News Continuous Bureau | Mumbai
Paresh Rawal Urine Therapy: પરેશ રાવલ નું એક નિવેદન ચર્ચા નો વિષય બન્યું હતું.પરેશ રાવલે પોતાના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેણે ગંભીર ઈજામાંથી સાજા થવા માટે પોતાનો પેશાબ પીધો હતો.આ ઉપરાંત તેમને એ પણ જણાવ્યું કે આ સલાહ તેમને અજય દેવગણના પિતા વીરુ દેવગણે આપી હતી. હવે આશિકી ફેમ અભિનેત્રી અનુ અગ્રવાલે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે.
આ સમાચાર પણ વાંચો: Mahesh Bhatt on Parveen Babi: મહેશ ભટ્ટ એ પરવીન બાબી ના અંગત જીવન ને લઈને કર્યો ચોંકવનારો ખુલાસો, દિવંગત અભિનેત્રી વિશે કહી આવી વાત
અનુ અગ્રવાલે જણાવ્યા ફાયદા
મીડિયા સાથે ની વાતચીત માં અનુ અગ્રવાલે કહ્યું, “લોકો તેના વિશે ઓછા જાગૃત છે અથવા તેઓ તેને અવગણે છે. પેશાબ પીવાની પ્રક્રિયાને ‘અમરોલી ક્રિયા’ કહેવામાં આવે છે. મેં પણ તેને અપનાવી છે. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ આમાં આખું પેશાબ પીવામાં આવતું નથી, પરંતુ તેનો એક ભાગ પીવામાં આવે છે જેને ‘અમૃત’ કહેવામાં આવે છે. તે વૃદ્ધત્વ અટકાવે છે અને ચહેરા પર કરચલીઓ દેખાવા દેતું નથી. તે અદ્ભુત છે. મેં જાતે તેનો પ્રયાસ કર્યો છે.”
જ્યારે આ પ્રથાના વૈજ્ઞાનિક આધાર વિશે અનુ ને પૂછવામાં આવ્યું ત્યારે,અભિનેત્રી એ આધુનિક વિજ્ઞાનને ફગાવી દીધું અને કહ્યું, “વિજ્ઞાન કેટલું જૂનું છે? ફક્ત 200 વર્ષ, પણ યોગ 10,000 વર્ષથી અસ્તિત્વમાં છે. તમે કોનું સાંભળશો? હું આ પ્રથાને સંપૂર્ણ સમર્થન આપું છું.”
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)