Site icon News Continuous Bureau | Mumbai

ત્રીજો નેશનલ એવોર્ડ જીતવા પર અજય દેવગને કહી આ વાત-અભિનેતા સૂર્યા ને પણ પાઠવ્યા અભિનંદન

News Continuous Bureau | Mumbai

નેશનલ ફિલ્મ એવોર્ડ 2022ની (National film award)જાહેરાત કરવામાં આવી છે. અજય દેવગનને ફિલ્મ 'તાન્હાજીઃ ધ અનસંગ વોરિયર' માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ(best actor award) મળ્યો હતો. તેની સાથે સાઉથ સ્ટાર સૂર્યા ને ફિલ્મ 'સૂરરાઈ પોત્રુ' (surarai potru)માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ ત્રીજી વખત છે જ્યારે અજય દેવગનને નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો છે. આ પહેલા તેને ફિલ્મ 'ઝખ્મ' અને 'ધ લિજેન્ડ ઓફ ભગત સિંહ' માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. અજય દેવગન આ સન્માન મેળવીને ખૂબ જ ખુશ છે અને હવે તેણે આ અંગે પોતાની પ્રતિક્રિયા(reaction) આપી છે.

Join Our WhatsApp Channel

અજય દેવગણે અભિનેતા સૂર્યા ને પણ અભિનંદન(congratulate) પાઠવ્યા હતા. તેણે તેના ચાહકો માટે ખુશી વ્યક્ત કરી અને ફિલ્મના તમામ ચાહકો, ટીમ અને પરિવારનો આભાર માન્યો. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીતવા(national award winner) પર અજય દેવગણે કહ્યું, "તાન્હાજી માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીતવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું, જે મેં સુર્યા સાથે જીત્યો હતો અને તેને સૂરરાય પોત્રુ માટે એવોર્ડ મળ્યો હતો."અજય દેવગને વધુમાં કહ્યું, 'હું દરેકનો આભાર માનું છું, સૌથી વધુ મારી ક્રિએટિવ ટીમ, પ્રેક્ષકો અને મારા ચાહકોનો. હું મારા માતા-પિતા અને તેમના માટે આશીર્વાદ માટે સર્વશક્તિમાનનો પણ આભાર વ્યક્ત કરું છું. તમામ વિજેતાઓને અભિનંદન.''તાનાજીઃ ધ અનસંગ વોરિયર'ને બેસ્ટ પોપ્યુલર ફિલ્મનો એવોર્ડ પણ મળ્યો હતો. તેણે કહ્યું, 'તાનાજી વાસ્તવમાં મિત્રતા, વફાદારી, પારિવારિક મૂલ્યો અને બલિદાનની સારી વાર્તા છે. તે મજબૂત રાષ્ટ્રીય લાગણીઓ, સુપર VFX અને મનોરંજન માટે બધું ધરાવે છે.આ માટે  હું આ મારા દિગ્દર્શક ઓમ રાઉત, મારા સહ-નિર્માતા ટીસીરીઝ અને મારા સહ કલાકારો સાથે શેર કરું. હું અમારી રચનાત્મક ટીમનો આભાર માનું છું જેણે તેને બ્લોકબસ્ટર અને હવે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા બનાવવા માટે સારું યોગદાન આપ્યું.

આ સમાચાર પણ વાંચો : સાઉથ સુપરસ્ટાર વિજય દેવરકોંડાની બૉલિવૂડમાં ધમાકેદાર એન્ટ્રી- લાઇગર ફિલ્મનું ટ્રેલર થયું રિલીઝ- જોવા મળ્યો એક્શન અવતાર- જુઓ ટ્રેલર

'તાન્હાજી'માં (Tanhaji)અજય દેવગનની સાથે સૈફ અલી ખાન અને કાજોલ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મનું નિર્દેશન ઓમ રાઉતે કર્યું હતું. તેની વાર્તા મરાઠા યોદ્ધા તાનાજી પર આધારિત છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 368 કરોડની કમાણી કરી હતી.

Naagin 7 Finale Episode। ‘નાગિન ૭’ નો ક્લાઈમેક્સ લાવશે રૂંવાડા ઉભા કરી દે તેવો રોમાંચ, ફિનાલેમાં થશે આ ૩ દિગ્ગજ એક્ટ્રેસની વાપસી!
Drishyam 3 Tabu Return। વિજય સાલગાંવકરને ફસાવવા ફરી આવશે આઈજી મીરા દેશમુખ? ‘દ્રશ્યમ 3’ પર ડાયરેક્ટરે કર્યો મોટો ખુલાસો
Mouni Roy Divorce Update| સૂરજ નાંબિયારે જણાવ્યું સંબંધોનું અસલી સત્ય, દિશા પટનીને લઈને કહી આ ચોંકાવનારી વાત
Ankita Lokhande Gau Seva। ગ્લેમર લાઈફ છોડી ગૌસેવામાં લીન થઈ અંકિતા લોખંડે! બિઝનેસમેન પતિ સાથે આશ્રમમાં ઉપાડ્યું ગાયનું છાણ, વિડિયો વાયરલ
Exit mobile version