Site icon News Continuous Bureau | Mumbai

‘અનુપમા’ના આવનારા એપિસોડમાં રસપ્રદ વળાંક : પારિતોષને લાફો કેમ મારે છે વનરાજ? પારિતોષ અને કિંજલ જતાં જોઈને અનુપમા રડવા લાગી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 13 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

 

ટીવી સિરિયલ ‘અનુપમા’નો લેટેસ્ટ ટ્રેક એકદમ રસપ્રદ બની ગયો છે. શોકમાં પારિતોષના વર્તનથી દરેકને આઘાત લાગે છે. પારિતોષ અત્યંત અસભ્ય વર્તન કરે છે અને આ કારણોસર વનરાજ પારિતોષને લાફો મારે છે. અહીં બા અને બાપુજી ઘર છોડવાની વાત કરે છે, જે અનુપમા અને વનરાજે સાંભળી લે છે. બા-બાપુજીને અનુપમા-વનરાજ મનાવવાનો પ્રયત્ન કરે છે. ઘણી સમજાવટ પછી બંને સંમત થઈ જાય છે અને કહે છે કે તેઓ ઘરમાં જ રહેશે, પરંતુ કોઈ બાબતમાં કંઈ કહેશે નહીં. આગામી એપિસોડમાં  બતાવવામાં આવશે કે વનરાજ અનુપમાને કહે છે કે પરિતોષ તેના દ્વારા ઉછેરવામાં આવ્યો હતો, પરંતુ તેણે વિચાર્યું ન હતું કે તે આટલો બદલાશે. વનરાજ કહે છે, મેં તેને આકાશ આપ્યું, પણ બા અને બાપુજી તેના શબ્દોથી દુખી છે અને ઘર છોડવા માગે છે. વનરાજ આ બધું કહીને રડવા લાગે છે અને આ જોઈને અનુપમા કહે છે કે આપણે કંઈક કરવું પડશે. વનરાજ કહે છે કે ન તો હું બાપુજીને જવા દઈ શકું કે ન પારિતોષને. અનુપમા તેને સમજાવે છે કે જેમ પાખી તેની સાથે ગુસ્સે થઈ હતી અને થોડા દિવસો પછી સ્વસ્થ થઈ ગઈ હતી, તેવી જ રીતે તોશુ થોડા દિવસો દૂર રહેશે અને તે બધું સમજી જશે. પારિતોષ અને કિંજલ જવા માટે તૈયાર થઈ જાય છે અને અનુપમા બંનેની આરતી ઉતારે છે. તેમને જતાં જોઈને અનુપમા ખૂબ રડવા લાગે છે. 

અભિષેક બચ્ચને પોતાનું ઍપાર્ટમેન્ટ વેચવું પડ્યું, જાણો શું હતું કારણ

The India Story Teaser Release શું આપણે રોજ ભોજનમાં સ્લો પોઇઝન ખાઈ રહ્યા છીએ? કાજલ અગ્રવાલની ફિલ્મ ‘દ ઇન્ડિયા સ્ટોરી’ ના સનસનાટીભર્યા ડાયલોગ્સ અને ટીઝરે દેશભરમાં જગાવી ચર્ચા
Ajay Devgn Chauhan Title Announcement સિંઘમ પછી હવે ‘ચૌહાન’ બનીને પડદા પર રાજ કરશે અજય દેવગન; ડાયલોગ લીક થતાં જ ઇન્ટરનેટ પર હલચલ
Ashish Mehrotra Nidhi Shah Fight Anupamaa ‘અનુપમા’ ના સેટ પર કેમેરા સામે જ શરૂ થઈ જતો તોષુકિંજલનો અસલી ઝઘડો! વાતચીત પણ થઈ જતી બંધ; એક્ટરે કર્યો મોટો ખુલાસો
Munmun Dutta On Marriage Instagram Post “મને આ જ જિંદગી પસંદ છે…” લગ્નના સવાલ પર ભડકી ‘બબિતા જી’, ટ્રોલર્સને આપ્યો એવો જવાબ કે થઈ ગયો વાયરલ!
Exit mobile version