Site icon

કોવિડ -19ની નકલી રસીના કેસમાં ગોકુલધામના તમામ રહેવાસીઓની તપાસ અને ધરપકડ, ગોકુલધામના રહેવાસીઓ આ સમસ્યાનો સામનો કેવી રીતે કરશે? જુઓ ‘તારક મહેતાના ઉલ્ટા ચશ્મા’ના આવનારા એપિસોડમાં

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 31 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

 

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની ગોકુલધામ સોસાયટીમાં આયોજિત કોવિડ -19 રસીકરણ અભિયાન જોખમમાં છે. ગોકુલધામના રહેવાસીઓ ઉપરાંત આ રસીકરણ અભિયાન અન્ય નાગરિકો માટે પણ ખુલ્લું રાખવામાં આવ્યું છે. ગોકુલધામ સોસાયટીની બહારના લોકો પણ આ સુવિધાનો લાભ લઈ શકે છે, એથી ભીડેએ નજીકમાં પણ આ અભિયાન વિશે માહિતી આપી હતી, પણ બહારથી કોઈ આવતું નથી એ જોઈને ભીડે પણ વિચારમાં પડી ગયા. સમસ્યા એ છે કે સોસાયટીની બહારના કેટલાક લોકો આ કારણે રસીકરણ અભિયાનનો વિરોધ કરી રહ્યા છે. 

કેટલાક લોકોએ સોસાયટીની બહારના પોસ્ટર પર લખ્યું છે કે ગોકુલધામ સોસાયટીના કોવિડ -19 રસીકરણ કૅમ્પની રસી નકલી છે અને દરેકને કોવિડ -19 રસીના નામે ભેળસેળયુક્ત ઇન્જેક્શન આપવામાં આવી રહ્યાં છે. ગોકુલધામના લોકો આ પોસ્ટર જોઈને સ્તબ્ધ થઈ ગયા છે. છેવટે આ કોણે કર્યું છે, અને શા માટે, કોઈ આ સમજી શકતું નથી.

EDએ જેકલિન ફર્નાન્ડીસની પાંચ કલાક પૂછપરછ કરી, સુકેશ ચંદ્રશેખર સાથે સંબંધિત છે આ કેસ

આની તપાસ કરવી જરૂરી ગણીને ગોકુલધામના રહેવાસીઓએ ઇન્સ્પેક્ટર ચાલૂ પાંડેને ફોન કર્યો, પરંતુ ઇન્સ્પેક્ટર ચાલૂ પાંડે આ બાબતે પહેલેથી જ વાકેફ છે અને તે નકલી કોવિડ -19 રસીના કેસમાં ગોકુલધામના તમામ રહેવાસીઓની તપાસ અને ધરપકડ કરવા માટે સોસાયટી સુધી પહોંચવાના છે. આ વખતે ગોકુલધામના તમામ રહેવાસીઓ તેમની સામેના આ આરોપથી ખૂબ ચિંતિત છે. તેઓ માને છે કે ગોકુલધામ સોસાયટીમાં આવું ખોટું કરવું અશક્ય છે. આવી સ્થિતિમાં, ગોકુલધામના રહેવાસીઓ આ સમસ્યાનો સામનો કેવી રીતે કરશે? વધુ જાણવા માટે, જોતા રહો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’. 

Dhurandhar The Revenge Runtime: રેકોર્ડબ્રેક રન-ટાઈમ સાથે આવી રહી છે ‘ધુરંધર ૨’: રણવીર સિંહની આ ફિલ્મમાં જોવા મળશે પહેલા ભાગ કરતાં પણ ડબલ એક્શન!
Dhurandhar The Revenge Trailer: ‘ધુરંધર: ધ રિવિંજ’ ના ટ્રેલરની નવી તારીખ જાહેર: ગ્રાન્ડ ઈવેન્ટ રદ, હવે આ દિવસે ડિજિટલી ધૂમ મચાવશે રણવીર સિંહનું ટ્રેલર.
Is Thalapathy Vijay Dating Trisha Krishnan:વિજય-તૃષાના અફેરની ચર્ચાઓએ પકડ્યું જોર! સંગીતા સાથેના છૂટાછેડાના વિવાદમાં નવો વળાંક; જાણો ઇન્ડસ્ટ્રીમાં શું ચાલી રહ્યું છે
Rashmika Vijay Tirupati Balaji Visit: લગ્ન બાદ તિરુપતિ બાલાજીના શરણે પહોંચ્યા રશ્મિકા-વિજય: પરંપરાગત લુકમાં ભગવાન વેંકટેશ્વરના લીધા આશીર્વાદ; દેશભરમાં મીઠાઈ અને અન્નદાનની કરી જાહેરાત.
Exit mobile version