Site icon News Continuous Bureau | Mumbai

લગ્ન છે કે પછી એક રુકા હુઆ ફૈસલા? રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન સ્થગિત થયા. જાણો વિગતે…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 01 ડિસેમ્બર 2021    

Join Our WhatsApp Channel

બુધવાર 

રણબીર અને આલિયાની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો બંને ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જાેવા મળવાના છે. આ ફિલ્મ દ્વારા બંને પહેલીવાર સ્ક્રીન પર સાથે જાેવા મળશે. આ સિવાય આલિયા ફિલ્મ ઇઇઇ, ગંગુબાઈ કાઠિયાવાડી, રોકી ઔર રાનીકી લવસ્ટોરીમાં જાેવા મળશે. જ્યારે રણબીર ફિલ્મ એનિમલમાં જાેવા મળશે. આ સિવાય તે લવ રંજનની આગામી ફિલ્મમાં પણ શ્રદ્ધા કપૂર સાથે જાેવા મળશે, જેનું નામ હજુ નક્કી કરવામાં આવ્યું નથી.રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લાંબા સમયથી રિલેશનશિપમાં છે. તેમના લગ્નના સમાચાર ઘણા સમયથી આવી રહ્યા છે. જાે કે હજુ સુધી બંનેના લગ્નની તારીખ નક્કી કરવામાં આવી નથી. અત્યાર સુધી એવું કહેવામાં આવી રહ્યું હતું કે બંને આ વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કરવાના છે. પરંતુ હવે નવા અહેવાલો અનુસાર, બંનેએ તેમના લગ્ન મુલતવી રાખ્યા છે. અહેવાલ મુજબ, આલિયા અને રણબીર કપૂર પોતપોતાના આગામી પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. આ સાથે બંને ડેસ્ટિનેશન વેડિંગ કરવા ઈચ્છે છે અને તેની તૈયારી અને ગોઠવણમાં ઘણો સમય લાગશે, તેથી હવે બંને આવતા વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કરશે.

હવે ગુજરાતી વેબસિરીઝ પણ સુપરહિટ સાબિત થઈ રહી છે. દેવેન ભોજાણી ની  ‘યમરાજ કોલિંગ’ બની લોકો ની પસંદ

એવા પણ સમાચાર છે કે લગ્ન પહેલા કે પછી આલિયા અને રણબીર સાથે વેકેશન પર જઈ શકે છે. હવે આ સમાચાર કેટલા સાચા છે ? તે તો આવનારા સમયમાં જ ખબર પડશે કારણ કે અગાઉ એવી ખબર આવી હતી કે આલિયા અને રણબીર વિકી કૌશલ અને કેટરિના કૈફના લગ્નને લઇને તારીખ લંબાવી રહ્યા છે. વાસ્તવમાં, વિકી અને કેટરીના ડિસેમ્બરમાં લગ્ન કરી રહ્યા છે અને તેઓએ તેમના મિત્રોના લગ્નમાં હાજરી આપવા માટે તેમના લગ્ન મુલતવી રાખ્યા છે. રણબીર અને આલિયાના લગ્નની રાહ જાેઈ રહેલા ચાહકોને થોડી રાહ જાેવી પડશે. બાય ધ વે, અમે તમને જણાવી દઈએ કે આલિયા અને રણબીર પોતાના સંબંધો કોઈથી છુપાવતા નથી. બંને ખુલ્લેઆમ સાથે હેંગઆઉટ કરે છે, એકબીજા વિશે વાત કરે છે. આલિયા સોશિયલ મીડિયા પર રણબીર સાથેના ફોટા શેર કરતી રહે છે. આટલું જ નહીં, થોડા દિવસો પહેલા એક ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તેના ફોનનું સ્ક્રીનસેવર શું છે તો એક્ટ્રેસે તેનો ફોન બતાવ્યો જેમાં તેનો અને રણબીરનો ફોટો હતો. તમને જણાવી દઈએ કે એક ઈન્ટરવ્યુ દરમિયાન રણબીરે કહ્યું હતું કે જાે કોવિડ ન આવ્યો હોત તો તે આલિયા સાથે લગ્ન કરી લેત. પરંતુ હવે બંને વાતાવરણ શાંત થવાની રાહ જાેઈ રહ્યા છે જેથી તેઓ મુક્તપણે આનંદ માણી શકે.

હંગામાના કારણે રાજ્યસભાની કાર્યવાહી ફરી એકવાર આટલા વાગ્યા સુધી સ્થગિત, સંસદ પરિસરમાં વિપક્ષનું જોરદાર વિરોધપ્રદર્શન
 

Maa Behan Screening 2026| માધુરી અને અનિલ કપૂરને સાથે જોઈ જૂની યાદો થઈ તાજી; ફેન્સ બોલ્યા ‘એકદમ ઝાકાસ જોડી’
Kangana Ranaut New Movie| ‘ભારત ભાગ્ય વિધાતા’ કોણ છે અંજલિ કુલથે? કસાબ સામે અડીખમ ઊભા રહેનારા એ નર્સ, જેમનું પાત્ર ભજવી રહી છે કંગના રનૌત
Yeh Rishta Kya Kehlata Hai| સીરિયલના નવા ટ્રેકથી ફેન્સ નારાજ, સોશિયલ મીડિયા પર હંગામો, લોકો એ કરી આ માંગણી
Ghoomar Song Padmavat| આ એક જ ગીત પાછળ નિર્માતાઓએ પાણીની જેમ વહાવ્યા હતા ૧૨ કરોડ, સોનાચાંદીથી ચમકી ઉઠ્યો હતો આખો સેટ
Exit mobile version