Site icon News Continuous Bureau | Mumbai

ટીવી જગતના આ પ્રખ્યાત કપલના 9 વર્ષ બાદ થઈ ગયા છૂટાછેડા;જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 7 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

શુક્રવાર

અભિનેતા આમિર અલી અને અભિનેત્રી સંજીદા શેખ ટીવીના લોકપ્રિય કપલમાંથી એક છે. છેલ્લા કેટલાક સમયથી ચર્ચા હતી કે આમિર અલી અને તેની પત્ની સંજીદા શેખ વચ્ચેના સંબંધોમાં અંતર આવી ગયું છે. અહેવાલો અનુસાર, હવે આમિર અલી અને તેની પત્નીએ સત્તાવાર રીતે છૂટાછેડા લીધા છે. જો કે આમિર કે તેની પત્ની સંજીદાએ હજુ સુધી આ અંગે કોઈ પુષ્ટિ કરી નથી.એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કપલ તેમના છૂટાછેડા વિશે કોઈ નિવેદન આપવા માંગતા નથી અને તેમના સંબંધો વચ્ચેની દરેક વાત ખાનગી રાખવા માંગે છે.

આમિર અલી અને સંજીદા શેખ વર્ષ 2012માં લગ્નના બંધનમાં બંધાયા હતા. જોકે બંને એકબીજાને લાંબા સમયથી ઓળખતા હતા અને ડેટ કરી રહ્યા હતા. તેમના લગ્નને લગભગ 9 વર્ષ થયા છે. જોકે, 2020થી જ તેમના સંબંધોમાં અંતરના સમાચાર આવવા લાગ્યા હતા. આ સાથે એવી પણ ચર્ચા હતી કે ત્યારથી બંને અલગ રહેતા હતા.અહેવાલો અનુસાર, આ દંપતીને સરોગસી દ્વારા એક પુત્રી પણ છે, જેનું નામ આયરા અલી છે, જો કે બંનેએ આ વિશે કંઈપણ પુષ્ટિ કરી નથી. અહેવાલો અનુસાર, બંનેના નવ મહિના પહેલા છૂટાછેડા થઈ ગયા છે અને સંજીદા શેખને પુત્રીની કસ્ટડી મળી છે. બંને તેમના જીવનમાં આગળ વધ્યા છે પરંતુ તેઓ તેમના સંબંધો વિશે ગોપનીયતા રાખવા માંગે છે તેથી તેઓએ તેમના સંબંધો વિશે વધુ જાહેરાત કરી નથી.

ટેલિવિઝન જગત પર કોરોનાનો કહેર યથાવત, ટીવી અભિનેત્રી એરિકા ફર્નાન્ડીસ બાદ હવે આ એભિનેત્રીને થયો કોરોના; જાણો વિગતે

આમિર અલીના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તેણે કેટલીક ટીવી જાહેરાતો દ્વારા તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. જોકે, તેને સિરિયલ 'FIR'થી ઓળખ મળી હતી. સંજીદા શેખના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તેણે ટીવી સિરિયલ 'ક્યા હોગા નિમ્મો કા'થી ડેબ્યૂ કર્યું હતું. અભિનેત્રીએ અત્યાર સુધી ઘણી સીરીયલ અને વેબ સીરીઝમાં કામ કર્યું છે.સંજીદા અને આમિરે સાથે ઘણા રિયાલિટી શો કર્યા છે. બંનેએ ડાન્સ રિયાલિટી શો નચ બલિયે 8 માં ભાગ લીધો હતો જ્યાં બંનેએ પોતાના ડાન્સથી બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા. બંનેની જોડી લોકોને ખૂબ પસંદ આવી હતી.

 

Dhurandhar 2| ‘ધુરંધર 2’ નો એક એવો અંત જે ફિલ્મના ડાયરેક્ટરે પણ નહીં વિચાર્યો હોય! ફેન્સના AI વીડિયોએ ખોલ્યા રહસ્યો
Shah Rukh Khan Oscar Post| કિંગ ખાન ભાવુક! ઓસ્કર ટીમનો આભાર માનતા શાહરૂખે લખ્યું ‘આજે મને ગર્વ છે’, જાણો શું છે આખી વાત
Prakash Raj Controversy Ramayana| પ્રકાશ રાજે વટાવી હદ! રામલક્ષ્મણ વિશે એવું તે શું બોલ્યા કે મચ્યો ખળભળાટ
Sukesh Chandrashekhar| મહાઠગ સુકેશ ચંદ્રશેખરને જેકલીન આપશે સૌથી મોટો ફટકો! 200 કરોડના કેસમાં સરકારી સાક્ષી બનીને ખોલશે ઠગના રહસ્યો
Exit mobile version