Site icon News Continuous Bureau | Mumbai

સદી ના મહાનાયક અમિતાભ બચ્ચને કર્યો 79 વર્ષની ઉંમરે ખતરનાક સ્ટંટ, ફેન્સ ને યાદ આવી ‘દીવાર’ અને ‘જંજીર’ જેવી ફિલ્મો; જાણો વિગત

News Continuous Bureau | Mumbai

અમિતાભ બચ્ચનને બોલિવૂડના 'મહાનાયક' કહેવામાં આવે છે અને તેનું કારણ છે તેમનો અભિનય પ્રત્યેનો શોખ. અમિતાભ બચ્ચન 80 વર્ષના થઈ ગયા છે, પરંતુ તેમ છતાં તેમણે અભિનયનો આ જુસ્સો જાળવી રાખ્યો છે.વાસ્તવમાં, અમિતાભ બચ્ચને તાજેતરમાં ડિરેક્ટર અમિત શર્મા સાથે એક ટીવી કમર્શિયલ શૂટ કર્યું હતું. શૂટિંગ દરમિયાન, તેણે તેના જુસ્સા અને સમર્પણથી દરેકને વિચારતા કરી દીધા, કારણ કે આ જાહેરાતમાં ઘણા એક્શન દ્રશ્યો અને સ્ટંટ શામેલ હતા.એક્શન ડિરેક્ટરે જણાવ્યું કે આ સીન માટે અમિતાભ બચ્ચને એક પછી એક ત્રણ મજબૂત કાચ તોડવાના  હતા. અદ્ભુત વાત એ હતી કે તેણે આ અરીસાઓને એક જ વારમાં એટલેકે એક જ ટેક માં તોડી નાખ્યા.

Join Our WhatsApp Channel
દિગ્દર્શકે કહ્યું કે આ સિક્વન્સના શૂટિંગ વખતે તેણે ખૂબ જ સાવધાની રાખવી પડી હતી. વર્માએ કહ્યું, "સેટ્સ પરના લોકો અમિતાભ બચ્ચનનો જુસ્સો જોઈને 'દીવાર' અને 'જંજીર' ના એન્ગ્રી યંગ મેન યાદ આવી ગયા." એક મીડિયા હાઉસ  ના અહેવાલ મુજબ, મનોહર વર્મા, જેઓ આ એક્શન સિક્વન્સ કોરિયોગ્રાફ કરી રહ્યા હતા અને તેનું દિગ્દર્શન કરી રહ્યા હતા, તેમણે કહ્યું, “અમે બોડી ડબલ સાથે તૈયાર હતા, પરંતુ પછી શ્રી બચ્ચન સેટ પર આવ્યા અને ડિરેક્ટરને કહ્યું કે તે પોતાના સ્ટંટ જાતે જ કરશે. . આનાથી પ્રોડક્શન ક્રૂ સહિત બધાને આશ્ચર્ય થયું.

આ સમાચાર પણ વાંચો : આર્યન ખાન ડ્રગ્સ કેસ માં ચાર્જશીટ દાખલ કરવામાં થશે વિલંબ, NCBની SITએ કોર્ટ પાસે કરી આ માંગણી

તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા અમિતાભે એક તસવીર શેર કરતા લખ્યું હતું કે, "53 અને 80 વર્ષની ઉંમર પછી પણ કેટલીક વસ્તુઓ એવી હોય છે જે ક્યારેય બદલાતી નથી, એક્શન." એક્શન ડિરેક્ટર મનોહર વર્માએ તાજેતરમાં 'સરદાર ઉધમ' અને 'મિર્ઝાપુર' જેવા પ્રોજેક્ટમાં કામ કર્યું છે અને અમિતાભ બચ્ચન સાથે ઘણી જાહેરાતોમાં પણ કામ કર્યું છે. તેણે શૂજિત સરકારની 'શોબાઈટ'માં પણ કામ કર્યું છે, જેમાં અમિતાભ પણ મુખ્ય ભૂમિકામાં હતા.

Samantha Exit Over Pregnancy Rumors સમાંથા રૂથ પ્રભુ પ્રોજેક્ટમાંથી બહાર? અફવાઓ વચ્ચે નવી અભિનેત્રીની એન્ટ્રીથી ઈન્ડસ્ટ્રીમાં મોટો ગણગણાટ!
Bigg Boss Season 20 First Eviction ‘બિગ બોસ ૨૦’ માં થયું પહેલું એલિમિનેશન જાણો કયા કન્ટેસ્ટન્ટનું કપાયું પત્તુ?
Marathi Film Gondhal Official Oscar Entry ઓસ્કાર ૨૦૨૭માં મરાઠી ફિલ્મ ‘ગોંધળ’ની સત્તાવાર એન્ટ્રી ૩૩ ફિલ્મોમાંથી થઈ પસંદગી, ૯૯મા એકેડેમી એવોર્ડ્સમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ
Lucky Ali On Leaving Bollywood ‘અહીં માત્ર વ્યાપાર છે!’ લકી અલીએ બોલિવૂડથી દૂરી બનાવવા પાછળનું અસલ કારણ આવ્યું સામે..
Exit mobile version