડાવી મજાક, મજેદાર છે ટુ મચ નું ટ્રેલર
Exit mobile version