Site icon

શું દયાબેન ઉર્ફે દિશા વાકાણીને ગળાનું કેન્સર થયું છે- જેઠાલાલ અને સુંદર એ આપ્યું આ સ્પષ્ટીકરણ

News Continuous Bureau | Mumbai

ટીવી જગતનો સૌથી લાંબો ચાલતો કોમેડી શો(Comedy show) 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (TMKOC) આજે પણ લોકો પસંદ કરે છે. લોકો આ શોના દરેક કલાકાર(Show characters) ને ખૂબ પસંદ કરે છે. ખાસ કરીને દિશા વાકાણી(Disha Vakani), જે દયાબેનનું પાત્ર ભજવે છે. દિશા ભલે શોમાંથી બહાર નીકળી ગઈ હોય, પરંતુ ચાહકો હજુ પણ તેની એક ઝલકની રાહ જોઈ રહ્યા છે. ઘણા સમયથી સમાચાર આવી રહ્યા છે કે દયાબેન પાછા આવવાના છે, પરંતુ હજુ સુધી દયાબેન(Dayaben)નો શોમાં કોઈ અતોપતો નથી. 

Join Our WhatsApp Community

આ દરમિયાન દયાબેનને લઈને ખુબ જ ચોંકાવનારા સમાચાર વહેતા થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દયાબેન ઉર્ફે દિશા વાકાણીને ગળાનું કેન્સર(Throat cancer) હોવાનું નિદાન થયું છે.

આ સમાચાર આવતા જ ચાહકો ચોંકી ગયા હતા. પરંતુ તમને જણાવી દઈએ કે આ સમાચારમાં કોઈ સત્યતા નથી. આ વાતની પુષ્ટિ ખુદ તારક મહેતા શોના જેઠાલાલ(Jethalal) ઉર્ફે દિલીપ જોશી(Dilip Joshi)એ કરી છે.

આ સમાચાર પણ વાંચો : પલક તિવારી એ રિવિલિંગ ડ્રેસ પહેરીને મનાવ્યો જન્મદિવસ-બોલ્ડ અંદાજમાં આવી નજર-તસવીરો જોઈ ચાહકોનો છૂટી ગયો પરસેવો-જુઓ વિડિયો અને ફોટોગ્રાફ્સ

એક મીડિયા ઇન્ટરવ્યૂમાં જેઠાલાલ ઉર્ફે દિલીપ જોષીએ આ સમાચાર અંગે કહ્યું કે તેમને સવારથી સતત ફોન આવે છે. દર વખતે કંઈક ને કંઈક ન્યૂઝ આવતા રહે છે. તેમને લાગે છે કે આ રીતના ન્યૂઝને પ્રોત્સાહન આપવાની જરૂર નથી. હું એટલું જ કહીશ કે આ બધી અફવા છે. તેના પર ધ્યાન ન આપો.

એટલે કે દિશા વાકાણીના ચાહકોએ ચિંતા કરવાની જરૂર નથી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલ એટલે કે દિલીપ જોશીએ સ્પષ્ટ કર્યું છે કે અભિનેત્રી ઠીક છે. જોકે, આ સમાચાર પર ખુદ દિશા વાકાણી તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી.

દિલીપ જોશી ઉપરાંત દિશા વાકાણીના ભાઈ મયુર વાકાણી(Mayur Vakani)એ તેના ગળાના કેન્સરના અહેવાલોને નકારી કાઢ્યા છે. તેમ જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત મોદીએ પણ પ્રતિક્રિયા આપી છે. અસિત મોદીનું કહેવું છે કે તેમને આ અંગે કોઈ માહિતી નથી. વધુમાં તે કહે છે, લોકો લાઈક્સ અને ક્લિક્સ માટે સોશિયલ મીડિયા પર આવા સમાચારો મૂકે છે. કેન્સર તમાકુ પીવાથી થાય છે જુદો અવાજ કાઢવાથી નહીં. આ રીતે મિમિક્રી કરનારા કલાકારો ડરી જશે.

આ સમાચાર પણ વાંચો : Business Idea- શરૂ કરો છપ્પરફાડ કમાણી કરી આપતો આ બિઝનેસ-એક ઝાડથી કમાવી શકો છો 6 લાખ રૂપિયા

Yeh Rishta Kya Kehlata Hai: ૧૬ વર્ષથી રાજ કરતો શો ‘યે રિશ્તા…’ ઓફ-એર થવાના આરે? જાણો શું છે ચેનલનો નવો પ્લાન
Sabeer Bhatia Review Dhurandhar: સબીર ભાટિયાનો ‘ધુરંધર’ પર આકરો પ્રહાર: ‘ક્રિએટિવિટીના નામે માત્ર દેખાડો’, નવી પેઢી પર ફિલ્મની અસરને લઈને વ્યક્ત કરી ચિંતા
Ranveer Allahbadia New House Mumbai: ઝીરોથી કરોડો સુધીની સફર: રણવીર અલ્હાબાદિયાએ મુંબઈમાં ખરીદ્યું લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ; યુટ્યુબ કિંગની નેટવર્થ જોઈ આંખો પહોળી થઈ જશે
Kalki 2898 AD Sequel: બે મહાનાયકોનું મિલન! ‘કલ્કી 2’ના સેટ પર અમિતાભ બચ્ચન અને કમલ હાસનની જુગલબંધી; ફોટા જોઈ ચાહકોમાં ભારે ઉત્સાહ
Exit mobile version