Site icon News Continuous Bureau | Mumbai

એક સામાન્ય માણસે અમીર ખાનની ઠેકડી ઉડાડી : કહ્યું જે પોતાની પત્ની સાથે વફાદાર નથી તે મારા પૈસા સાથે કઈ રીતે વફાદાર રહેશે?

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો          

મુંબઈ, 15 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

 

 

મધ્ય પ્રદેશના ઇન્દોરથી એક રસપ્રદ સમાચાર છે. બૉલિવુડ અભિનેતા આમિર ખાનને જાહેરાતમાં લીધા બાદ ગુસ્સે ભરાયેલા ગ્રાહકે પોતાનું બૅન્ક ખાતું બંધ કરી દીધું. ગ્રાહક કૃષ્ણા રાઠોડે કહ્યું, 'દેશમાં અસુરક્ષિત હોવાનો દાવો કરનારી વ્યક્તિ, જે પોતાની પત્નીને પણ રક્ષણ આપી શક્યો નથી તેની જાહેરાત કરીને બૅન્કે લાખો ગ્રાહકોનાં મનમાં શંકા પેદા કરી છે. એથી એક સાચા હિન્દુ હોવાથી મેં મારું ખાતું બંધ કરી દીધું છે.

ગ્રાહક કૃષ્ણા રાઠોડે કહ્યું, 'મેં વધુ લોકોને તેમના બૅન્ક ખાતાં બંધ કરવાની અપીલ કરી છે, કારણ કે દેશ સર્વોપરી છે. દેશવિરોધી વાતો કરનારાઓનો બહિષ્કાર થવો જોઈએ, ગમે તે સ્વરૂપે હોય. બૉલિવુડ અભિનેતા આમિર ખાને 2015માં એક નિવેદન આપ્યું હતું, જેમાં તેણે કહ્યું હતું કે દેશમાં અસહિષ્ણુતાના વાતાવરણને કારણે તે અને તેની પત્ની ભારતમાં રહેવાથી ડરે છે. ભારતમાં મુસ્લિમો સૌથી વધુ સુરક્ષિત છે.જો કે આમિર ખાન તેની પત્નીનું રક્ષણ પણ કરી શક્યો ન હતો અને તેણે પણ છૂટાછેડા લીધા હતા. આવી સ્થિતિમાં આમિર ખાન પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે.

બૉલિવુડના પાંચ સંબંધો જેના સમાચાર સાંભળ્યા ન હતા, જ્યારે સત્ય બહાર આવ્યું ત્યારે લોકોને આશ્ચર્ય થયું

રાઠોડે કહ્યું, 'બૅન્કનું વર્તન ગ્રાહકોના વિશ્વાસ પર ચાલે છે, પરંતુ હવે આમિર ખાન જે રીતે AU બૅન્કની જાહેરાત કરી રહ્યો છે, બૅન્ક નફાને બદલે નુકસાન કરી રહી છે. કારણ કે લોકોનો બૅન્ક પરથી વિશ્વાસ ઊઠી રહ્યો છે. એ જ સમયે બૅન્ક ગ્રાહકોને કરોડો રૂપિયા આપીને આમિર ખાનની જાહેરાત કરી રહી છે, જે બિલકુલ યોગ્ય નથી. એથી લોકોએ પણ તેના વિશે વિચારવું પડશે. નોંધનીય છે કે અગાઉ રતલામના એક ગ્રાહકે પણ આમિર ખાનની જાહેરાતને કારણે તેની FD કરાવવાનો ઇનકાર કર્યો હતો.

Prakash Raj Controversy Ramayana| પ્રકાશ રાજે વટાવી હદ! રામલક્ષ્મણ વિશે એવું તે શું બોલ્યા કે મચ્યો ખળભળાટ
Sukesh Chandrashekhar| મહાઠગ સુકેશ ચંદ્રશેખરને જેકલીન આપશે સૌથી મોટો ફટકો! 200 કરોડના કેસમાં સરકારી સાક્ષી બનીને ખોલશે ઠગના રહસ્યો
Bhooth Bangla on OTT| સિનેમાઘરો બાદ આ OTT પર ધમાલ મચાવશે અક્ષય કુમારની ‘ભૂત બંગલા’! જાણો ક્યારે થશે સ્ટ્રીમ
Urvashi Dholakia vs Asit Modi | ‘TMKOC વિવાદમાં નવો વળાંક ઉર્વશી ધોળકિયાએ અસિત મોદી વિરુદ્ધ કેમ લીધું કડક પગલું? જાણો શું છે ‘અડધી રાતના આતંક’ પાછળની વાર્તા
Exit mobile version