Site icon News Continuous Bureau | Mumbai

અક્ષય કુમારે કેનેડિયન નાગરિકતા પર તોડ્યું મૌન, ભારતીય પાસપોર્ટ ને લઇ ને કહી આવી વાત

 News Continuous Bureau | Mumbai

અક્ષય કુમારે ભૂતકાળમાં ઘણા સવાલોના જવાબ આપ્યા છે. અક્ષય કુમાર (Akshay Kumar) માટે આ વર્ષ સારું રહ્યું નથી. તેની ઘણી ફિલ્મો બોક્સ ઓફિસ પર ખરાબ રીતે નિષ્ફળ રહી છે. અક્ષય કુમારની બે મોટી ફિલ્મો ‘સમ્રાટ પૃથ્વીરાજ’ (Samrat Prithviraj) અને ‘રામ સેતુ’થી (Ram setu) અક્ષય કુમારની અપેક્ષાઓ પણ હવે તૂટી ગઈ છે. અક્ષય કુમાર પણ આ વાતને લઈને ઘણો નારાજ છે કારણ કે તેની ઘણી ફિલ્મો બોક્સ ઓફિસ (box office) પર સારી કમાણી નથી કરી રહી. આવી સ્થિતિમાં હાલમાં જ અક્ષય કુમાર એક્ટર રામ ચરણ સાથે એક ઈવેન્ટમાં જોવા મળ્યો હતો અને તેણે ઘણા સવાલોના જવાબ આપ્યા હતા. જ્યારે તેની ફિલ્મો વિશે પૂછપરછ કરવામાં આવી હતી, ત્યારે તેની પાસેથી કેનેડાની નાગરિકતા (canadian citizenship) અંગે પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. તો ચાલો જાણીયે કે અક્ષય કુમારે કેનેડાની નાગરિકતા વિશે શું કહ્યું.

Join Our WhatsApp Channel

અક્ષય કુમાર કેનેડાની નાગરિકતા માટે ઘણી વખત ટ્રોલ (troll) થઈ ચૂક્યો છે. ઘણી વખત આ કારણોસર તેની ફિલ્મોનો બહિષ્કાર (boycott) પણ કરવામાં આવ્યો છે. તેની તાજેતરની ફિલ્મ ‘રક્ષાબંધન’ (Rakshabandhan) વખતે પણ આ વાત સામે આવી હતી. અક્ષય કુમાર પણ સમયાંતરે આના પર જવાબો આપી રહ્યા છે, પરંતુ ફરી એકવાર અક્ષય કુમારે ખુલ્લેઆમ પોતાનો વિચાર વ્યક્ત કર્યો છે. 2019 માં એક સમિટમાં અક્ષયે કહ્યું હતું કે તે ટૂંક સમયમાં ભારતીય પાસપોર્ટ (Indian passport) માટે અરજી કરવા જઈ રહ્યો છે.હવે 2022ના એક ઇવેન્ટ માં તેણે જણાવ્યું કે તેણે પાસપોર્ટ માટે અરજી કરી હતી પરંતુ કોવિડને(Corona) કારણે તેમાં વિલંબ થયો છે. અક્ષય કુમારે કહ્યું, “કેનેડિયન પાસપોર્ટ (canadian passport) રાખવાથી હું ઓછો ભારતીય (Indian) નથી. હું પણ ભારતીય છું. હા મેં આ માટે 2019 માં અરજી કરી હતી. પછી કોરોના આવ્યો. બે-અઢી વર્ષ બધું બંધ થઈ ગયું. મને આશા છે કે મારો પાસપોર્ટ જલ્દી મળી જશે. હવે વિલંબ થયો તેના માટે હું શું કરું, હું થોડો રોગચાળો (corona) લાવ્યો છું.

આ સમાચાર પણ વાંચો:  શું સાનિયા મિર્ઝા અને શોએબ મલિક ના અલગ થવાના સમાચાર હતા માત્ર પબ્લિસિટી સ્ટન્ટ-આ પોસ્ટે લોકો ને કર્યા વિચારવા પર મજબૂર

આ સિવાય અક્ષય કુમારે ફિલ્મો વિશે વાત કરતા કહ્યું કે જો તે વર્ષમાં પાંચ ફિલ્મો કરે છે તો તેમાં વાંધો કેમ છે. ‘હું વર્ષમાં ચાર ફિલ્મો કરું છું, જાહેરાતો (advertise) પણ કરું છું. હું કામ કરું છું, ચોરી કરતો નથી. મને સમજાતું નથી કે લોકો મને કેમ કહે છે કે તમે સવારે વહેલા કેમ ઉઠો છો, જ્યારે સવાર માત્ર ઉઠવા માટે હોય છે. હું સમજી શકતો નથી કે હું શું ખોટું કરી રહ્યો છું. હું કામ કરીશ. જો કોઈ ફિલ્મને 50 દિવસની જરૂર હશે ત્યારે પણ અને કોઈ ફિલ્મ ને 90 દિવસની જરૂર હશે ત્યારે પણ.’

 

TMKOC Dayaben Comeback Update ‘તારક મહેતા…’ શોને ૧૮ વર્ષ પૂરા થવા પર યોજાઈ ગ્રાન્ડ પાર્ટી, દયાબેનના કમબેક પર દિલીપ જોશીએ આપી આવી પ્રતિક્રિયા
Supreme Court pellet gun notice સુપ્રીમ કોર્ટમાં પેલેટ ગન પર સુનાવણી, હથિયારના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની અરજી સંદર્ભે કેન્દ્રને નોટિસ. .
Ramayana Part 1 Trailer Release Review બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું ‘રામાયણ પાર્ટ 1’ નું ભવ્ય ટ્રેલર, જુઓ રામના રોલમાં રણબીર કપૂરનો દમદાર અંદાજ
Public Examination Reforms Bill Rajya Sabha જાહેર પરીક્ષા સુધારણા વિધેયક આજે રાજ્યસભામાં રજૂ કરાશે, ગઈકાલે લોકસભામાં મળી મંજૂરી
Exit mobile version