Site icon

દીકરી માટે ઓવર પ્રોટેકટીવ બન્યા આલિયા-રણબીર, ઘરે આવનારને પહેલા કરવું પડશે આ મહત્વનું કામ, પછી મળશે એન્ટ્રી

 News Continuous Bureau | Mumbai

આલિયા ભટ્ટ આ મહિનાની 6 તારીખે માતા બની છે. તેણે મુંબઈની રિલાયન્સ હોસ્પિટલમાં (Mumbai reliance hospital) દીકરીને જન્મ આપ્યો. જો કે, તે હવે તેની પુત્રી સાથે ઘરે છે અને આરામ કરી રહી છે. તેમજ નવા પિતા બનેલા રણબીર કપૂર (Ranbir kapoor) કામ પર પાછો ફર્યો છે. આ દરમિયાન એક સમાચાર સામે આવી રહ્યા છે કે આલિયા-રણબીરે તેમની પુત્રી માટે મોટો નિર્ણય  લીધો છે. વાસ્તવમાં ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા સેલેબ્સ તેમની દીકરીને જોવા માટે ઉત્સુક છે અને સંબંધીઓ (relatives) પણ ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે, તેથી જ દીકરીની તબિયતને ધ્યાનમાં રાખીને દંપતી એ એક નિર્ણય લીધો છે. આ ઉપરાંત દંપતીએ ઘરે આવનાર મુલાકાતીઓ માટે એક માર્ગદર્શિકા (guidelines) પણ તૈયાર કરી છે, જેનું પાલન કરવું બધા માટે ફરજિયાત રહેશે.

Join Our WhatsApp Community

આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂર (Ranbir kapoor) તેમની દીકરીના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ સભાન લાગે છે. એટલા માટે તેમણે કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે.એક મીડિયા હાઉસ ના રિપોર્ટ અનુસાર, આ કપલે તેમની દીકરીને મળનારા લોકો માટે ખાસ ગાઈડલાઈન તૈયાર કરી છે. દંપતીએ નિર્ણય લીધો છે કે તેઓ તેમની પુત્રીને ઘરે સ્વસ્થ વાતાવરણ પ્રદાન કરવા માંગે છે અને તેમના ઘરે આવનાર કોઈપણ નજીકના મિત્ર કે સંબંધી ને પહેલા કોવિડ ટેસ્ટ (covid test) કરાવવો પડશે. રિપોર્ટ નેગેટિવ (negative) આવ્યા બાદ જ તેઓ ઘરમાં પ્રવેશી શકશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દંપતી તેમની પુત્રીના સ્વાસ્થ્યને લઈને કોઈ રિસ્ક લેવા માંગતા નથી. આ સિવાય કપલની ગાઈડલાઈનમાં એક અન્ય નિયમ પણ જોડવામાં આવ્યો છે કે જો કોઈ તેમની દીકરીને મળવા આવે છે તો તેઓ તેમના ફોનનો (cell phone) ઉપયોગ નહીં કરી શકે. વાસ્તવમાં, આલિયા-રણબીર તેમની પુત્રીનો ચહેરો જાહેર કરવા માંગતા નથી.

આ સમાચાર પણ વાંચો: મરાઠી ઇન્ડસ્ટ્રી ની આ લોકપ્રિય અભિનેત્રી નું થયું માર્ગ અકસ્માતમાં મૃત્યુ, પોલીસે ડ્રાઈવર વિરુદ્ધ દાખલ કર્યો કેસ

તમને જણાવી દઈએ કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન આ વર્ષે 14 એપ્રિલે થયા હતા. આ દંપતીએ તેમના લગ્ન ખૂબ જ ખાનગી રાખ્યા હતા. આમાં ફક્ત પરિવારના સભ્યો અને નજીકના મિત્રો સામેલ હતા. લગ્નના 2 મહિના બાદ આલિયાએ પ્રેગ્નન્સીના સમાચાર (pregnancy news) આપીને બધાને ચોંકાવી દીધા હતા. તમને જણાવી દઈએ કે બંનેની લવ સ્ટોરી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના શૂટિંગ (Brahmastra) દરમિયાન શરૂ થઈ હતી. પાંચ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.

 

Kangana Ranaut: કંગના રનૌત પર માનહાનિ કેસમાં કોર્ટ એ અપનાવ્યું કડક વલણ,અભિનેત્રી ની અરજી ફગાવી આપ્યો આ આદેશ
The Taj Story: રિલીઝ પહેલા જ ફિલ્મ ધ તાજ સ્ટોરી પર થયો વિવાદ, દિગ્ગ્જ અભિનેતા પરેશ રાવલે આપી આવી સ્પષ્ટતા
Munmun Dutta: મુંબઈ નહિ આ જગ્યા એ મુનમુન દત્તાએ ઉજવ્યો તેનો જન્મદિવસ, સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ
Aishwarya Rai Bachchan: એશ્વર્યા રાય બચ્ચનનું પેરિસ ફેશન વીકમાં શાનદાર રેમ્પ વોક, એક ‘નમસ્તે’થી જીતી લીધા દિલ, જુઓ વિડીયો
Exit mobile version