Site icon News Continuous Bureau | Mumbai

બાબા ભોલેનાથ ની ભક્તિમાં તલ્લીન જોવા મળ્યો અક્ષય કુમાર, કેદારનાથ બાદ ઉત્તરાખંડ ના આ ધામ માં નમાવ્યું શીશ

બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર વિશ્વ પ્રસિદ્ધ જાગેશ્વર ધામ પહોચ્યો હતો. જ્યાં તેણે વિધિ-વિધાનથી પૂજા કરી હતી. તે પછી તે બદ્રીનાથ ધામ પણ પહુચ્યો અને ભગવાન જગન્નાથના દર્શન કર્યા.

akshay kumar reached jageshwar dham and badrinath for seek blessings of lord shiva

બાબા ભોલેનાથ ની ભક્તિમાં તલ્લીન જોવા મળ્યો અક્ષય કુમાર, કેદારનાથ બાદ ઉત્તરાખંડ ના આ ધામ માં નમાવ્યું શીશ

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર તાજેતરમાં જ બાબા કેદારનાથ ધામ પહોંચ્યો હતો. જ્યાં તેણે ભોલેનાથના દર્શન કર્યા હતા. હવે રવિવારે સવારે અભિનેતા અલ્મોડાના પ્રખ્યાત જાગેશ્વર ધામ પહોંચ્યો હતો. આ પછી તે દર્શન માટે બદ્રીનાથ ધામ પહોચ્યો. અહીં જ્યોતિર્લિંગ જગન્નાથના દર્શન કર્યા પછી, તેણે બદ્રી વિશાલના દ્વાર પર પ્રણામ કર્યા અને વિધિ અને નિયમો અનુસાર પૂજા કરી. તેના આગમનની માહિતી મળતા જ પોલીસ-પ્રશાસનની ટીમ પહોંચી ગઈ હતી. અક્ષયની એક ઝલક મેળવવા માટે સ્થાનિક લોકોની ભીડ ઉમટી પડી હતી.

Join Our WhatsApp Channel

 

જાગેશ્વર ધામ પહોચ્યો અક્ષય કુમાર 

જાગેશ્વર ધામને 12 જ્યોતિર્લિંગ માંથી આઠમું જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. તે અલ્મોડા થી લગભગ 35 કિલોમીટરના અંતરે આવેલું છે. જ્યાં લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા પહોંચે છે. બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર પણ બાબાના દર્શન કરવા માટે રવિવારે સવારે 6:30 વાગ્યે વિશ્વ પ્રસિદ્ધ જાગેશ્વર ધામ પહોંચ્યો હતો. જ્યાંથી તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જાગેશ્વર ધામની મુલાકાત લીધા બાદ અક્ષય કુમારે કહ્યું કે જાગેશ્વર ધામ અલૌકિક છે. હર હર મહાદેવનો જયજયકાર કરતાં તેણે કહ્યું કે ઉત્તરાખંડને એમ જ  દેવભૂમિ નથી કહેવામાં આવતી. આ પછી અક્ષય કુમાર અહીં બદ્રીનાથ ધામની મુલાકાતે આવ્યો હતો. જ્યાં તેણે બદ્રીનાથની પૂજા કરી હતી.

ઉત્તરાખંડ માં છે અક્ષય કુમાર 

ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમાર છેલ્લા ઘણા દિવસોથી ઉત્તરાખંડમાં છે. આ પહેલા તે બાબા કેદારના દર્શન કરવા પહોંચ્યો હતો. વાસ્તવમાં, અભિનેતા આ દિવસોમાં તેની આગામી ફિલ્મના શૂટિંગ માટે ઉત્તરાખંડ આવ્યો છે. જ્યાં તે શૂટિંગની વચ્ચે બાબા ભોલેનાથના દર્શન કરવા આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો: વીર સાવરકર માટે રણદીપ હુડ્ડાએ આ ડાયટ ફોલો કરી ને 4 મહિનામાં ઘટાડ્યું 26 કિલો વજન!

The India Story Kajal Shreyas ફિલ્મ ‘ધ ઇન્ડિયા સ્ટોરી’ માટે કાજલ અગ્રવાલ અને શ્રેયસ તલપડેએ IAS તુકારામ મુંઢે સાથે કરી મુલાકાત
Salman Khan Maatrubhumi Release ‘માતૃભૂમિ’ પર મેકર્સનો મોટો ખુલાસો ૨૦૨૭માં નહીં પરંતુ મે ૨૦૨૬માં જ સલમાન ખાન મોટા પડદે મચાવશે ધમાલ
Ranbir Kapoor Ramayan Release Date રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ સામે આવી, બોક્સ ઓફિસ પર ‘ગોડઝિલા’ સાથે થશે મહાટક્કર
Lock Upp 2 Hina Khan Shilpa Shinde ‘લોક અપ ૨’માં હિના ખાન્ ની ધમાકેદાર એન્ટ્રી શિલ્પા શિંદે સાથે થશે આમને સામને ટક્કર
Exit mobile version