Site icon News Continuous Bureau | Mumbai

Allu arjun children: પોતાના ઘર પર થયેલ હુમલો અને તોડફોડ ને કારણે ગભરાયો અલ્લુ અર્જુન, બાળકો ને સુરક્ષાને લઈને લોધો મોટો નિર્ણય

Allu arjun children: ગઈકાલે અલ્લુ અર્જુન ના હૈદરાબાદ ના ઘર પર કેટલાક વિરોધીઓએ હુમલો કર્યો હતો. આ હુમલો સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં એક મહિલાના મૃત્યુને કારણે થયો હતો.જેને લઈને અભિનેતા ચિંતા માં આવી ગયો છે અને તેને તેના બાળકો ની સુરક્ષા ને લઈને એક મોટો નિર્ણય લીધો છે.

allu arjun children whisked away from hyderabad home after attack

allu arjun children whisked away from hyderabad home after attack

News Continuous Bureau | Mumbai

Allu arjun children: અલ્લુ અર્જુન ની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઇ રહી. તેવામાં ગઈકાલે કેટલાક વિરોધીઓએ સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં એક મહિલાના મૃત્યુને કારણે અલ્લુ અર્જુન ના હૈદરાબાદ ના ઘર પર હુમલો અને તોડફોડ કરી હતી. જેને લઈને અભિનેતા ચિંતા માં આવી ગયો છે અને તેને તેના બાળકો ની સુરક્ષા ને લઈને એક મોટો નિર્ણય લીધો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Anupamaa: અનુપમા માં રાહી ની જગ્યા લેશે આ અભિનેત્રી, કુંડલી ભાગ્ય માં મળી હતી જોવા

અલ્લુ અર્જુને તેના બાળકો ની સુરક્ષા ને લઈને લીધો મોટો નિર્ણય 

અલ્લુ અર્જુન ના ઘર પર જયારે હુમલો અને તોડફોડ થઇ ત્યારે અલ્લુ અર્જુન તેના આખા પરિવાર સાથે ઘરમાં જ હતો. જો કે પોલીસે આ મામલે તે વિરોધીઓ ની ધરપકડ કરી હતી. હવે આ હુમલા થી અલ્લુ અર્જુન ચિંતા માં આવી ગયો છે. આવી સ્થિતિમાં, અલ્લુ અર્જુને તેના બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, તેમને તેના પિતા અલ્લુ અરવિંદના ઘરે શિફ્ટ કર્યા છે. સોશિયલ મીડિયા પર તેનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે.


અલ્લુ અર્જુને તેના ઘરે થયેલા હુમલા અંગે હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી, પરંતુ અભિનેતાના પિતાએ આ મુદ્દે લખ્યું છે કે ‘મને લાગે છે કે આ બાબતને યોગ્ય રીતે હેન્ડલ કરવી જરૂરી બની ગઈ છે. જો કે, હવે પગલાં લેવાનો સમય નથી. પોલીસે કેસ નોંધ્યો છે. મર્યાદા ઓળંગનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જો આવી ઘટના ફરી બને તો પોલીસ ધરપકડ કરવામાં જરાય ડરશે નહીં. અમે આવી ઘટનાઓને પ્રોત્સાહન આપી શકતા નથી. હું આ ધમકી નથી આપી રહ્યો કારણ કે મીડિયા અહીં હાજર છે. હું જાણું છું કે કાયદો દરેક માટે સમાન છે.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Aamir Khan Third Marriage બોલિવૂડના ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ આમિર ખાન ફરી એકવાર બંધાશે લગ્નના તાંતણે, ગૌરી સ્પ્રેટ સાથે આ દિવસે લેશે ફેરા…
Ranveer Singh| લલિત મોદીની બાયોપિકમાં રણવીર સિંહની એન્ટ્રી? પૂર્વ IPL ચીફના એક ખુલાસાથી સોશિયલ મીડિયા પર ગરમાયું વાતાવરણ
Jaya Bachchan| ‘બાવર્ચી’ પછી જયા બચ્ચને કેમ ક્યારેય રાજેશ ખન્ના સાથે ન કર્યું કામ? અમિતાભ બચ્ચન સાથે જોડાયેલું છે આ મોટું કારણ
Aamir Khan Wedding। આમિર ખાને સત્તાવાર રીતે કન્ફર્મ કર્યા ત્રીજા લગ્ન, ગૌરી સ્પ્રેટ સાથે આ તારીખે લેશે સાત ફેરા
Exit mobile version