Site icon

Amitabh Bachchan: ભગવાનના સ્થાને અમિતાભ બચ્ચન! કલકત્તાના આ મંદિરમાં વંચાય છે ‘અમિતાભ ચાલીસા’, પૂજાનો વીડિયો જોઈ ભડક્યા લોકો

Amitabh Bachchan: કોલકાતામાં ફેન્સની અજીબ દીવાનગી; સદીના મહાનાયકની મૂર્તિ બનાવીને શરૂ કરી પૂજા, સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે ભારે વિરોધ

Amitabh Bachchan Temple in Kolkata: Fans build a temple for Big B; Viral video

Amitabh Bachchan Temple in Kolkata: Fans build a temple for Big B; Viral video

News Continuous Bureau | Mumbai

Amitabh Bachchan: કહેવાય છે કે દીવાનગી જ્યારે ગાંડપણ બની જાય ત્યારે માણસ કંઈ પણ કરી શકે છે. પછી તે દીવાનગી કોઈ પ્રિય વ્યક્તિ માટે હોય કે કોઈ સુપરસ્ટાર માટે. સોશિયલ મીડિયા પર અત્યારે એક વીડિયો આગની જેમ વાયરલ થઈ રહ્યો છે, જેમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનું એક મંદિર જોવા મળી રહ્યું છે. આ વીડિયો સામે આવ્યા બાદ લોકોમાં બે ભાગલા પડી ગયા છે; કેટલાક તેને ચાહકોનો પ્રેમ કહી રહ્યા છે, તો કેટલાક તેને મર્યાદા બહારનું કૃત્ય ગણાવી રહ્યા છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : O’Romeo Legal Trouble: શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’ ફસાઈ કાયદાકીય ગૂંચમાં! હુસૈન ઉસ્તરાની પુત્રીએ ફટકારી નોટિસ, જાણો સમગ્ર મામલો

અમિતાભ બચ્ચન ના મંદિર નો વીડિયો થયો વાયરલ 

 વીડિયોમાં દેખાય છે કે કોલકાતામાં અમિતાભ બચ્ચનનું એક સમર્પિત મંદિર બનાવવામાં આવ્યું છે. આ મંદિર કંઈ નવું નથી, તે વર્ષ 2001માં ચાહકો દ્વારા બનાવવામાં આવ્યું હતું, પરંતુ હાલમાં ‘અમિતાભ ચાલીસા’  અને મંદિરની અંદરની ગતિવિધિઓ જોઈને લોકો ભડક્યા છે.આ મંદિરમાં પ્રવેશતા પહેલા બહાર એક મોટો ઘંટ પણ લગાવવામાં આવ્યો છે. વીડિયોમાં યુટ્યુબર મંદિરની અંદર જઈને ‘અમિતાભ ચાલીસા’ ની પુસ્તક બતાવે છે અને તેનું પઠન કરતી જોવા મળે છે. મંદિરના ગર્ભગૃહમાં અમિતાભ બચ્ચનની એક ઉભી મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. ફેન્સ અહીં આવીને બચ્ચનને ભગવાનની જેમ પૂજે છે. આ દ્રશ્યો જોઈને નેટિઝન્સ દંગ રહી ગયા છે અને આને દીવાનગી કહેવી કે મૂર્ખામી તે અંગે ચર્ચાઓ શરૂ થઈ છે.


વીડિયો વાયરલ થતા જ કમેન્ટ સેક્શનમાં લોકોનો ગુસ્સો જોવા મળી રહ્યો છે. એક યુઝરે લખ્યું, “હવે તો તમે બધી હદો વટાવી દીધી છે.” અન્ય એક વ્યક્તિએ કટાક્ષ કરતા લખ્યું, “શું અહીં આશીર્વાદમાં 7 કરોડ રૂપિયા મળે છે?” જ્યારે કેટલાક લોકોએ ભારતીય સંસ્કૃતિમાં મહાન વ્યક્તિઓને ભગવાનનો દરજ્જો આપવાની ટીકા કરી છે. લોકોનું કહેવું છે કે મંદિર માત્ર દેવતાઓ માટે હોવા જોઈએ, જીવતા વ્યક્તિઓ માટે નહીં.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Janhvi Kapoor on Arjun Kapoor Trolling: ટ્રોલ્સના નિશાના પર અર્જુન કપૂર અને વ્હારે આવી બહેન જ્હાન્વી! ‘બલિનો બકરો’ વાળા નિવેદને સોશિયલ મીડિયામાં જગાવી ચર્ચા; જુઓ શું છે પૂરો મામલો
Kartik Aaryan: મોટા પડદે ફરી જોવા મળશે કાર્તિક આર્યનનો જાદુ! આ સુપરહિટ ફિલ્મે તોડ્યા હતા રેકોર્ડ, હવે થીયેટરોમાં ફરી મચાવશે ધૂમ
Toxic Runtime: શું ‘ધુરંધર ૨’ જેટલી જ લાંબી હશે યશની ‘ટોક્સિક’? જાણો કેટલા કલાકનો છે આ એક્શન થ્રિલરનો રન ટાઈમ; ચાહકો માટે આવ્યા મોટા સમાચાર.
Rashmika Vijay Sangeet Photos: સ્ટેજ પર ઉતર્યા ‘પ્રિન્સ-પ્રિન્સેસ’: રશ્મિકા અને વિજયના રોમેન્ટિક અંદાજે સંગીત સેરેમનીમાં લગાવી આગ; દિયર આનંદ સાથે પણ એક્ટ્રેસે લગાવ્યા ઠુમકા!
Exit mobile version