Site icon News Continuous Bureau | Mumbai

KSBKBT 2: કેમ તુલસીએ છોડ્યું શાંતિનિકેતન? KSBKBT 2 માં જબરદસ્ત વળાંક, મિહિર ઉર્ફે અમર ઉપાધ્યાયે વ્યક્ત કર્યું પોતાનું દર્દ

KSBKBT 2: કયુંકી સાસ ભી કભી બહુ થી 2 ના આગામી એપિસોડ્સમાં દર્શકોને મોટો ફેરફાર જોવા મળશે. મિહિરની સચ્ચાઈ સામે આવ્યા બાદ તુલસીએ વિરાણી પરિવાર અને ઘરનો ત્યાગ કર્યો છે, જે વાર્તાને એક નવા વળાંક પર લઈ જશે.

Amar Upadhyay Shocked by Leap in 'Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2'

Amar Upadhyay Shocked by Leap in 'Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2'

News Continuous Bureau | Mumbai

KSBKBT 2: સ્ટાર પ્લસની લોકપ્રિય સિરિયલ ‘કયુંકી સાસ ભી કભી બહુ થી 2’ (KSBKBT 2) માં હવે એક મોટો વળાંક એટલે કે ‘લીપ’ આવવા જઈ રહ્યો છે. મિહિર વિરાણીની ભૂમિકા ભજવતા અમર ઉપાધ્યાયે જણાવ્યું કે આ લીપ તેના માટે આશ્ચર્યજનક અને ભાવુક છે. તુલસી વિરાણીએ ઘર છોડી દીધું છે અને હવે મિહિર શાંતિનિકેતનમાં એકલો પડી ગયો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Oscars 2026: હોમબાઉન્ડ’ ઓસ્કારની રેસમાં! બેસ્ટ ઇન્ટરનેશનલ ફિલ્મ કેટેગરીમાં ભારતની ધમાકેદાર એન્ટ્રી

અમર ઉપાધ્યાયે વ્યક્ત કરી હેરાની

એક મીડિયા હાઉસ સાથેની ખાસ વાતચીતમાં અમર ઉપાધ્યાયે લીપ અંગે પોતાની પ્રતિક્રિયા આપી.અમરે કહ્યું, “જ્યારે મને લીપ વિશે ખબર પડી, ત્યારે હું ખરેખર હેરાન હતો. એક પર્ફોર્મર તરીકે મારા માટે આ સૌથી પડકારજનક સમય રહેવાનો છે. મિહિરના પાત્રમાં ફરી એકવાર તુલસીનો વિશ્વાસ તોડવો અને તેના વગર રહેવું એ પાત્ર માટે ઘણું અઘરું છે.”અમર ઉપાધ્યાયે શૂટિંગ દરમિયાનના પોતાના અનુભવ વિશે વાત કરતા કહ્યું, “લીપ પછી શાંતિનિકેતનમાં પગ મૂકવો અને તેને ખાલી જોવું એ મિહિર તરીકે મારા માટે ખૂબ જ પીડાદાયક હતું. ત્યાંની શાંતિ શબ્દો કરતાં વધુ ઘણું કહી રહી હતી.” હવે મિહિર પસ્તાવો અને એકલતા સાથે કેવી રીતે આગળ વધશે તે જોવું રસપ્રદ રહેશે.


અત્યારે શોમાં હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. મિહિરની છેતરપિંડી સામે આવ્યા બાદ તુલસીએ મક્કમતાથી ઘર છોડવાનો નિર્ણય લીધો છે. બાળકોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હોવા છતાં તુલસીએ સાફ કહી દીધું કે તે હવે આ ઘરમાં રહી શકશે નહીં. શાંતિનિકેતન છોડીને તુલસી હવે અંગદ પાસે પહોંચી ગઈ છે, જે વાર્તામાં નવો રોમાંચ લાવશે.સિરિયલ ના પહેલા ભાગમાં પણ લીપ એક મહત્વનો વળાંક રહ્યો હતો. હવે ભાગ 2 માં લીપ પછી નવા કલાકારોની એન્ટ્રી થશે કે કેમ અને તુલસી-મિહિરના સંબંધો શું વળાંક લેશે, તે જાણવા ફેન્સ આતુર છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Raja Shivaji OTT Release Date Netflix ઘર બેઠા જુઓ છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય ગાથા! રિતેશ દેશમુખની બ્લોકબસ્ટર ફિલ્મ ‘રાજા શિવાજી’ આ OTT પ્લેટફોર્મ પર થઈ ગઈ રિલીઝ
Aly Goni Jasmin Bhasin Marriage Plan શરણાઈઓ વાગવાની ઘડીઓ ગણાઈ ગઈ? લગ્નના સવાલ પર અલી ગોનીએ આપ્યો એવો જવાબ કે જેસ્મિન ભસીનના ફેન્સ થઈ ગયા ખુશખુશાલ!
The India Story Teaser Release શું આપણે રોજ ભોજનમાં સ્લો પોઇઝન ખાઈ રહ્યા છીએ? કાજલ અગ્રવાલની ફિલ્મ ‘દ ઇન્ડિયા સ્ટોરી’ ના સનસનાટીભર્યા ડાયલોગ્સ અને ટીઝરે દેશભરમાં જગાવી ચર્ચા
Ajay Devgn Chauhan Title Announcement સિંઘમ પછી હવે ‘ચૌહાન’ બનીને પડદા પર રાજ કરશે અજય દેવગન; ડાયલોગ લીક થતાં જ ઇન્ટરનેટ પર હલચલ
Exit mobile version