Site icon News Continuous Bureau | Mumbai

કોરોનાએ વધુ એક અભિનેતાનો લીધો ભોગ: સારી સારવાર માટે વડાપ્રધાન સહિતના પાસે માંગી’તી મદદ

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૦ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

સોમવાર

કોરોના વાયરસની બીજી લહેર ખુબ જ ઘાતક પુરવાર થઇ રહી છે. લાખો લોકો આ ખતરનાક વાયરસથી મરી રહ્યા છે. સ્ટાર્સ પણ આ વાયરસની ઝપેટમાં ઝડપથી આવી રહ્યા છે. ઘણા સ્ટાર્સ જીવનની લડત હારી ગયા છે. હવે યુ-ટયુબ અને ફેસબુક ઉપર લાખો ચાહકો ધરાવનારા અભિનેતા રાહુલ વોહરાનું રવિવારે કોરોનાને કારણે નિધન થયું છે. ખાસ વાત તો એ છે કે, તેણે નિધનના થોડા કલાકો પહેલાં જ ફેસબૂક પર મદદ માંગી હતી.  

બે વર્ષ પહેલા ધડાકાભેર તૂટી પડેલો મુંબઇના સીએસટી નો હિમાલય બ્રિજ પાછો બનશે. આટલા કરોડ રૂપિયા ખર્ચ થશે.

નિધનના થોડા કલાકો પહેલાં અભિનેતા રાહુલે ફેસબુક પર પોસ્ટ શેર કરીને પોતાની લાચારી વ્યક્ત કરી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, “જો મને યોગ્ય રીતે સારવાર મળી હોત તો હું બચી જાત…” રાહુલે એમ પણ લખ્યું હતું કે, “હું હવે હિંમત હારી ગયો છું. ફરીથી જન્મ લઈશ અને સારું કામ કરીશ.” આની સાથે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને ટેગ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે રાહુલે અન્ય એક પોસ્ટમાં તેનાં ઇલાજ માટે મદદ માંગી હતી. પોસ્ટમાં તેણે લખ્યું હતું કે, “હું કોવિડ પોઝિટિવ છુ અને હાલમાં હોસ્પિટલમાં દાખલ છું. આશરે 4 દિવસ થઇ ગયા છે પણ કોઇ જ રિકવરી નથી. શું કોઇ એવી હોસ્પિટલ છે? જ્યાં મને ઓક્સિજન બેડ મળી શકે. કારણ કે મારું ઓક્સીજન લેવલ સતત ઘટી રહ્યું છે અને કોઇ જોવા વાળુ નથી. હું બહુ મજબૂર થઈને આ પોસ્ટ કરી રહ્યો છું કેમ કે પરિવારજનો પરિસ્થિતિ સંભાળી શકે તેવી સ્થિતિમાં નથી.”

હવે આ રાજ્યમાં મહારાષ્ટ્રથી આવનારાઓ માટે નો એન્ટ્રી.

આપને જણાવી દઈએ કે ઉત્તરાખંડનો રાહુલ ડિજિટલ પ્લેટફોર્મ પર લોકપ્રિય ચહેરો હતો. તે નેટફ્લિક્સ સિરીઝ અનફ્રીડમમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં રાહુલએ ખૂબ જ સારું કામ કર્યું હતું. ચાહકોએ તેમની પ્રશંસા કરી હતી. 

Dhurandhar 2 OTT Release| ધુરંધરની ઓટીટી પર ફરી મચી ધૂમ, શું બનશે એવરગ્રીન મૂવી? જાણો ફિલ્મોની શેલ્ફ લાઈફ કેવી રીતે નક્કી થાય છે
Twisha Sharma Mugguru Monagallu| ટ્વિશા શર્માની ‘મુગ્ગુરુ મોનાગાલ્લુ’ સાઉથની આ સસ્પેન્સ ફિલ્મ ઓટીટી પર કેમ મચાવી રહી છે ધમાલ? જાણો વિગત
YRKKH Twist।ટીવી જગતમાં ખળભળાટ ‘યે રિશ્તા…’ માંથી અરમાનઅભિરાની એક્ઝિટ? આ બે નવા પાત્રો સાથે શરૂ થશે શોની આગામી પેઢી
Anupamaa Alka Kaushal Jail| ‘અનુપમાની ‘મોટી બા’ ની જિંદગીનો એ કાળો અધ્યાય જ્યારે સગી માતા સાથે એક્ટ્રેસ પહોંચી ગઈ જેલના સળિયા પાછળ, આ હતું કારણ
Exit mobile version