Site icon

નથી અટકી રહ્યો ‘આદિપુરુષ’ નો વિવાદ, ફિલ્મને લઈને નેપાળમાં થયો હંગામો, કાઠમંડુ પછી બીજા શહેર માં પણ હિન્દી ફિલ્મો પર લાગ્યો પ્રતિબંધ

નેપાળના પોખરા શહેરમાં આદિપુરુષની સાથે અન્ય હિન્દી ફિલ્મોના પ્રદર્શન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ફિલ્મના એક ડાયલોગને લઈને હોબાળો થયો છે અને નેપાળ ઉપરાંત ભારતમાં તેને હટાવવાની માંગ કરવામાં આવી રહી છે

adipurush controversy banned all hindi films in kathmandu and pokhara

નથી અટકી રહ્યો 'આદિપુરુષ' નો વિવાદ, ફિલ્મને લઈને નેપાળમાં થયો હંગામો, કાઠમંડુ પછી બીજા શહેર માં પણ હિન્દી ફિલ્મો પર લાગ્યો પ્રતિબંધ

News Continuous Bureau | Mumbai

‘આદિપુરુષ’ને લઈને માત્ર ભારતમાં જ નહીં, પરંતુ પાડોશી દેશ નેપાળમાં પણ વિવાદ થયો છે. ફિલ્મમાં સીતાને ‘ભારત ની પુત્રી’ કહેવા પર વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે. કાઠમંડુના મેયર બલેન શાહે જ્યાં સુધી ફિલ્મમાંથી ડાયલોગ હટાવવામાં ન આવે ત્યાં સુધી તમામ ભારતીય ફિલ્મો પર પ્રતિબંધ મૂક્યો હતો. કાઠમંડુમાં 17 હિન્દી ફિલ્મો પ્રદર્શિત થઈ હતી, જેની સ્ક્રીનિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે આ સાથે નેપાળના અન્ય પ્રવાસી શહેર પોખરામાં હિન્દી ફિલ્મો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ‘આદિપુરુષ’ પ્રત્યેનો ક્રોધ વધી રહ્યો છે. પરિણામ એ છે કે અન્ય ફિલ્મો પણ આનો ભોગ બની રહી છે.

Join Our WhatsApp Community

 

કાઠમંડુ બાદ હવે પોખરા માં પણ લાગ્યો ફિલ્મ આદિપુરુષ પર પ્રતિબંધ 

કાઠમંડુના મેયરે જાહેરાત કરી હતી કે જ્યાં સુધી ‘આદિપુરુષ’માં ‘જાનકી ભારત કી બેટી હૈ’નો ડાયલોગ હટાવી ન લેવાય ત્યાં સુધી કોઈ પણ હિન્દી ફિલ્મને ચાલવા દેવામાં આવશે નહીં. નેપાળની સાથે ભારતમાં પણ આ સંવાદ હટાવવાની માંગ કરવામાં આવી હતી. કાઠમંડુ પછી પોખરામાં જાહેરાત કરવામાં આવી હતી કે ‘આદિપુરુષ’નું સ્ક્રીનિંગ સોમવારે મોકૂફ રાખવામાં આવશે. પોખરાના મેયર ધનરાજ આચાર્યએ પુષ્ટિ કરી છે કે વિવાદને કારણે ફિલ્મને પ્રદર્શિત કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.’આદિપુરુષ’ના ડાયલોગ રાઈટર મનોજ મુન્તાશીરે જણાવ્યું હતું કે મેકર્સે ફિલ્મમાંથી કેટલાક ડાયલોગ હટાવવાનો નિર્ણય કર્યો છે. 

 

 નેપાળ માં જન્મી હતી માતા સીતા 

પૌરાણિક કથાઓ અનુસાર સીતાનો જન્મ નેપાળના જનકપુરમાં થયો હતો. એવું માનવામાં આવે છે કે આ તે સ્થાન છે જ્યાં ભગવાન રામે શિવનું ધનુષ્ય તોડીને સીતા સાથે લગ્ન કર્યા હતા.નેપાળમાં 80 ટકા હિંદુઓ રહે છે. મોટી વસ્તી માને છે કે સીતાનો જન્મ નેપાળના જનકપુરમાં થયો હતો, જે રાજા જનક હેઠળ મિથિલા રાજ્યનો ભાગ હતો. સીતાને જાનકી નામ આપવામાં આવ્યું હતું કારણ કે તેણીને રાજા જનક દ્વારા દત્તક લેવામાં આવી હતી અને તેનો ઉછેર થયો હતો.જનકપુરમાં સીતાને સમર્પિત જાનકી મંદિર છે. 2018 માં નેપાળની તેમની સત્તાવાર મુલાકાત દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાનકી મંદિરની મુલાકાત લીધી હતી અને અયોધ્યા-જનકપુર બસ સેવાનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.

આ સમાચાર પણ વાંચો: નેપાળ બાદ ભારત ના આ રાજ્યમાં લાગી શકે છે ‘આદિપુરુષ’ પર પ્રતિબંધ! સીએમએ કરી ફિલ્મની ટીકા

Rhea Chakraborty: “7 વર્ષ વીતી ગયા…” સેટ પર પરત ફરીને રિયા ચક્રવર્તી થઈ ગઈ ભાવુક; સોશિયલ મીડિયા પર શેર કર્યો હૃદયસ્પર્શી વીડિયો
Ghooskhor Pandat Controversy:કાયદાકીય મુસીબતમાં ‘ઘૂસખોર પંડિત’: સંતોના આકરા વલણ બાદ ફિલ્મ પર સંકટ, પીએમ મોદી સમક્ષ પ્રતિબંધની રજૂઆત
Dhurandhar 2 Teaser: રણવીર સિંહનો સ્વેગ અને ડોજા કેટનો અવાજ: ‘ધુરંધર 2’ ના ટીઝરના બેકગ્રાઉન્ડ મ્યુઝિકે મચાવ્યો ખળભળાટ; જાણો ‘AAAHH MEN’ ની ખાસ વાતો
Vadh 2 Review: ‘વધ’ કરતા પણ વધુ ખતરનાક નીકળી ‘વધ 2’, સંજય મિશ્રા અને નીના ગુપ્તાની એક્ટિંગ તમને ચોંકાવી દેશે
Exit mobile version