Site icon

પ્રખ્યાત ટીવી શો ‘રામાયણ’માં સીતાનો રોલ ભજવનારી અભિનેત્રી દીપિકા ચિખલિયાના માતાનું નિધન

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

12 સપ્ટેમ્બર 2020

પ્રખ્યાત ટીવી શો ‘રામાયણ’માં સીતાનો રોલ ભજવનારી અભિનેત્રી દીપિકા ચિખલિયાના માતાનું નિધન થયું છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી આ વાતની જાણકારી આપી છે. પોસ્ટમાં લખ્યું હતું કે, ‘પેરેન્ટ્સ જતા રહે તેના દુઃખમાંથી માણસ સરળતાથી પસાર થઇ શકતો નથી.’ કેપ્શનમાં લખ્યું હતું, ‘મમ, RIP.’ 55 વર્ષીય અભિનેત્રીની માતાનું નિધન કયા કારણે થયું તે હજુ જાહેર થયું નથી. ઉલ્લેખનીય છે કે અભિનેત્રી દીપિકા ચિખલિયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહેતી હોય છે અને તેના ચાહકો માટે દરરોજ કંઈક ને કંઈક પોસ્ટ કરે છે. જ્યારે રામાનંદ સાગરની 'રામાયણ' દૂરદર્શન પર ફરી એક વખત ટેલિકાસ્ટ થઈ ત્યારે દીપિકા ખૂબ ચર્ચામાં હતી.

નોંધનીય છે કે લોકડાઉન દરમ્યાન 'રામાયણ' સહિત અનેક સિરિયલ્સ રી-ટેલિકાસ્ટ કરવામાં આવી હતી. આ સિરિયલે ઘણા રેકોર્ડ બ્રેક કર્યા હતા અને સિરિયલની સ્ટારકાસ્ટ ઘણી ફેમસ થઇ હતી. તેઓ ઘણા રિયાલિટી શોમાં સામેલ થતા હતા અને શો સાથે જોડાયેલા રસપ્રદ કિસ્સા શેર કરતા હતા.

The Family Man 3: ‘ધ ફેમિલી મેન 3’માં શ્રીકાંત તિવારી બનશે ‘મોસ્ટ વૉન્ટેડ’! સમય રૈના અને અપૂર્વા મુખર્જીની મજેદાર સલાહ વાયરલ
Dharmendra: ધર્મેન્દ્રને મળવા શાહરુખ-સલમાન હોસ્પિટલ પહોંચ્યા, છતાં કેમ ન થઈ મુલાકાત? જાણો મોટું કારણ
Sunny Deol Hema Malini Relation: સંબંધોનું રહસ્ય,સની અને બોબી દેઓલ હેમા માલિનીને ‘મમ્મી’ કેમ નથી બોલાવતા? જાણો કયા નામથી સંબોધે છે!
Anupama: ‘અનુપમા’માં રાહી અને પ્રેમ નો શરૂ થશે રોમેન્ટિક ટ્રેક તો બીજી તરફ રાજા અને પરી વચ્ચે વધશે તણાવ
Exit mobile version