Site icon News Continuous Bureau | Mumbai

નાટકનો સેટ ચોરાયો; નાટ્યલેખકે લગાવ્યો શ્રેયસ તલપડે પર આરોપ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 12 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

અદ્વૈત રંગભૂમિના નિર્માતા રાહુલ ભંડારેએ શિવડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના નાટક 'અલબત્યા ગલબત્યા'નો સેટ ચોરાયો છે. ‘‘કોરોના લૉકડાઉન દરમિયાન થિયેટર બંધ કરી દીધું હતું. એથી મારા નાટક 'અલબત્યા ગલબત્યા'નો સેટ કાલાચૌકી ખાતે પ્રવીણ ભોસલેના વેરહાઉસમાં રાખવામાં આવ્યો હતો. જોકે શ્રેયસ તલપડે અને સુરેશ સાવંતે ગોડાઉનના માલિક સાથે ખોટું બોલી ગોડાઉનમાંથી એ સેટની ચોરી કરી હતી અને તેનો ઉપયોગ 'ભક્ષક' નાટકના શૂટિંગ માટે કર્યો હતો.’’ ભંડારેએ એની ફરિયાદમાં જણાવ્યું હતું.

થોડા દિવસ પહેલાં અભિનેતા શ્રેયસ તલપડેના 'નાઇન રસા' OTT પ્લૅટફૉર્મ માટેનું એક નાટક 'ભક્ષક' દાદરના સ્વાતંત્ર્યવીર સાવરકર નાટ્યગૃહમાં શૂટ થયું હતું. નાટકના નિર્માતા રાહુલ ભંડારેનું કહેવું છે કે 'અલબત્યા ગલબત્યા' નાટકના સેટનો ઉપયોગ શૂટિંગ દરમિયાન કરવામાં આવ્યો હતો. તેઓ વધુમાં કહે છે કે 'અલબત્યા ગલબત્યા' નાટક સાથે સંકળાયેલા તમામ સેટ અદ્વૈત રંગભૂમિ સંસ્થાની 'બૌદ્ધિક સંપત્તિ' છે અને અમારી પરવાનગી વગર એનો ઉપયોગ ક્યાંય પણ ન થવો જોઈએ; નહિતર, શ્રેયસ તલપડે અને સુરેશ સાવંત પર 'બૌદ્ધિક સંપત્તિ અધિકારો' હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. બીજી બાજુ, ભક્ષકના નિર્માતા સુશાંત શેલારે કહ્યું, "નિર્માતા તરીકે, મને પ્રથમ વખત રાહુલ ભંડારેનો સંપર્ક કરવો જોઈતો હતો. એમાં અભિનેતા શ્રેયસ તલપડેના નામનો ઉલ્લેખ છે; રાહુલે ખુદ ખ્યાતિ મેળવવાનો પ્રયત્ન કર્યો છે. મેં સુરેશ સાવંતને મારા એક-એક નાટક ચુકવણી કરી હતી. શું રાહુલના નાટકની એ સેટમાં કોઈ સામગ્રી છે? મને આ વિશે કોઈ પૂર્વધારણા નહોતી. જો એવું હોત તો મેં રાહુલને ભાડું અથવા આર્થિક વળતર ચૂકવ્યું હોત. 'હું નાટ્યકાર રાહુલ ભંડારેને અંગત રીતે ઓળખતો નથી. હું અમારા 'નાઇન રસા' OTT પ્લૅટફૉર્મ પર નાટ્યલેખકો દ્વારા બનાવેલી કૃતિઓ રજૂ કરું છું. ઘણા નિર્માતાઓ અને તેમનાં નાટકો અમારા પ્લૅટફૉર્મ પર આવી રહ્યા છે. સંબંધિત નાટકોના  નિર્માતાઓ એ નાટકના નિર્માણ માટે જવાબદાર છે. એથી એમાં મારું નામ સામેલ કરવું ખોટું છે. એ માત્ર મને બદનામ કરવાનો અથવા પ્રચાર માટે મારા નામનો ઉપયોગ કરીને પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ હશે; તો એ ખોટું છે. જો આ મને બદનામ કરવાનો પ્રયાસ છે, તો હું મારા વતી આગળની કાયદાકીય કાર્યવાહી કરીશ. – શ્રેયસ તલપડે, અભિનેતા

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના આ કલાકારે નિભાવી હતી ‘કોઈ મિલ ગયા’માં એલિયનની ભૂમિકા; જાણો વિગત

Sara Arjun exits Heer Ranjha ‘હીર રાંઝા’ માંથી બહાર થઈ સારા અર્જુન!! આ મહિનાથી શૂટિંગ શરૂ કરશે રોહિત સરાફ
Ramayana Maricha actor રણબીર કપૂરની ‘રામાયણ’માં ‘મારીચ’ બનનાર અભિનેતા કોણ? ‘એનિમલ’ સાથે છે ખાસ કનેક્શન
TMKOC Dayaben Comeback Update ‘તારક મહેતા…’ શોને ૧૮ વર્ષ પૂરા થવા પર યોજાઈ ગ્રાન્ડ પાર્ટી, દયાબેનના કમબેક પર દિલીપ જોશીએ આપી આવી પ્રતિક્રિયા
Ramayana Part 1 Trailer Release Review બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું ‘રામાયણ પાર્ટ 1’ નું ભવ્ય ટ્રેલર, જુઓ રામના રોલમાં રણબીર કપૂરનો દમદાર અંદાજ
Exit mobile version