Site icon

Allu Arjun Released: અલ્લુ અર્જુન જેલમાં એક રાત વિતાવ્યા બાદ વહેલી સવારે આવ્યો બહાર, જુઓ પહેલી ઝલક..

Allu Arjun Released: અભિનેતા અલ્લુ અર્જુનને શુક્રવારે સાંજે તેલંગાણા હાઈકોર્ટ દ્વારા વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા, જ્યારે નીચલી અદાલતે તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો હતો. જેલ સત્તાવાળાઓ દ્વારા જામીન મેળવવામાં વિલંબને કારણે તેને જેલમાં જ રાત વિતાવવી પડી હતી.

Allu Arjun Released Hyderabad stampede case , Actor Allu Arjun released from Chanchalguda Jail

Allu Arjun Released Hyderabad stampede case , Actor Allu Arjun released from Chanchalguda Jail

 News Continuous Bureau | Mumbai

Allu Arjun Released: સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં અલ્લુ અર્જુનને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. અભિનેતાની ગઈકાલે પોલીસે ધરપકડ કરી હતી, ત્યારબાદ તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. બાદમાં તેલંગાણા કોર્ટે અલ્લુ અર્જુનને જામીન આપ્યા હતા. જોકે તેમ છતાં, અભિનેતાને જેલમાં રાત વિતાવવી પડી હતી. આજે સવારે તે જેલની બહાર આવ્યો છે.

Join Our WhatsApp Community

 

Allu Arjun Released: 50,000 રૂપિયાના અંગત બોન્ડ પર મળ્યા વચગાળાના જામીન

નામપલ્લી કોર્ટે અલ્લુ અર્જુનને 14 દિવસના રિમાન્ડ પર મોકલી દીધો હતો. જે બાદ ગઈકાલે તેને ચંચલગુડા સેન્ટ્રલ જેલમાં લઈ જવામાં આવ્યો હતો. જો કે, બાદમાં, અભિનેતાને તેલંગાણા હાઈકોર્ટ દ્વારા 50,000 રૂપિયાના અંગત બોન્ડ પર વચગાળાના જામીન આપ્યા હતા. અભિનેતાને ચાર અઠવાડિયા માટે જામીન મળ્યા છે. અલ્લુ અર્જુન તેના પિતા અલ્લુ અરવિંદ સાથે જેલ છોડતો જોવા મળ્યો હતો. જેલમાંથી છૂટતાની સાથે જ અભિનેતા ગીતા આર્ટ્સ પ્રોડક્શન હાઉસ પહોંચી ગયો હતો.

Allu Arjun Released:અભિનેતાએ એક રાત જેલમાં વિતાવી

અલ્લુ અર્જુનને કસ્ટડીમાં લીધા બાદ ગઈકાલે (13 ડિસેમ્બર) તેને જામીન આપવામાં આવ્યા હતા. પરંતુ તેમ છતાં અલ્લુ અર્જુન જેલમાંથી ઘરે પરત ફરી શક્યો ન હતો. મળતી માહિતી મુજબ, ટેકનિકલ સમસ્યાઓના કારણે અલ્લુ અર્જુનની મુક્તિનો આદેશ જેલ સુધી પહોંચી શક્યો ન હતો. આવી સ્થિતિમાં અભિનેતાને એક રાત જેલમાં વિતાવવી પડી હતી.

આ સમાચાર પણ વાંચો : Allu Arjun Arrest: ‘ફ્લાવર નહીં…ફાયર હે મેં..’ ધરપકડ વચ્ચે પણ અલ્લુ અર્જુનનો સ્વેગ ઓછો ન થયો; જુઓ વિડીયો

Allu Arjun Released:શું છે આખો મામલો 

જણાવી દઈએ કે અલ્લુ અર્જુનને શુક્રવારે હૈદરાબાદ પોલીસે સંધ્યા થિયેટરમાં નાસભાગ મચાવતા અટકાયતમાં લીધો હતો. 4 ડિસેમ્બરે, હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2’નું સ્ક્રીનિંગ હતું જેમાં અભિનેતાએ પણ હાજરી આપી હતી. આવી સ્થિતિમાં ચાહકોની ભીડ એકઠી થઈ ગઈ અને નાસભાગ મચી ગઈ. આ ભીડમાં એક મહિલાનું શ્વાસ રૂંધાવાથી મોત થયું હતું. આ મામલે અલ્લુ અર્જુન વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. જોકે, મૃતકના પતિએ કહ્યું છે કે તે કેસ પાછો ખેંચી લેશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ritu Tawde: મુંબઈમાં આજે ‘કેસરિયો’ લહેરાશે: રિતુ તાવડે બનશે BMC ના પ્રથમ મહિલા ભાજપ મેયર, ૨૫ વર્ષ બાદ શિવસેનાના ગઢમાં ગાબડું
New Guidelines for Vande Mataram: ‘વંદે માતરમ્’ ને લઈને સરકારનો મોટો આદેશ: હવે સરકારી કાર્યક્રમોમાં ૬ છંદ ગાવા રહેશે ફરજિયાત, સમય મર્યાદા પણ નક્કી કરાઈ
India-US Trade Deal Update: વ્હાઇટ હાઉસે ભારત પરની કડક શરતો પાછી ખેંચી, $૫૦૦ Billion ની ખરીદીના વિવાદ પર ટ્રમ્પ પ્રશાસનનો યુ-ટર્ન
Shreyas Talpade FIR: રીલ લાઈફના હીરો પર રીયલ લાઈફમાં ‘કૌભાંડ’ નો ડાઘ! શ્રેયસ તલપડે વિરુદ્ધ કેમ નોંધાઈ ફરિયાદ? જાણો બેંક કૌભાંડની આખી ઇનસાઇડ સ્ટોરી
Exit mobile version