News Continuous Bureau | Mumbai
Anant and radhika wedding: અનંત અને રાધિકા 12 જુલાઈ ના રોજ લગ્ન ના બંધન માં બંધાશે. આ લગ્નને લઈને અંબાણી પરિવાર માં પુરજોશ માં તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક કાર્ડ વાયરલ થયું હતું જે મુજબ અનંત અને રાધિકા ના લગ્ન ના દસ દિવસ પહેલા અંબાણી પરિવારે સામૂહિક લગ્ન નું આયોજન કર્યું હતું આ લગ્ન પહેલા મહારાષ્ટ્ર ના વાડા માં થવાના હતા હવે રિપોર્ટ મુજબ લગ્ન નું સ્થળ અને સમય બદલાઈ ગયો છે.
આ સમાચાર પણ વાંચો: Kalki 2898 ad: કલ્કિ 2898 એડીના બીજા ભાગ માટે જોવી પડશે આટલા વર્ષો સુધી રાહ, ફિલ્મ ના સેકન્ડ પાર્ટ માં આ અભિનેતા ની ભૂમિકા હશે ખાસ
સામૂહિક લગ્ન નું બદલાયું સ્થળ અને સમય
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલાની ઉજવણીના ભાગરૂપે, અંબાણી પરિવારે વંચિતો માટે સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું, જેથી નવા પરિણીત યુગલો અનંત અને રાધિકાને તેમના આશીર્વાદ આપી શકે. જોકે, શરૂઆતમાં સમૂહ લગ્નનું સ્થળ પાલઘરમાં ‘સ્વામી વિવેકાનંદ વિદ્યામંદિર’ હોવાનું નક્કી કરવામાં આવ્યું હતુંહવે મીડિયા રિપોર્ટ મુજબ આ સમૂહ લગ્ન નું સ્થળ બદલીને થાણેમાં ‘રિલાયન્સ કોર્પોરેટ પાર્ક’ કરવામાં આવ્યું છે. અને કાર્યક્રમનો સમય સાંજે 4:30 થી બદલીને 4 વાગ્યાનો કરવામાં આવ્યો છે.
આ અગાઉ એક કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું જેમાં લખ્યું હતું કે, “અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પૂર્વેના સમારોહના ભાગરૂપે, પાલઘર જિલ્લાના સ્વામી વિવેકાનંદ વિદ્યામંદિર વાડા ખાતે 2જી જુલાઈ 2024ના રોજ સાંજે 4:30 વાગ્યે વંચિતોના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. નીતા અને મુકેશ અંબાણી આ ઉમદા હેતુમાં યોગદાન આપી રહ્યા છે અને તેમના પરિવાર સાથે આ પ્રસંગે હાજરી આપશે. જો તમે આ પ્રેમની ઉજવણીના સાક્ષી બનવા અમારી સાથે જોડાઈ શકો તો અમને ગમશે.”
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
