Site icon News Continuous Bureau | Mumbai

ઉદિત નારાયણ ના ગાયક સુપુત્ર આદિત્ય આ તારીખે ખાસ લોકોની હાજરીમાં મંદિરમાં કરશે લગ્ન..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Channel

27 નવેમ્બર 2020

બોલિવૂડના પ્રસિદ્ધ પ્લેબેક સિંગર ઉદિત નારાયણનો પુત્ર આદિત્ય નારાયણ લગ્નના પવિત્ર બંધનમાં બંધાવવા જઇ રહ્યો છે. તાજેતરમાં જ આદિત્યએ મંગેતર સાથેની પહેલી તસવીર શેર કરીને જણાવ્યું હતું કે, તે લાંબા સમયથી અભિનેત્રી શ્વેતા અગ્રવાલને ડેટ કરી રહ્યો હતો. જે બાદ જ આદિત્યની રોકાની તસવીર સામે આવી હતી. હવે આદિત્યના લગ્નની તારીખ પણ જાહેર થઇ છે.

આપને જણાવી દઈએ કે આદિત્ય નારાયણ તથા શ્વેતા અગ્રવાલની રોકા સેરેમની આ મહિનાની શરૂઆતમાં થઈ હતી.

એક અહેવાલ મુજબ આદિત્ય નારાયણે કહ્યું હતું કે અમે પહેલી ડિસેમ્બરના રોજ લગ્ન કરવાના છીએ. કોરોનાને કારણે અમે માત્ર નજીકના પરિવારના સદસ્ય તથા કેટલાક મિત્રોને બોલાવીશું. મહારાષ્ટ્રમાં લગ્નમાં 50થી વધુ લોકોને આમંત્રણ આપવાની મંજૂરી ન હોવાથી અમે મંદિરમાં લગ્ન કરીશું અને પછી નાનકડું રિસેપ્શન પણ કરીશું.

 

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ આદિત્ય નારાયણે સોશિયલ મીડિયામાં પોતાના લગ્નની વાત કરતાં કહ્યું હતું કે, અમે લગ્ન કરવાના છીએ. હું નસીબદાર છું કે મને શ્વેતા મળી. મારી સાથી, 11 વર્ષ અગાઉ અને હવે અમે આખરે ડિસેમ્બરમાં લગ્ન કરવા જઈ રહ્યાં છીએ. 

Krishnavataram Part 1 Box Office| ‘ક્રિષ્નાવતારમ પાર્ટ 1’ નો બોક્સ ઓફિસ પર ધમાકો મોટા સ્ટાર્સ વગરની આ ફિલ્મે ૫ દિવસમાં કરી કરોડોની કમાણી
Cannes 2026| ઐશ્વર્યા આઉટ, આલિયા ઈન! ગ્લોબલ બ્રાન્ડના ફેસ તરીકે આલિયા ભટ્ટે લીધી ઐશ્વર્યા રાયની જગ્યા? વાયરલ વીડિયોએ મચાવ્યો ખળભળાટ
Lakadbaggha 2| અંશુમન ઝાની ફિલ્મ રચશે ઇતિહાસ! કાન્સમાં બતાવાશે ભારતઈન્ડોનેશિયાના સહયોગથી બનેલી આ સિક્વલ; જાણો શું છે ખાસ?
Aryan Khan D’YAVOL Brand। શું તમે જાણો છો આર્યન ખાનની બ્રાન્ડની એક બોટલનો ભાવ? સામાન્ય માણસના બજેટની બહાર છે આ કિંમત; સ્ટાર કિડના બિઝનેસ મોડલની જોરદાર ચર્ચા
Exit mobile version