Site icon

કોવિડ -19ની નકલી રસીના કેસમાં ગોકુલધામના તમામ રહેવાસીઓની તપાસ અને ધરપકડ, ગોકુલધામના રહેવાસીઓ આ સમસ્યાનો સામનો કેવી રીતે કરશે? જુઓ ‘તારક મહેતાના ઉલ્ટા ચશ્મા’ના આવનારા એપિસોડમાં

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 31 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

 

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની ગોકુલધામ સોસાયટીમાં આયોજિત કોવિડ -19 રસીકરણ અભિયાન જોખમમાં છે. ગોકુલધામના રહેવાસીઓ ઉપરાંત આ રસીકરણ અભિયાન અન્ય નાગરિકો માટે પણ ખુલ્લું રાખવામાં આવ્યું છે. ગોકુલધામ સોસાયટીની બહારના લોકો પણ આ સુવિધાનો લાભ લઈ શકે છે, એથી ભીડેએ નજીકમાં પણ આ અભિયાન વિશે માહિતી આપી હતી, પણ બહારથી કોઈ આવતું નથી એ જોઈને ભીડે પણ વિચારમાં પડી ગયા. સમસ્યા એ છે કે સોસાયટીની બહારના કેટલાક લોકો આ કારણે રસીકરણ અભિયાનનો વિરોધ કરી રહ્યા છે. 

કેટલાક લોકોએ સોસાયટીની બહારના પોસ્ટર પર લખ્યું છે કે ગોકુલધામ સોસાયટીના કોવિડ -19 રસીકરણ કૅમ્પની રસી નકલી છે અને દરેકને કોવિડ -19 રસીના નામે ભેળસેળયુક્ત ઇન્જેક્શન આપવામાં આવી રહ્યાં છે. ગોકુલધામના લોકો આ પોસ્ટર જોઈને સ્તબ્ધ થઈ ગયા છે. છેવટે આ કોણે કર્યું છે, અને શા માટે, કોઈ આ સમજી શકતું નથી.

EDએ જેકલિન ફર્નાન્ડીસની પાંચ કલાક પૂછપરછ કરી, સુકેશ ચંદ્રશેખર સાથે સંબંધિત છે આ કેસ

આની તપાસ કરવી જરૂરી ગણીને ગોકુલધામના રહેવાસીઓએ ઇન્સ્પેક્ટર ચાલૂ પાંડેને ફોન કર્યો, પરંતુ ઇન્સ્પેક્ટર ચાલૂ પાંડે આ બાબતે પહેલેથી જ વાકેફ છે અને તે નકલી કોવિડ -19 રસીના કેસમાં ગોકુલધામના તમામ રહેવાસીઓની તપાસ અને ધરપકડ કરવા માટે સોસાયટી સુધી પહોંચવાના છે. આ વખતે ગોકુલધામના તમામ રહેવાસીઓ તેમની સામેના આ આરોપથી ખૂબ ચિંતિત છે. તેઓ માને છે કે ગોકુલધામ સોસાયટીમાં આવું ખોટું કરવું અશક્ય છે. આવી સ્થિતિમાં, ગોકુલધામના રહેવાસીઓ આ સમસ્યાનો સામનો કેવી રીતે કરશે? વધુ જાણવા માટે, જોતા રહો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’. 

Gustaakh Ishq Trailer: ટ્રેલર આઉટ! ‘ગુસ્તાખ ઇશ્ક’માં વિજય વર્મા અને ફાતિમાની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ થયા ખુશ, શાયરી થઈ વાયરલ
Jolly LLB 3: ડબલ ધમાકો, એક નહીં બે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય ની ફિલ્મ
Anupamaa New entry: અનુપમા પર નવો ખતરો! હવે ગૌતમ નહીં, આ ‘નવા વિલન’ થી સિરિયલમાં વધશે ઘમાસાણ!
120 Bahadur: જાણો કેમ! ‘120 બહાદુર’ ફિલ્મને રાજસ્થાનમાં ટેક્સ ફ્રી કરવાની માંગ થઈ, વિધાન સભ્યએ શું દલીલ આપી?
Exit mobile version