Site icon News Continuous Bureau | Mumbai

ફરી વિવાદોમાં ફસાઈ અમીષા પટેલ, પોલીસે એક્ટ્રેસ વિરુદ્ધ જારી કર્યું વોરંટ ; જાણો શું છે સમગ્ર મામલો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ 1 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

બુધવાર

‘કહો ના પ્યાર હૈ’ ની  અભિનેત્રી અમીષા પટેલ આ દિવસોમાં ફિલ્મોમાં જોવા નથી મળી રહી, પરંતુ તે સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. આવી સ્થિતિમાં હવે અભિનેત્રી અમીષા પટેલ વિશે એક મોટી માહિતી સામે આવી છે અને અહેવાલ છે કે ભોપાલ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ રવિ કુમાર બોરાસીએ તેની સામે વોરંટી જારી કર્યું  છે અને તેને 32 લાખ 25 હજારનો ચેક બાઉન્સ થવાનો મામલો છે.

અભિનેત્રીને 4 ડિસેમ્બરે હાજર થવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. જણાવી દઈએ કે કોર્ટમાં UTF ટેલિફિલ્મ્સ પ્રાઈવેટ લિમિટેડે અમીષા પટેલ વિરુદ્ધ 32 લાખ 25 હજાર રૂપિયાના ચેક બાઉન્સનો કેસ દાખલ કર્યો હતો. આરોપ છે કે અમીષા અને તેની કંપની M/S અમીષા પટેલ પ્રોડક્શને ફિલ્મ બનાવવાના નામે UTF ટેલિફિલ્મ્સ પ્રાઈવેટ લિમિટેડ પાસેથી 32 લાખ 25 હજાર રૂપિયા ઉછીના લીધા હતા. આ કરાર હેઠળ કંપનીને આપેલા બે ચેક 32 લાખ 25 હજારના બાઉન્સ થયા હતા.અમીષા પટેલ પ્રોડક્શને UTF ટેલિફિલ્મ્સ પ્રા. લિમિટેડ પાસેથી 32 લાખ 25 હજાર રૂપિયા ઉછીના લીધા હતા. તેના બદલામાં કંપનીને બે ચેક આપ્યા હતા. જ્યારે આ ચેક બેંકમાં નાખવામાં  આવ્યા ત્યારે તે બાઉન્સ થયા હતા. આ પછી જિલ્લા કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ સાંભળીને જજે અમીષા પટેલ વિરુદ્ધ વોરંટ ઈશ્યુ કર્યું.

આ કારણે ઉર્ફી જાવેદનું ‘અનુપમા’ ફેમ પારસ કલનાવત સાથે થયું હતું બ્રેકઅપ; અભિનેત્રી એ કર્યો ખુલાસો ; જાણો વિગત

જો અમીષા પટેલ જામીનપાત્ર વોરંટ લીધા પછી 4 ડિસેમ્બર, 2021ના રોજ જિલ્લા કોર્ટમાં હાજર ન થાય તો ધરપકડ વોરંટ જારી કરી શકાય છે. આ પહેલા બોલિવૂડ એક્ટ્રેસ અમીષા પટેલ વિરુદ્ધ ઈન્દોરમાં 10 લાખ રૂપિયાના ચેક બાઉન્સ કેસમાં કેસ નોંધવામાં આવ્યો હતો.રાંચીની એક અદાલતે અભિનેત્રી અમીષા પટેલ સામે પણ બે વર્ષ પહેલાં ધરપકડ વોરંટ જારી કર્યું હતું, જેમાં નિર્માતા અજય કુમારે રૂ. 2.5 કરોડના ચેક બાઉન્સનો આરોપ મૂક્યો હતો.

Dhurandhar 2| ‘ધુરંધર 2’ નો એક એવો અંત જે ફિલ્મના ડાયરેક્ટરે પણ નહીં વિચાર્યો હોય! ફેન્સના AI વીડિયોએ ખોલ્યા રહસ્યો
Shah Rukh Khan Oscar Post| કિંગ ખાન ભાવુક! ઓસ્કર ટીમનો આભાર માનતા શાહરૂખે લખ્યું ‘આજે મને ગર્વ છે’, જાણો શું છે આખી વાત
Prakash Raj Controversy Ramayana| પ્રકાશ રાજે વટાવી હદ! રામલક્ષ્મણ વિશે એવું તે શું બોલ્યા કે મચ્યો ખળભળાટ
Sukesh Chandrashekhar| મહાઠગ સુકેશ ચંદ્રશેખરને જેકલીન આપશે સૌથી મોટો ફટકો! 200 કરોડના કેસમાં સરકારી સાક્ષી બનીને ખોલશે ઠગના રહસ્યો
Exit mobile version