Site icon News Continuous Bureau | Mumbai

શું અનુપમા ની સ્ટારકાસ્ટ છોડવા માંગે છે શો?અનુપમાના સમરે શો વિશે જણાવી ચોંકાવનારી વાતો

લાંબા સમયથી ટીવી શો અનુપમામાં સમર શાહનું પાત્ર ભજવનાર અભિનેતા પારસ કાલનવતે આ શો વિશે કેટલાક રહસ્યો ખોલ્યા છે

anupama actor paras kalnawat aka samar reveals shocking facts about show

શું અનુપમા ની સ્ટારકાસ્ટ છોડવા માંગે છે શો?અનુપમાના સમરે શો વિશે જણાવી ચોંકાવનારી વાતો

News Continuous Bureau | Mumbai

ટીવી શો અનુપમામાં સમરની ભૂમિકા ભજવનાર અભિનેતા પારસ કલનાવતે જુલાઈ 2022માં શો છોડી દીધો હતો. પારસને આ શો છોડવાનું કારણ મેકર્સ સાથે મતભેદ હતું, હવે લગભગ 10 મહિના પછી, પારસ કલનાવતે આ સીરિયલ વિશે ચોંકાવનારી વાત કહી છે. તાજેતરમાં જ પારસ કલનાવતે ઈન્સ્ટાગ્રામ પર તેના ચાહકો સાથે ‘આસ્ક મી એનિથિંગ’ સેશન યોજ્યું હતું જેમાં તેણે તેના ચાહકોના તમામ પ્રશ્નોના જવાબ આપ્યા હતા. આ સેશનમાં તેના એક પ્રશંસકે તેને પૂછ્યું કે તેણે ‘અનુપમા’ શો કેમ છોડ્યો?

Join Our WhatsApp Channel

 

પારસ કલનાવતે જણાવી હકીકત 

આ પ્રશ્નના પારસ કલનાવત આપેલા જવાબનું દરેક જણ પોતપોતાની રીતે અર્થઘટન કરી રહ્યા છે. પારસ કલનાવતે કહ્યું કે બાકીના કલાકારો પણ શો છોડી દેશે જો તેમને વધુ સારી તક મળશે. તો શું આનો અર્થ એ થયો કે સેટ પરનું વાતાવરણ એટલું ઝેરી બની ગયું છે કે જ્યારે વધુ સારી તક આવે ત્યારે દરેક વ્યક્તિ શો છોડવાનો નિર્ણય લઈ શકે?પારસે કહ્યું, “મારે શો છોડવો પડ્યો જેથી હું જીવનમાં વધુ સારી જગ્યાએ પહોંચી શકું.” તેણે એમ પણ કહ્યું કે તેને આવો અદ્ભુત શો ઓફર કરવા બદલ તે હંમેશા નિર્માતાઓનો આભારી રહેશે. તેણે લખ્યું, “દોસ્તો, ક્યાંક પહોંચવા માટે કોઈને ક્યાંક છોડવું પડશે અને મને લાગે છે કે હું હવે વધુ સારી અને શાંત જગ્યાએ છું. સાચું કહું તો, શોના 80% કલાકારોને વધુ સારી તક મળશે તો શો છોડી દેશે.”

 

પારસ કલનાવતે ઈન્ટરવ્યુમાં કહી આ વાત 

પારસ કલનાવતે પોતાની વાતોમાં એવી ઘણી વાતો કહી છે કે જેનાથી અંદાજ લગાવી શકાય છે કે તેણે કયા સંજોગોમાં શો છોડ્યો હશે. તમને જણાવી દઈએ કે એવા અહેવાલો આવ્યા હતા કે પારસના રિયાલિટી ટીવી શો ‘ઝલક દિખલા જા’ સાઈન કરવાના સમાચાર આવ્યા બાદ મેકર્સે તેને કાઢી મૂક્યો હતો. પારસે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે રાજન શાહીનો આભારી છે પરંતુ લાંબા સમયથી તેની પાસે તે શોમાં કરવા માટે કંઈ ખાસ નહોતું.

Arvind Vekaria Passes Away રંગભૂમિ સૂની થઈ દિગ્ગજ કલાકાર અરવિંદ વેકરિયાનું નિધન, કલા જગતમાં શોકની લહેર
Padma Shri Award કલા જગતમાં ખુશીનો માહોલ; અલ્કા યાગ્નિક અને મમૂટીને પદ્મ ભૂષણ, આર. માધવનને પદ્મશ્રી એવોર્ડ
Amit Bhatt Taarak Mehta Champak Chacha રિયલ લાઈફમાં ૨ બાળકોના પિતા છે ‘બાપુજી’ અમિત ભટ્ટ, ૨૭ વર્ષ પહેલાં કર્યા હતા લગ્ન; લાઈમલાઈટથી કેમ દૂર રહે છે પત્ની?
Dheeraj Dhoopar Lock Upp 2 Entry ટીવીનો ‘ચોકલેટ બોય’ હવે જેલના સળિયા પાછળ! ‘Lock Upp 2’ માં ધીરજ ધૂપરની સરપ્રાઈઝ એન્ટ્રીથી ફેન્સ ચોંક્યા
Exit mobile version