Site icon News Continuous Bureau | Mumbai

શું ફ્લોપ થશે અક્ષય કુમાર ની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ- પહેલા દિવસે કરશે આટલી કમાણી

 News Continuous Bureau | Mumbai

અક્ષય કુમાર 'સમ્રાટ પૃથ્વીરાજ'(Samrat Prithviraj) તરીકે મોટા પડદા પર આવી રહ્યો છે. શુક્રવાર, 3 જૂનના રોજ, આ ફિલ્મ દેશભરમાં 3750 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ હતી. પરંતુ જે રીતે આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ(advance booking) થઈ રહ્યું છે તે જોતા આ ફિલ્મ પણ બોલિવૂડની બેક ટુ બેક ફ્લોપની રેસમાં સામેલ ન થઈ જાય તેવી આશંકા છે. માનુષી છિલ્લર યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ 'સમ્રાટ પૃથ્વીરાજ'થી ડેબ્યૂ (bollywood debut)કરી રહી છે. ભારતીય ઈતિહાસના(Indian hisoty) છેલ્લા હિંદુ સમ્રાટની વાર્તા કહેતી આ ફિલ્મ પહેલાથી જ વિવાદમાં છે અને હવે જે પ્રકારના એડવાન્સ બુકિંગના આંકડા આવ્યા છે તે જોતા આ ફિલ્મ શરૂઆતના દિવસે ડબલ ડિજિટમાં કમાણી કરી શકશે, આ વિશે પણ પ્રશ્ન છે.

Join Our WhatsApp Channel

'ભૂલ ભૂલૈયા 2' એકમાત્ર એવી હિન્દી ફિલ્મ છે જેણે માત્ર એડવાન્સ બુકિંગથી જ કમાણી નથી કરી પરંતુ 100 કરોડની ક્લબમાં પણ પ્રવેશ કર્યો છે. કાર્તિક આર્યનની આ ફિલ્મની રિલીઝ પહેલા 30,000 ટિકિટનું એડવાન્સ બુકિંગ(advance booking) કરવામાં આવ્યું હતું. જ્યારે, 'સમ્રાટ પૃથ્વીરાજ'ની અત્યાર સુધી માત્ર 10,000 ટિકિટોનું એડવાન્સ બુકિંગ થયું છે. અક્ષય કુમારની છેલ્લી રિલીઝ 'બચ્ચન પાંડે' (Bachchan pandey)બોક્સ ઓફિસ પર ખરાબ રીતે નિષ્ફળ ગઈ હતી. જ્યારે આ દરમિયાન આવેલી 'હીરોપંત 2', 'રનવે 34', 'ધાકડ' અને 'અનેક' જેવી ફિલ્મો પણ ટિકિટ બારી પર ખાસ પ્રદર્શન કરી શકી નથી. જોકે એ જરૂરી નથી કે એડવાન્સ બુકિંગ ના આંકડા ફિલ્મને હરાવવાની ખાતરી આપે. પણ હા, આના પરથી ચોક્કસ ખ્યાલ આવે છે કે દર્શકો ફિલ્મને લઈને કેટલા ઉત્સાહિત છે. ઉપરાંત, કાઉન્ટર બુકિંગને(counter booking) પણ શરૂઆત પહેલા ઝડપ મળે છે.

આ સમાચાર પણ વાંચો : અક્ષય કુમાર ટૂંક સમયમાં સાઉથ ના આ સુપરસ્ટાર સાથે કરી શકે છે ફિલ્મ-અભિનેતાએ સમ્રાટ પૃથ્વીરાજ ના પ્રમોશન ઇવેન્ટમાં કહી આવી વાત

અત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે 'સમ્રાટ પૃથ્વીરાજ' (Samrat Prithviraj box office)બોક્સ ઓફિસ પર શરૂઆતના દિવસે 3-5 કરોડ રૂપિયાનું કલેક્શન કરી શકે છે. 

Bollywood Reactions On Pradhan Resignation ‘અચ્છા ચલતા હું દુઆઓ મેં યાદ રખના…’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલિવૂડ સ્ટાર્સની કટાક્ષભરી પ્રતિક્રિયાઓ વાયરલ
Apara Mehta On Separation Darshan Jariwala દર્શન જરીવાલા સાથે અલગ રહેવા પર અપરા મહેતાનો મોટો ખુલાસો, વિવાહિત જીવનના વિવાદો પર તોડી ચુપકી
Shabana Azmi Swine Flu Health Update બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમીની તબિયત બગડી, આ બીમારી થતાં આંદોલનો અને પ્રદર્શનમાં નહીં લઈ શકે ભાગ
Narayani Shastri TV Industry Drug Abuse Claims ટીવી જગતમાં નશાનો કાળો કારોબાર? ટીવી ઈન્ડસ્ટ્રીની આ જાણીતી અભિનેત્રીએ પાર્ટીઓમાં ડ્રગ્સના ભારે બજેટનો કર્યો પર્દાફાશ
Exit mobile version