Site icon

Akshay Kumar: બોલિવૂડ ના આ સુપરસ્ટાર ની ફિલ્મ ને કારણે થયા હતા અક્ષય અને ટ્વિંકલ ના લગ્ન, ખિલાડી કુમારે કર્યો ખુલાસો

Akshay Kumar: અક્ષય કુમારે તાજેતર માં એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને ખુલાસો કર્યો કે કેવી રીતે થયા હતા ટ્વિંકલ અને તેના લગ્ન

Akshay Kumar Thanks Aamir Khan for His Marriage

Akshay Kumar Thanks Aamir Khan for His Marriage

News Continuous Bureau | Mumbai

Akshay Kumar: બોલીવૂડના ‘ખિલાડી’ અક્ષય કુમાર એ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે તેની પત્ની ટ્વિંકલ ખન્ના સાથે લગ્ન માટે આમિર ખાન ની ફિલ્મ ‘મેળા’ નું ફ્લોપ થવું કારણ બન્યું. અક્ષયે કહ્યું કે “જ્યારે ‘મેળા’ રિલીઝ થવાની હતી, ત્યારે અમારું અફેર ચાલતું હતું. મેં ટ્વિંકલને લગ્ન માટે કહ્યું, તો તેણે જવાબ આપ્યો કે ‘મેળા’ નહીં ચાલે તો જ હું લગ્ન કરીશ.”

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Deepika Padukone: ‘કલ્કી 2’માંથી બહાર થયા પછી દીપિકા પાદુકોણે કરી મોટી જાહેરાત, જાણો અભિનેત્રી એ શું કહ્યું

‘મેળા’ના ફ્લોપ થવાથી મળ્યું પ્રેમ નું પરિણામ

‘મેળા’ ફિલ્મમાં આમિર અને તેના ભાઈ ફૈઝલ ખાન હતા, અને ડિરેક્ટર ધર્મેશ દર્શન હતા. બધાને લાગ્યું કે ફિલ્મ હિટ થશે, પણ તે ફ્લોપ થઈ. અક્ષયે મજાકમાં કહ્યું, “સોરી આમિર સાહેબ, તમારી ફિલ્મ નહીં ચાલી, પણ મારા લગ્ન થઈ ગયા.” અક્ષયે કહ્યું કે “ટ્વિંકલ પાસે કોઈ ફિલ્ટર નથી. જે મનમાં આવે તે સીધું બોલી દે છે.” તેણે એક કિસ્સો પણ શેર કર્યો કે “એક ફિલ્મના ટ્રાયલ શોમાં ટ્વિંકલને પૂછવામાં આવ્યું કે ફિલ્મ કેવી લાગી? તો તેણે કહ્યું – ‘બકવાસ છે!’”


અક્ષય અને ટ્વિંકલ ના લગ્ન 17 જાન્યુઆરી 2001ના રોજ એક ઇન્ટિમેટ સેરેમનીમાં થયા હતા. 2002માં પુત્ર આરવ અને 2012માં પુત્રી નિતારા નો જન્મ થયો. ટ્વિંકલ ફિલ્મી પૃષ્ઠભૂમિમાંથી આવે છે — તેમના પિતા રાજેશ ખન્ના અને માતા ડિમ્પલ કપાડિયા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rajat Bedi in Don 3: ‘ડોન ૩’ કાસ્ટિંગ અપડેટ: રજત બેદી ની થઇ ફરહાન અખ્તર ની ફિલ્મ માં એન્ટ્રી! આ અભિનેતા નું લઇ શકે છે સ્થાન
Dhurandhar Box Office Record: બોક્સ ઓફિસનો નવો ‘ધુરંધર’: 28 દિવસથી કમાણીમાં સુનામી, બાહુબલી અને પઠાણના રેકોર્ડ્સ પણ જોખમમાં!
Dhurandhar Controversy: બોક્સ ઓફિસ હલાવનાર ‘ધુરંધર’ માં ફેરફારના અહેવાલથી ખળભળાટ: જાણો કેન્દ્ર સરકારે શું આપ્યો જવાબ
KBC 17: અમિતાભ બચ્ચનના ઘરે કેવું હોય છે વાતાવરણ? પૌત્ર અગસ્ત્ય નંદાએ ખોલ્યા ‘નાના-નાની’ ના રહસ્યો!
Exit mobile version