Site icon

આલિયા ભટ્ટ ફરી આવી વિવાદમાં : સામાન્ય જ્ઞાન તો જાણે નથી જ, પણ ભારતના રીતિ-રિવાજ પર આંગળી ઉઠાવી.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 24 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

તાજેતરમાં બૉલિવુડના બિગ બી અમિતાભ બચ્ચને કમલા પસંદની જાહેરાત માટે કામ કર્યું હતું. એના વિશે યુઝર્સે ઘણા સવાલો ઉઠાવ્યા હતા. આ અંગેનો વિવાદ હજુ પણ ચાલુ છે, મામલો એટલો પણ ઠંડો નહોતો થયો કે હવે બીજી એક જાહેરાત સામે આવી છે. એમાં આલિયા ભટ્ટ દુલ્હન તરીકે જોવા મળી રહી છે, પરંતુ આ જાહેરાત પર પણ વિવાદ છે. યુઝર્સનું કહેવું છે કે ફિલ્મ નિર્માતાઓ માત્ર હિન્દુ રિવાજોનું અપમાન કેમ કરે છે.

આલિયા ભટ્ટની આ જાહેરાત માન્યવરની છે. આ જાહેરાતમાં આલિયા ભટ્ટ દુલ્હનના રૂપમાં જોવા મળી રહી છે અને કન્યાદાનની પરંપરા બતાવવામાં આવી છે, જેના પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. કન્યાદાનને બદલે ‘કન્યામાન’ની માગણી કરવામાં આવી છે. હિન્દુ સંસ્કૃતિમાં કન્યાદાનને સૌથી મોટું દાન માનવામાં આવે છે. સોશિયલ મીડિયા પર આ જાહેરાત જોતાં જ લોકો ગુસ્સે ભરાયા. લોકોએ આ જાહેરાતને નકલી નારીવાદ ગણાવી છે.

કન્યાદાન એટલે છોકરીનું દાન કરવું, જ્યારે દરેક પિતા લગ્ન સમયે પોતાની પુત્રીનો હાથ વરરાજાને સોંપે છે, ત્યાર બાદ છોકરીની તમામ જવાબદારીઓ વરરાજાએ પૂરી કરવાની હોય છે. વેદ અને પુરાણો અનુસાર, વરરાજાને લગ્નમાં ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. સનાતન સંસ્કૃતિ અનુસાર, એવું માનવામાં આવે છે કે પુત્રી દાનથી આશીર્વાદ મેળવનાર માતાપિતા માટે આનાથી મોટું કોઈ પુણ્યકાર્ય નથી. એ જ સમયે લોકો આ જાહેરાતને લઈને સોશિયલ મીડિયા પર ઘણા પ્રશ્નો ઊભા કરી રહ્યા છે.

‘કૂલી’ ફિલ્મનો આ બાળકલાકાર અત્યારે છે ૩૦૦ કરોડની સંપત્તિનો માલિક; જાણો કોણ છે તે અભિનેતા

ખરેખર આ જાહેરાતમાં આલિયાને દુલ્હન તરીકે બતાવવામાં આવી છે, જ્યારે તે તેના ભાવિ પતિ સાથે મંડપમાં બેઠી છે. એ જ સમયે તે દરેક ક્ષણને યાદ કરતી જોવા મળે છે, કેવી રીતે તેના પરિવારે તેને સમજાવ્યું કે તે પરાયું ધન છે. એમાં તે વિચારે છે કે શું હું દાનમાં આપવાની વસ્તુ છું? માત્ર કન્યાદાન જ કેમ? હવે નવો આઇડિયા 'કન્યામાન' તે જ સમયે, લોકોએ આ જાહેરાત વિશે સવાલ ઉઠાવવાનું શરૂ કર્યું છે, સાથે જ આલિયા ભટ્ટને પણ ખૂબ ટ્રૉલ કરવામાં આવી રહી છે.

 

Dhurandhar 2 Review: ‘ધુરંધર ૨’ રિવ્યુ: કરાચીના મેદાનમાં રણવીર સિંહ ઉર્ફે ‘હમઝા’નો પ્રચંડ રૂદ્ર અવતાર, આદિત્ય ધરની એક્શન જોઈને રૂંવાડા ઉભા થઈ જશે
Dhurandhar 2 : રિલીઝ પહેલા જ હજારો ફેન્સની આશા પર ફેરવાયું પાણી! ‘ધુરંધર ૨’ ના શો કેમ રદ થયા? ડાયરેક્ટરે માફી માંગતા જણાવી અસલી હકીકત
KSBKBT 2 Twist: ‘ક્યોંકિ… ૨’ માં નવો વળાંક! મિતાલીની ચાલથી ઋત્વિક-મુન્ની વચ્ચે વધી દૂરી; શું તુલસી બચાવી શકશે આ તૂટતો સંબંધ?
Sara Arjun: કોણ છે ‘ધુરંધર ૨’ ની આ ટેલેન્ટેડ હીરોઈન? જેણે માત્ર ૧૮ મહિનાની ઉંમરે શરૂ કરી હતી એક્ટિંગ; હવે રણવીર સિંહ સાથે મોટા પડદે મચાવશે ધૂમ
Exit mobile version