Site icon News Continuous Bureau | Mumbai

ફિલ્મ અભિનેતા આમિર ખાન જૈન ધર્મથી છે પ્રભાવિત,પોતે આ ત્રણ ‘અ’ ને અનુસરે છે, કારણ જાણી તમને લાગશે નવાઈ

થોડા સમય પહેલા, અભિનેતા આમિર ખાન ફિલ્મ નિર્માતા મહાવીર જૈન અને વરિષ્ઠ IRS અશોક કોઠારી સાથે પ્રખ્યાત જૈન સાધુ મહેન્દ્ર કુમારને મળવા આવ્યા હતા. આ દરમિયાન આમિર ખાને જૈન ફિલસૂફી, આધ્યાત્મિકતા અને વિજ્ઞાન વિશે વિગતવાર ચર્ચા કરી હતી.

aamir khan admires and follows jain principles you will also know the reason

ફિલ્મ અભિનેતા આમિર ખાન જૈન ધર્મથી છે પ્રભાવિત,પોતે આ ત્રણ 'અ' ને અનુસરે છે, કારણ જાણી તમને લાગશે નવાઈ

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટર આમિર ખાન તેના શાંત સ્વભાવ, તેના શાર્પ દિમાગ અને સુપરહિટ ફિલ્મોના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયાથી દૂર રહેનાર આમિર ખાન ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે, આ વખતે આમિર પોતાના ધર્મને કારણે ચર્ચામાં છે. જો સૂત્રોનું માનીએ તો ફિલ્મ અભિનેતા આમિર ખાનનું કહેવું છે કે તે જૈન ધર્મથી ઘણો પ્રભાવિત છે.

Join Our WhatsApp Channel

 

જૈન ધર્મ થી પ્રભાવિત થયો આમિર ખાન 

આમિર ખાન વિશે એવા સમાચાર છે કે, તે પોતે જૈન સમાજના અહિંસા, અપરિગ્રહ અને અનેકાંત માં માને છે. તેઓ કહે છે કે જૈન સમાજે આ ત્રણ મહત્વના સિદ્ધાંતો દેશને જ નહીં પરંતુ વિશ્વને આપ્યા છે. તેઓએ તેમના જીવન પર ઊંડી અસર કરી છે. સોશિયલ મીડિયા પર તેમના વિશે ઘણી ચર્ચા થઈ રહી છે.હકીકતમાં, થોડા સમય પહેલા અભિનેતા આમિર ખાન ફિલ્મ નિર્માતા મહાવીર જૈન અને વરિષ્ઠ IRS અશોક કોઠારી સાથે પ્રખ્યાત જૈન સાધુ મહેન્દ્ર કુમારને મળવા આવ્યા હતા. આ દરમિયાન આમિર ખાને જૈન ફિલસૂફી, આધ્યાત્મિકતા અને વિજ્ઞાન વિશે વિગતવાર ચર્ચા કરી હતી.આ દરમિયાન અભિનેતા એ કહ્યું હતું કે વિજ્ઞાન અને આધ્યાત્મિકતા ને જોડવા માટે સંવાદિતા જરૂરી છે. ફિલ્મ નિર્માતા મહાવીર જૈન કહે છે કે આમિર ખાન પોતે જૈન સિદ્ધાંતોની પ્રશંસા કરે છે જેમ કે અનેકાંતવાદ (વિવિધ દૃષ્ટિકોણનો આદર કરવો), અહિંસા અને અપરિગ્રહ (તમને જે જોઈએ તે જ વાપરો), અને તેમના જીવનમાં તેનું પાલન કરે છે.

 

આમિર ખાન દર વર્ષે સોશિયલ મીડિયા દ્વારા માંગે છે માફી 

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, આમિર ખાનના પ્રોડક્શન હાઉસે તેના ટ્વિટર હેન્ડલ પર એક ક્લિપ શેર કરી હતી. જેમાં ‘મિચ્છામિ દુક્કડમ’ લખતી વખતે જાણ્યે-અજાણ્યે થયેલી ભૂલો માટે માફી પણ માંગી હતી. આમિર ખાન દર વર્ષે આવા વીડિયો પોસ્ટ કરે છે. વીડિયોની શરૂઆત ‘મિચ્છામી દુક્કડમ’થી થાય છે. સામાન્ય રીતે જૈન સમાજના લોકો આ દિવસે જાણ્યે-અજાણ્યે થયેલી ભૂલો માટે એકબીજાની માફી માંગે છે.

Karan Kundrra| ઘૂંટણિયે બેસી કરણે તેજસ્વીને પહેરાવી વીંટી, દુબઈથી સામે આવ્યા રોમેન્ટિક વિઝ્યુઅલ્સ
Dhurandhar Controversy| બોલિવૂડ ફિલ્મ ‘ધુરંધર’ પર મોટું સંકટ દેશની સુરક્ષા સાથે બાંધછોડનો આક્ષેપ, હાઈકોર્ટે એક્શન લેવા આપ્યો મોટો આદેશ
Ahaan Panday| થિયેટર્સમાં મચશે ધમાલ! અલી અબ્બાસ ઝફરની નવી ફિલ્મમાં અહાન પાંડેનો જોવા મળશે શાનદાર અંદાજ, ફેન્સ ઉત્સાહિત
Gullak Season 5| મિશ્રા પરિવાર ફરી કરાવશે મનોરંજન, ‘ગુલ્લક 5’ માં આવશે નવો ટ્વિસ્ટ, નોંધી લો રિલીઝ ડેટ
Exit mobile version