Site icon News Continuous Bureau | Mumbai

સાઉથ અભિનેત્રી સામંથા એ કાઢી કરણ જોહર ની ઝાટકણી-નિષ્ફળ લગ્ન માટે અભિનેત્રી એ હોસ્ટ ની આ ફિલ્મને ગણાવી જવાબદાર

 News Continuous Bureau | Mumbai

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી સફળ અભિનેત્રીઓમાંની એક સામંથા રૂથ પ્રભુને (Samantha Ruth Prabhu)હિન્દી સિનેમામાં પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. ખાસ કરીને 'ધ ફેમિલી મેન'(The Family Man 2) અને 'પુષ્પા'ના 'ઓ એન્ટાવા' ગીતે સામંથાની ફેન ફોલોઈંગમાં અનેકગણો વધારો કર્યો છે.થોડા સમય પહેલા જ્યારે સામંથાએ નાગા ચૈતન્યથી છૂટાછેડા (divorce)લેવાની જાહેરાત કરી ત્યારે ચાહકો ચોંકી ગયા હતા.છૂટાછેડાની ઘોષણા પછી, ન તો સામંથાએ ક્યારેય આ વિશે ખુલીને વાત કરી કે ના નાગાએ ક્યારેય આ વિશે કોઈ નિવેદન આપ્યું છે, પરંતુ તાજેતરમાં જ અભિનેત્રીએ જણાવ્યું છે કે લગ્નજીવન કેમ નાખુશ હોય છે.

Join Our WhatsApp Channel

વાત એમ છે કે, સામંથા ટૂંક સમયમાં કરણ જોહરના શો 'કોફી વિથ કરણ સીઝન 7'માં (Koffee with Karan 7)જોવા મળશે. જેનો એક પ્રોમો કરણે તેના ઈન્સ્ટાગ્રામ(Instagram) પર શેર કર્યો છે. આ પ્રોમોમાં સામંથા પરિણીત જીવન વિશે વાત કરતી જોવા મળી રહી છે. પ્રોમોમાં અભિનેત્રી કહે છે, 'અનહેપ્પી મેરેજ (Unhappy marriage)નું કારણ તમે જ છો (એટલેકે કરણ જોહર) તમે જીવનને કભી ખુશી કભી ગમ (K3G) તરીકે જુઓ છો, પરંતુ વાસ્તવિક જીવન 'KGF' જેવું છે. સામંથાની વાત સાંભળીને કરણ પણ હસી પડે છે. સામન્થા અને કરણ જોહર વચ્ચેનો આ રમૂજી સંવાદ હાલ ઈન્ટરનેટ પર વાઈરલ(viral) થયો છે.આ એપિસોડ કઈ તારીખે રજૂ થશે એ હજી જાહેર કરાયું નથી.તમને જણાવી દઈએ કે આ શોમાં સામંથા અક્ષય કુમારની(Akshay Kumar) સાથે જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો : સુષ્મિતા સેન ના ભાઈ સાથે થયો દગો-પત્ની ચારુ અસોપા એ પતિ થી છુપાવી આટલી મોટી વાત-જાણો વિગત

તમને જણાવી દઈએ કે 'કોફી વિથ કરણ 7'ના આ પ્રોમોમાં (Koffee with Karan 7 promo)આ સીઝનમાં આવનારા મહેમાનોની એક ઝલક પણ બતાવવામાં આવી છે. આ વખતે કરણના શોમાં આલિયા, અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ, સારા અલી ખાન, જ્હાન્વી કપૂર, સામંથા રૂથ પ્રભુ, અનન્યા પાંડે, શાહિદ કપૂર, રણવીર સિંહ, અનિલ કપૂર અને વરુણ ધવન જોવા મળવાના છે. 

 

Aamir Khan Third Marriage બોલિવૂડના ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ આમિર ખાન ફરી એકવાર બંધાશે લગ્નના તાંતણે, ગૌરી સ્પ્રેટ સાથે આ દિવસે લેશે ફેરા…
Ranveer Singh| લલિત મોદીની બાયોપિકમાં રણવીર સિંહની એન્ટ્રી? પૂર્વ IPL ચીફના એક ખુલાસાથી સોશિયલ મીડિયા પર ગરમાયું વાતાવરણ
Jaya Bachchan| ‘બાવર્ચી’ પછી જયા બચ્ચને કેમ ક્યારેય રાજેશ ખન્ના સાથે ન કર્યું કામ? અમિતાભ બચ્ચન સાથે જોડાયેલું છે આ મોટું કારણ
Aamir Khan Wedding। આમિર ખાને સત્તાવાર રીતે કન્ફર્મ કર્યા ત્રીજા લગ્ન, ગૌરી સ્પ્રેટ સાથે આ તારીખે લેશે સાત ફેરા
Exit mobile version