Site icon News Continuous Bureau | Mumbai

લો બોલો, તૃણમૂલ કોંગ્રેસ ની સાંસદ સભ્ય અને અભિનેત્રી નુસરત જહાં ને સારા દિવસો છે, પણ તેના પતિને ખબર નથી!

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 9 જૂન 2021

Join Our WhatsApp Channel

બુધવાર

અભિનેત્રી અને તૃણમૂલ કૉન્ગ્રેસની સાંસદ નુસરત જહાં ફરી એકવાર ચર્ચામાં આવી છે. લેખક તસલીમા નસરીને નુસરત વિશે ફેસબુક પોસ્ટ લખી છે. આ પોસ્ટને કારણે ભારે વિવાદ થયો છે. નૂસરત જહાં ગર્ભવતી હોવાની ચર્ચા શરૂ થઈ છે. નુસરત અને તેના પતિ નિખિલ જૈન અલગ છે અને અફવાઓ ફેલાઈ રહી છે કે તેઓ અલગ થવાનાં આરે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે નુસરત અને અભિનેતા યશ દાસગુપ્તા વચ્ચેનો પ્રેમસંબંધ ગાઢ બની ગયો છે.

તસલીમા નસરીને બંગાળીમાં એક ફેસબુક પોસ્ટ લખી હતી કે “હાલમાં નુસરતના સમાચારો ચર્ચામાં છે. તે ગર્ભવતી છે. તેના પતિને આ વિશે કંઈ જ ખબર નથી. બંને છ મહિનાથી અલગ રહે છે. નુસરત યશ નામના અભિનેતા સાથે પ્રેમમાં છે.” નસરીને વધુમાં કહ્યું કે લોકોને લાગે છે કે નુસરતના બાળકનો પિતા નિખિલ નહીં, પણ યશ છે.

ઉલ્લેખનીય છે કે આ પોસ્ટ બાદ વિવિધ પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે. નુસરત અને નિખિલે જૂન 2019માં લગ્ન કર્યાં હતાં. તુર્કીમાં, તેઓએ વૈભવી રીતે એકબીજા સાથે રહેવાના સોગંદ લીધા હતા, પરંતુ હવે બંને વચ્ચેના સંબંધો નબળા થઈ ગયા છે. નુસરત અને યશનો પ્રેમસંબંધ વધવા માંડ્યો. યશ ભાજપના સમર્થક છે અને નુસરત TMC સમર્થક છે. બંગાળની ચૂંટણી દરમિયાન અભિનેતા યશે કહ્યું હતું કે નુસરત સાથે તેમનો સંબંધ વ્યાવસાયિક છે અને અમે બંને જુદા-જુદા પક્ષના સમર્થક છીએ.

Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Kalki 2 Production Update બાહુબલી પછી હવે ‘કલ્કિ 2’નો જાદુ ચાલશે મેકર્સે કરી મોટી તૈયારી, ફિલ્મને લઈને સામે આવ્યું મોટું અપડેટ
Gaurang Vyas Passes Away અદભુત સૂરયાત્રા અટકી દિગ્ગજ સંગીતકાર ગૌરાંગ વ્યાસનું 87 વર્ષની વયે નિધન, 500થી વધુ રચનાઓ અમર છોડી ગયા
Exit mobile version