Site icon

Abhishek bachchan: અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા ના છૂટાછેડા ના સમાચાર પર મુકાયું પૂર્ણવિરામ! જુનિયર બી એ તેની પત્ની ના વખાણ માં કહી આવી વાત

Abhishek bachchan: અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા ના છૂટાછેડા ના સંચાર ઘણા સમય થી ચાલી રહ્યા છે તેવામાં અભિષેક એ ઐશ્વર્યા વિશે કંઈક એવું કહ્યું જેને કારણે બનેં ના છુટા થવાના સમાચાર પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.

abhishek bachchan appreciates aishwarya rai amid divorce rumours

abhishek bachchan appreciates aishwarya rai amid divorce rumours

News Continuous Bureau | Mumbai

Abhishek bachchan: અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા ના છૂટાછેડા ના સમાચાર ઘણા સમય થી ચાલી રહ્યા છે. હાલ અભિષેક તેની ફિલ્મ આઈ વોન્ટ ટુ ટોક ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ માં એક પિતા અને દીકરી ને વાર્તા છે.તાજેતર માં અભિષેક બચ્ચને એક મીડિયા હાઉસ ને ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને ઐશ્વર્યા અને તેની માતા જયા બચ્ચન વિશે વાત કરી હતી.   

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Amit shah The sabarmati report: ધ સાબરમતી રિપોર્ટ ની ટીમ ને મળ્યા ગૃહમંત્રી અમિત શાહ, તસવીરો શેર કરી કહી આવી વાત

અભિષેક બચ્ચને કર્યા ઐશ્વર્યા ના વખાણ 

અભિષેક બચ્ચને તાજેતર માં એક મીડિયા હાઉસ ને ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને ઐશ્વર્યા વિશે વાત કરતા જણાવ્યું કે, ‘હું ઘરે ભાગ્યશાળી છું કે હું બહાર જઈ શકું છું અને ફિલ્મો કરી શકું છું પરંતુ મને ખબર છે કે ઐશ્વર્યા ઘરે આરાધ્યા સાથે છે. આ માટે હું તેમનો આભારી છું પરંતુ મને નથી લાગતું કે બાળકો આ રીતે જુએ છે. તે તમને ત્રીજા વ્યક્તિ તરીકે નહીં પરંતુ પ્રથમ વ્યક્તિ તરીકે જુએ છે.’માતાપિતા તરીકે, તમારા બાળકો તમને ખૂબ પ્રેરણા આપે છે. બાળક ખાતર તમે એક પગે પહાડ પણ ચઢી જશો. હું આ વાત માતાઓ અને સ્ત્રીઓ માટે ખૂબ જ આદર સાથે કહી રહ્યો છું કારણ કે તેઓ જે કરે છે તે કોઈ કરી શકતું નથી પરંતુ એક પિતા આ બધું કરે છે પરંતુ ચૂપચાપ કારણ કે તેઓ કેવી રીતે વ્યક્ત કરવું તે જાણતા નથી. આ પુરુષોની નબળાઈ છે. ઉંમર સાથે, બાળકોને ખ્યાલ આવે છે કે તેમના પિતા કેટલા મજબૂત છે. જો તે પૃષ્ઠભૂમિમાં હતો, તો પણ તે હંમેશા ત્યાં હતો.’


આ સિવાય અભિષેક બચ્ચને તેની માતા જયા બચ્ચન વિશે જણાવ્યું કે, ‘જ્યારે મારો જન્મ થયો ત્યારે મારી માતાએ અભિનય કરવાનું છોડી દીધું હતું. કારણ કે તે તેના બાળકો સાથે સમય પસાર કરવા માંગતી હતી. અમે ક્યારેય પપ્પા નો આસપાસ ન હોવાનું ચૂક્યા નથી. મને લાગે છે કે તમે કામ પૂરું થયા પછી રાત્રે ઘરે આવો છો.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Kisan Kanya: ભારતની પહેલી રંગીન ફિલ્મ ‘કિસાન કન્યા’ 1937માં થઇ હતી રિલીઝ, આ કારણ થી વી. શાંતારામ ઈતિહાસ રચવામાં રહી ગયા પાછળ
Naagin 7 Promo: ‘નાગિન 7’ના નવા પ્રોમો પર ફેન્સમાં યુદ્ધ, પ્રિયંકા ચાહર ચૌધરી કે ઈશા માલવીય – કોણ બનશે નવી નાગિન?
Satish Shah Funeral: સારાભાઈ vs સારાભાઈ’ ની ટીમ એ અનોખી રીતે આપી સતીશ શાહ ને શ્રદ્ધાંજલિ, રડી પડી રૂપાલી ગાંગુલી
Pooja Ruparel on Yash Chopra: દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ની ચુટકી એ યશ ચોપરા ને લઈને કર્યો મોટો ખુલાસો, સેટ પર કરતા હતા આવું વર્તન
Exit mobile version