Site icon

શું સિરિયલ અનુપમા માંથી લાંબો બ્રેક લેશે અનુજ કાપડિયા? ગૌરવ ખન્ના એ જણાવી હકીકત

ટીવી શો 'અનુપમા'માં મોટા ટ્વિસ્ટ આવવાના છે, આ દરમિયાન સમાચાર આવ્યા કે ગૌરવ ખન્ના એટલે કે અનુજ કાપડિયા શોમાંથી થોડા સમય માટે ગાયબ થઈ શકે છે. હવે એક મીડિયા હાઉસ સાથે વાત કરતી વખતે ગૌરવ ખન્નાએ ખુદ આવા સમાચાર પર જવાબ આપ્યો છે.

anuj kapadia leaving anupamaa actor gaurav khanna clarifies

શું સિરિયલ અનુપમા માંથી લાંબો બ્રેક લેશે અનુજ કાપડિયા? ગૌરવ ખન્ના એ જણાવી હકીકત

News Continuous Bureau | Mumbai

ગૌરવ ખન્ના અને રૂપાલી ગાંગુલીના ટીવી શો ‘અનુપમા’માં આ દિવસોમાં વાર્તાએ જે વળાંક લીધો છે તે જોઈને લોકો અનુમાન લગાવી રહ્યા છે. આ દિવસોમાં વાર્તામાં #MaAn (અનુજ-અનુપમા)ની જોડી તૂટી રહી હોય તેવું લાગે છે. અનુજ તેની અનુપમાને છોડીને માયા પાસે ગયો છે. જ્યારે અનુપમા હવે તેના જીવનમાં એક નવી શરૂઆત કરવા જઈ રહી છે. આવી સ્થિતિમાં, લોકોએ અનુજ કાપડિયા એટલે કે ગૌરવ ખન્ના શોમાંથી લાંબો બ્રેક લેવા જઈ રહ્યો હોવાનું અનુમાન લગાવ્યું હતું. કેટલાક સમાચારોમાં દાવો કરવામાં આવ્યો છે કે ગૌરવ ટૂંક સમયમાં એક રિયાલિટી શોનો ભાગ બનશે. હવે આ તમામ સમાચારો પર મૌન તોડતા ગૌરવે એક મીડિયા હાઉસ સાથે વાત કરતા દરેકને જડબાતોડ જવાબ આપ્યો છે.

Join Our WhatsApp Community

 

શું ગૌરવ ખન્ના રૂપાલી ગાંગુલીનો શો અનુપમા છોડી રહ્યો છે?

અહેવાલો અનુસાર, ગૌરવ ખન્નાએ આ સમાચારને રદિયો આપ્યો છે અને કહ્યું છે કે તેમાં કોઈ સત્ય નથી. એવી અફવા હતી કે ગૌરવ ખન્ના અનુપમાથી લાંબો બ્રેક લઈ રહ્યો છે પરંતુ તેણે કહ્યું કે એવું કંઈ થવાનું નથી. તેણે કહ્યું કે આ એક તબક્કો છે કે અનુજ અને અનુપમા વચ્ચે અંતર છે પરંતુ તેનો અર્થ એ નથી કે તેઓ બ્રેક પર જઈ રહ્યા છે. તેણે કહ્યું કે વાર્તામાં હંમેશા ઉતાર-ચઢાવ આવશે પરંતુ તેનો અર્થ એ નથી કે તે શો છોડી રહ્યો છે. ગૌરવના બ્રેકની અફવા પાછળનું કારણ એ હતું કે તે એક રિયાલિટી શોનો ભાગ બનવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ગૌરવે હવે આ ફેક ન્યૂઝ ફેલાવનારાઓને એક સલાહ આપીને જવાબ આપ્યો છે. તેણે કહ્યું, “મેં એવું પણ સાંભળ્યું છે કે હું એક રિયાલિટી શોનો હિસ્સો બનવાનો છું. પરંતુ જો એવું હોય તો પણ કોઈ સમસ્યા ન હોવી જોઈએ, પરંતુ મારી પાસે હજુ સુધી આવા કોઈ સમાચાર નથી.” આના પર થી સ્પષ્ટ થાય છે કે ગૌરવ અનુપમા શો નથી છોડી રહ્યો 

 

શું એક થશે અનુજ અનુપમા?

હાલમાં ગૌરવનું પાત્ર સિરિયલમાં ભાવનાત્મક ઉથલપાથલ માંથી પસાર થઈ રહ્યું છે. છોટી અનુના કારણે તે માયા સાથે રહેવા મજબૂર છે.અનુપમાના આગામી એપિસોડ્સમાં, આપણે જોઈશું કે અનુપમા પોતાની ડાન્સ એકેડમી શરૂ કરીને તેના જીવનને પાછું લાવવાનો પ્રયાસ કરશે. બીજી તરફ, વનરાજ અને માયા અનુજને અનુપમાથી દૂર રાખવાનો પૂરો પ્રયાસ કરશે. પરંતુ શું તેઓ ક્યારેય એક થઈ શકશે?

Govt Blocks OTT Platforms: અશ્લીલ કન્ટેન્ટ પીરસતા ૫ OTT પ્લેટફોર્મ્સ પર સરકારની મોટી સર્જિકલ સ્ટ્રાઈક: તાત્કાલિક અસરથી કર્યા બ્લોક; જાણો કયા પ્લેટફોર્મ પર લાગ્યો પ્રતિબંધ?
Ranveer Singh Pralay Movie Update: રણવીર સિંહની ફિલ્મ ‘પ્રલય’માં વધુ એક અભિનેત્રીની એન્ટ્રી: કલ્યાણી પ્રિયદર્શન બાદ સાઉથની આ બ્યુટી મચાવશે ધૂમ.
Yeh Rishta Kya Kehlata Hai: ૧૬ વર્ષથી રાજ કરતો શો ‘યે રિશ્તા…’ ઓફ-એર થવાના આરે? જાણો શું છે ચેનલનો નવો પ્લાન
Sabeer Bhatia Review Dhurandhar: સબીર ભાટિયાનો ‘ધુરંધર’ પર આકરો પ્રહાર: ‘ક્રિએટિવિટીના નામે માત્ર દેખાડો’, નવી પેઢી પર ફિલ્મની અસરને લઈને વ્યક્ત કરી ચિંતા
Exit mobile version