Site icon News Continuous Bureau | Mumbai

ફિલ્મ આદિપુરુષના ડાયલોગથી ‘કુંભકર્ણ’ પણ થયો દુઃખી, અભિનેતા લવી પજની એ કહી આ વાત

જ્યારથી ફિલ્મ આદિપુરુષનું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી આ ફિલ્મ વિવાદોમાં ઘેરાયેલી છે. તે સમયે ફિલ્મના વીએફએક્સની મજાક ઉડાવવામાં આવી હતી અને ફિલ્મના ડાયલોગ રિલીઝ થયા બાદથી જ વિવાદમાં છે.

adipursh controversy lavi pajni aka kumbhakarna of the film unhappy with dialogue

ફિલ્મ આદિપુરુષના ડાયલોગથી 'કુંભકર્ણ' પણ થયો દુઃખી, અભિનેતા લવી પજની એ કહી આ વાત

News Continuous Bureau | Mumbai

જ્યારથી ફિલ્મ આદિપુરુષ રિલીઝ થઈ છે ત્યારથી આ ફિલ્મ ખૂબ જ વિવાદોમાં રહી છે. ફિલ્મના ડાયલોગ્સની ખૂબ ટીકા થઈ રહી છે. દરમિયાન હવે ફિલ્મમાં કુંભકર્ણનું પાત્ર ભજવનાર લવી પજની ની પ્રતિક્રિયા આવી છે. તેણે ફિલ્મના ડાયલોગ્સની પણ ટીકા કરી છે. તેણે કહ્યું કે ફિલ્મ નોન લાઈનર રીતે શૂટ કરવામાં આવી હોવાથી, કલાકારોને ચોક્કસ પટકથા અને તે સ્ક્રીન પર કેવી રીતે બતાવવામાં આવશે તેની જાણ ન હતી. એક મીડિયા હાઉસ સાથે વાત કરતા લવીએ કહ્યું, ‘જ્યાં સુધી સંવાદોની વાત છે, હું અન્ય લોકોની જેમ તેનો વિરોધ કરું છું કારણ કે હું પણ હિંદુ છું.’

Join Our WhatsApp Channel

 

આદિપુરુષ ના ડાયલોગ વિશે લવી પજની એ આપી પ્રતિક્રિયા 

લવીએ કહ્યું, ‘દિગ્દર્શક અમને જે પણ નિર્દેશિત કરે, તમારે તે કરવું પડે છે. કેમકે તમે કરાર હેઠળ છો. તે સમયે જે ફિલ્મ બને છે તે ભાગોમાં બનાવવામાં આવે છે અને કોઈને ખબર નથી હોતી કે સ્ક્રીન પર શું જશે, પછી તેની પટકથા શું હશે.’જ્યારે ફિલ્મનું શૂટિંગ થાય છે, ત્યારે કલાકારો તમામ વિવાદોથી અજાણ રહે છે. જો કે ફિલ્મના વિવાદાસ્પદ સંવાદો હવે હટાવી દેવામાં આવ્યા છે, પરંતુ હિંદુ હોવાના કારણે મને પણ દુઃખ થયું છે.’ લવી પજની હિન્દી અને પંજાબી ફિલ્મોના જાણીતા અભિનેતા છે, જેમણે ‘આદિપુરુષ’માં ‘કુંભકર્ણ’ અને ‘બાહુબલી 2’માં ‘કાલક્ય’ની ભૂમિકા ભજવી છે. ‘આદિપુરુષ’માં ‘કુંભકર્ણ’ની ભૂમિકા ભજવવા માટે તેણે ખાસ ડાયટ ફોલો કરીને પોતાનું વજન વધાર્યું હતું. તેણે આ ફિલ્મ માટે 6-7 કિલો વજન વધાર્યું હતું, ત્યારબાદ તે 142 કિલો થઈ ગયું.

 

આદિપુરુષ પર વિવાદ

અત્યારે આ ડાયલોગ્સ એડિટ કર્યા બાદ સિનેમાઘરોમાં બતાવવામાં આવી રહ્યા છે, પરંતુ આટલા વિવાદો બાદ ફિલ્મ જોવા માટે બહુ ઓછા દર્શકો આવી રહ્યા છે. સાથે જ મનોજની મુશ્કેલીઓ પણ વધી રહી છે. અલ્હાબાદ હાઈકોર્ટે તેની સામે નોટિસ જારી કરી છે. હાઈકોર્ટે કેન્દ્રને એ પણ પૂછ્યું છે કે સિનેમેટોગ્રાફ એક્ટ 1952 હેઠળ શું પગલાં લેવા જોઈએ. અગાઉ કોર્ટે સેન્સર બોર્ડને પૂછ્યું હતું કે તેઓ શું કરે છે? તેઓ આવનારી પેઢીને શું શીખવવા માગે છે? કોર્ટે નિર્દેશક, નિર્માતા અને અન્યની ગેરહાજરી અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : ‘આદિપુરુષ’ વિવાદ વચ્ચે ટીવી પર ફરી પ્રસારિત થશે ‘રામાયણ’, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો તમારી મનપસંદ સિરિયલ

Anupamaa Serial Spoiler Alert ‘અનુપમા’ સીરિયલમાં આવશે મોટો ભૂકંપ, અંશ અને પ્રેરણાની લવ સ્ટોરીમાં થશે નવી વિલનની એન્ટ્રી
Indias Got Latent 2 BTS Video સમય રૈનાએ આલિયા ભટ્ટ અને શરવરીને આપી ખાસ ભેટ, ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ ૨’ ના બીટીએસ વીડિયોમાં કલાકારોએ કરી મસ્તી
Anushka Sen Korean Movie Jeju Olle અનુષ્કા સેને રચી દીધો ઇતિહાસ! સાઉથ કોરિયન ફિલ્મ ‘જેજુ ઓલે’માં મુખ્ય ભૂમિકા ભજવનારી બની દેશની પહેલી અભિનેત્રી
Shraddha Kapoor Movie Eetha Teaser ડાયલોગ એવો કે ફેન્સ ક્રેઝી થયા! શ્રદ્ધા કપૂરની નવી ફિલ્મ ‘ઈથા’ ના ટીઝરે ઇન્ટરનેટ પર લગાવી આગ
Exit mobile version