Site icon News Continuous Bureau | Mumbai

ટીવી જગતના આ પ્રખ્યાત કપલના 9 વર્ષ બાદ થઈ ગયા છૂટાછેડા;જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 7 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

શુક્રવાર

અભિનેતા આમિર અલી અને અભિનેત્રી સંજીદા શેખ ટીવીના લોકપ્રિય કપલમાંથી એક છે. છેલ્લા કેટલાક સમયથી ચર્ચા હતી કે આમિર અલી અને તેની પત્ની સંજીદા શેખ વચ્ચેના સંબંધોમાં અંતર આવી ગયું છે. અહેવાલો અનુસાર, હવે આમિર અલી અને તેની પત્નીએ સત્તાવાર રીતે છૂટાછેડા લીધા છે. જો કે આમિર કે તેની પત્ની સંજીદાએ હજુ સુધી આ અંગે કોઈ પુષ્ટિ કરી નથી.એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કપલ તેમના છૂટાછેડા વિશે કોઈ નિવેદન આપવા માંગતા નથી અને તેમના સંબંધો વચ્ચેની દરેક વાત ખાનગી રાખવા માંગે છે.

આમિર અલી અને સંજીદા શેખ વર્ષ 2012માં લગ્નના બંધનમાં બંધાયા હતા. જોકે બંને એકબીજાને લાંબા સમયથી ઓળખતા હતા અને ડેટ કરી રહ્યા હતા. તેમના લગ્નને લગભગ 9 વર્ષ થયા છે. જોકે, 2020થી જ તેમના સંબંધોમાં અંતરના સમાચાર આવવા લાગ્યા હતા. આ સાથે એવી પણ ચર્ચા હતી કે ત્યારથી બંને અલગ રહેતા હતા.અહેવાલો અનુસાર, આ દંપતીને સરોગસી દ્વારા એક પુત્રી પણ છે, જેનું નામ આયરા અલી છે, જો કે બંનેએ આ વિશે કંઈપણ પુષ્ટિ કરી નથી. અહેવાલો અનુસાર, બંનેના નવ મહિના પહેલા છૂટાછેડા થઈ ગયા છે અને સંજીદા શેખને પુત્રીની કસ્ટડી મળી છે. બંને તેમના જીવનમાં આગળ વધ્યા છે પરંતુ તેઓ તેમના સંબંધો વિશે ગોપનીયતા રાખવા માંગે છે તેથી તેઓએ તેમના સંબંધો વિશે વધુ જાહેરાત કરી નથી.

ટેલિવિઝન જગત પર કોરોનાનો કહેર યથાવત, ટીવી અભિનેત્રી એરિકા ફર્નાન્ડીસ બાદ હવે આ એભિનેત્રીને થયો કોરોના; જાણો વિગતે

આમિર અલીના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તેણે કેટલીક ટીવી જાહેરાતો દ્વારા તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. જોકે, તેને સિરિયલ 'FIR'થી ઓળખ મળી હતી. સંજીદા શેખના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તેણે ટીવી સિરિયલ 'ક્યા હોગા નિમ્મો કા'થી ડેબ્યૂ કર્યું હતું. અભિનેત્રીએ અત્યાર સુધી ઘણી સીરીયલ અને વેબ સીરીઝમાં કામ કર્યું છે.સંજીદા અને આમિરે સાથે ઘણા રિયાલિટી શો કર્યા છે. બંનેએ ડાન્સ રિયાલિટી શો નચ બલિયે 8 માં ભાગ લીધો હતો જ્યાં બંનેએ પોતાના ડાન્સથી બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા. બંનેની જોડી લોકોને ખૂબ પસંદ આવી હતી.

 

Why did Kajal distance from Bollywood? કાજલ અગ્રવાલે બોલિવૂડથી કેમ બનાવી લીધી દૂરી? અભિનેત્રીએ પોતે કર્યો ખુલાસો
Jennifer Winget Wedding જેનિફર વિન્ગેટ બની દુલ્હન વિલિયમ ઈસ્માઈલ સાથે યુકેમાં કર્યા સાદગીભર્યા લગ્ન, તસવીરો વાયરલ
Ranbir Kapoor Health Update આંખમાં ઈન્ફેક્શન હોવા છતાં રણબીર કપૂર ‘રામાયણ’ના ‘પ્રથમ સંકલ્પ’ કાર્યક્રમમાં આપશે હાજરી
Rahil Azam Anupamaa News ‘અનુપમા’ છોડવાની અફવાઓ પર રાહિલ આઝમે તોડ્યું મૌન, કહ્યું ક્યારે થશે વાપસી?
Exit mobile version