Site icon News Continuous Bureau | Mumbai

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં હવે નહીં જોવા મળે દયાબેન એટલે કે દિશા વાકાણી-શૈલેષ લોઢાની પોસ્ટ પર થી લોકો એ લગાવ્યો કયાસ 

News Continuous Bureau | Mumbai

ટીઆરપીની રેસમાં સૌથી (TRP race) આગળ રહેતો પ્રખ્યાત ટીવી શો(TV show) 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Tarak Mehta Ka ooltah Chashma)14 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. પરંતુ હવે તેના જૂના કલાકારો(Old artists) એક પછી એક શોમાંથી દૂર થઈ રહ્યા છે. ઘણા વર્ષો પહેલા આ શોમાંથી દયાબેનનું (Dayaben) પાત્ર ભજવનાર દિશા વાકાણીએ(Disha Vakani) આ શોથી પોતાની જાતને દૂર કરી લીધી હતી, જ્યારે શોમાં તારક મહેતાનું(Tarak Mehta) પાત્ર ભજવનાર શૈલેષ લોઢાએ(Shailesh Lodha) પણ અલગ થઈ ગયા હતા. છેલ્લા કેટલાક મહિનાઓથી આ અફવા ફેલાઈ રહી છે કે શોમાં દયાબેન એટલે કે દિશા વાકાણીની એન્ટ્રી થવાની છે. આ અંગે શોના નિર્માતા(show producer) અસિત મોદીએ(Asit Modi) પણ ઘણી વખત નિવેદન આપ્યું છે.

Join Our WhatsApp Channel

જો કે આ વાત હજુ સુધી સાચી સાબિત થઈ નથી. શોના એપિસોડમાં એવો સંકેત આપવામાં આવે છે કે દયાબેન પરત ફરી રહ્યાં છે. પણ અંતે દયાબેન કોઈ ને કોઈ કારણસર આવતા નથી અને પછી દર્શકો ફરી એક વાર રાહ જોવા લાગે છે. પરંતુ હવે ફરી એકવાર દયાબેન ચર્ચામાં છે કારણ કે શોના તારક મહેતા એટલે કે શૈલેષ લોઢાએ સોશિયલ મીડિયા(Social media) પર દયાબેનના પાત્ર વિશે એક એવી હિંટ આપી છે જે વાંચીને લાગે છે કે દયા આ શોમાં ક્યારેય પાછી નહીં ફરે. શૈલેષ લોઢાએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ(Official Instagram account) પર એક કવિતા લખી છે. કવિતાની પંક્તિઓ(Poem lines) વાંચીને લાગે છે કે તેમણે અસિત મોદી પર સીધો પ્રહાર કર્યો છે. શૈલેષ લોઢાએ લખ્યું કે, 'તેમણે બીજાના અધિકારની જોડી જોઈ નથી, કોઈના મન સાથે તે જોડાયો નથી, આ હકીકત તેનો સ્વભાવ દર્શાવે છે, જેણે તેને છોડી દીધો તેણે પાછું વળીને જોયું નથી.'

આ સમાચાર પણ વાંચો :  સ્ટાર પ્લસની નંબર વન સિરિયલ અનુપમા થી ચાહકો થયા નારાજ છે-આ કારણોસર સોશિયલ મીડિયા પર સ્ટોરી બદલવાની કરી રહ્યા છે માંગ 

શૈલેષ લોઢા ની આ શાયરી વાંચ્યા બાદ લોકો અનુમાન લગાવી રહ્યા છે કે દિશા વાકાણી શોમાં પરત ફરવાની નથી. શૈલેષ લોઢાની શાયરી માં લખેલી છેલ્લી પંક્તિમાં લખ્યું છે કે જે તેમને છોડીને ચાલ્યા ગયા તેણે પાછું વળીને જોયું નથી. આ વાંચીને સોશિયલ મીડિયા યુઝર્સ અનુમાન લગાવી રહ્યા છે કે આ દિશા વાકાણી માટે લખવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે દિશા વાકાણી 3 વર્ષ પહેલા શોથી અલગ થઈ ગઈ છે પરંતુ શોમાં તેના પાત્ર ને જીવંત રાખવામાં આવ્યું છે. કોઈને કોઈ કારણસર દયાબેનનું નામ દરેક એપિસોડમાં આવે છે. દયાબેન અને જેઠાલાલની જોડી પણ દર્શકોને પસંદ પડી હતી. તાજેતરમાં, દિશાએ તેના બીજા બાળકને જન્મ આપ્યો, જેના પછી પણ દર્શકો તેના શોમાં પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે. હવે શોના મેકર્સ અને દિશા વાકાણીને જ ખબર હશે કે તે આ શોમાં એન્ટ્રી કરશે કે નહીં કે પછી દર્શકોને આ રીતે મૂર્ખ બનાવવામાં આવશે.

 

Shaan Bandra Apartment સિંગર શાન અને પત્ની બન્યા કરોડોની પ્રોપર્ટીના માલિક બાંદ્રામાં ખરીદ્યું અધધ ૪૮ કરોડનું લક્ઝુરિયસ ઘર.
Siddharth and Kiara Producers અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બન્યા ફિલ્મ નિર્માતા, ટૂંક સમયમાં કરશે નવા પ્રોજેક્ટની જાહેરાત
Madhubala Biopic Shooting સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, સારા અર્જુન સાથે આ મહિના માં શરૂ થશે ‘મધુબાલા’ ની બાયોપિકનું શૂટિંગ
Aryan Khan Web Series આર્યન ખાનની વેબ સિરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ ની બીજી સિઝનને લઈને આવ્યા મોટા સમાચાર, રાઇટરે કર્યો ખુલાસો
Exit mobile version