Anant-Radhika Wedding: એન્ટિલિયામાં નવી વહુ રાધિકાનું ગુલાબનાં ફૂલોથી સ્વાગત, જેઠાણી શ્લોકાએ દેરાણી રાધિકાને કંકુ-અક્ષતથી વધાવી; જુઓ વિડિયો

Anant-Radhika Wedding: આજે Jio વર્લ્ડ સેન્ટરમાં લગ્ન પછી, રાધિકા અનંત સાથે પ્રથમ વખત એન્ટિલિયા પહોંચી હતી જ્યાં તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. અનંત અને રાધિકા પર ફૂલોની વર્ષા કરવામાં આવી હતી અને શ્લોકા અંબાણીએ તિલક લગાવીને બંનેનું ઘરે સ્વાગત કર્યું હતું.

Anant-Radhika Wedding Bade Bhaiya-Bhabhi Akash And Shloka Welcome Newlyweds Anant And Radhika With Rituals, WATCH

Anant-Radhika Wedding Bade Bhaiya-Bhabhi Akash And Shloka Welcome Newlyweds Anant And Radhika With Rituals, WATCH

News Continuous Bureau | Mumbai 

Anant-Radhika Wedding: એશિયાના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંતે રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કર્યા. વરમાળા બાદ શુક્રવારે રાત્રે જિયો વર્લ્ડ સેન્ટર ખાતે લગન, સાત ફેરા અને સિંદૂર દાનની વિધિ કરવામાં આવી હતી.

Join Our WhatsApp Community

શુક્રવારે સાંજે 4:30 કલાકે જાન ઢોલ નગારા સાથે એન્ટીલિયાથી નીકળી અને જિયો વર્લ્ડ સેન્ટર પહોંચી. લગ્ન સ્થળ પર પહોંચ્યા બાદ પ્રિયંકા ચોપરા, શાહરૂખ ખાન, સલમાન ખાન, રજનીકાંત, રેસલર જોન સીના, રણવીર સિંહ, સંજય દત્ત, જાહ્નવી કપૂર અને અર્જુન કપૂર સહિત ઘણા સેલેબ્સે ખૂબ ડાન્સ કર્યો હતો. તેમજ શ્રેયા ઘોષાલ, સોનુ નિગમ સહિત અનેક કલાકારોએ સમારોહમાં સંગીતમય પરફોર્મન્સ આપ્યું હતું.

 

Anant-Radhika Wedding: રાજકારણીઓએ લગ્નમાં હાજરી આપી

પૂર્વ બ્રિટિશ પીએમ ટોની બ્લેર, પૂર્વ યુપી સીએમ અખિલેશ યાદવ, બિહારના પૂર્વ સીએમ લાલુ પ્રસાદ યાદવ અને બંગાળના સીએમ મમતા બેનર્જી સહિત ભારત અને વિદેશની 2 હજારથી વધુ હસ્તીઓ અને નેતાઓએ લગ્નમાં હાજરી આપી હતી. શણગારની થીમ ‘એન ઓડ ટુ વારાણસી’ રાખવામાં આવી હતી, જે કાશીની પરંપરા, સંસ્કૃતિ અને કલા અને હસ્તકલાને સમર્પિત છે.

આ સમાચાર પણ વાંચો :  Anant and radhika wedding: શાહરુખ ખાન થી લઈને રજનીકાંત સુધી આ સેલેબ્સ એ લગાવ્યા અનંત ની જાન માં ઠુમકા, જુઓ વિડીયો

Anant-Radhika Wedding:  શ્લોકા અંબાણીએ તિલક લગાવીને બંનેનું ઘરે સ્વાગત કર્યું

જિયો વર્લ્ડ સેન્ટરમાં લગ્ન પછી, રાધિકા અનંત સાથે પ્રથમ વખત એન્ટિલિયા પહોંચી હતી જ્યાં તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. અનંત અને રાધિકા પર ફૂલોની વર્ષા કરવામાં આવી હતી અને જેઠાણી શ્લોકા ને નણંદ ઈશા તથા જેઠ આકાશે કંકુ ને અક્ષતથી વધાવીને નવયુગલનું ઘરે સ્વાગત કર્યું હતું. ત્રિદિવસીય કાર્યક્રમના બીજા દિવસે શનિવારે ‘શુભ આશીર્વાદ’ કાર્યક્રમમાં વિશેષ મહેમાનો માટે રાત્રિભોજનનું આયોજન કરવામાં આવશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લઈ શકે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Kumar Sanu : કુમાર સાનુ આરપારના મૂડમાં! એક્સ વાઈફ રીતા ભટ્ટાચાર્યને ફટકારી લીગલ નોટિસ, બદનક્ષી બદલ માંગી અધધ આટલી રકમ
Dhurandhar’ Success: ધુરંધર હિટ રહેતા અક્ષય ખન્ના ગદગદ: ‘રહેમાન ડકૈત’ના રોલને મળેલા પ્રેમ બદલ એક્ટરે વ્યક્ત કરી ખુશી, જાણો શું કહ્યું?
The Great Indian Kapil Show Season 4 Teaser: કપિલના મંચ પર ‘દેશી ગર્લ’નો દબદબો! ચોથી સીઝનના પહેલા જ એપિસોડમાં પ્રિયંકા ચોપરા કરશે ધમાલ, જુઓ વાયરલ ઝલક
Ikkis: ધર્મેન્દ્રના ફેન્સ માટે માઠા સમાચાર: ‘ઇક્કીસ’ની રિલીઝ ડેટ લંબાવાઈ, જાણો મેકર્સે કેમ લેવો પડ્યો આ મોટો નિર્ણય?
Exit mobile version