Site icon News Continuous Bureau | Mumbai

Nidhi Shah Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2| નિધિ શાહનો ચોંકાવનારો ખુલાસો ‘અનુપમા’ બાદ આ સુપરહિટ શોમાં મળવાનો હતો મોટો રોલ, છેલ્લી ઘડીએ બદલાયું નસીબ!

Nidhi Shah Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2| સ્મૃતિ ઈરાનીના શો 'ક્યોંકી સાસ ભી કભી બહૂ થી 2' માં મુખ્ય રોલ મળ્યો હતો નિધિ શાહે જણાવ્યું કેમ વાત ન બની, હવે શગુન શર્મા ભજવી રહી છે 'પરી'નું પાત્ર.

Nidhi Shah Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2| નિધિ શાહનો ચોંકાવનારો ખુલાસો 'અનુપમા' બાદ  આ સુપરહિટ શોમાં મળવાનો હતો મોટો રોલ, છેલ્લી ઘડીએ બદલાયું નસીબ!

Nidhi Shah Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2| નિધિ શાહનો ચોંકાવનારો ખુલાસો 'અનુપમા' બાદ આ સુપરહિટ શોમાં મળવાનો હતો મોટો રોલ, છેલ્લી ઘડીએ બદલાયું નસીબ!

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Nidhi Shah Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2| સ્ટાર પ્લસના પોપ્યુલર શો ‘અનુપમા’માં કિંજલની ભૂમિકા ભજવીને ઘરઘરમાં જાણીતી બનેલી અભિનેત્રી નિધિ શાહ હાલમાં સતત ચર્ચામાં છે. નિધિએ તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં પોતાની પ્રોફેશનલ લાઈફને લઈને મોટો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે ટેલિવિઝન જગતના આઈકોનિક શો ‘ક્યોંકી સાસ ભી કભી બહૂ થી’ ની બીજી સીઝનમાં તેને સ્મૃતિ ઈરાની એટલે કે તુલસીની પુત્રી ‘પરી’નો રોલ ઓફર થયો હતો.

તુલસીની દીકરીના રોલ માટે થઈ હતી પસંદગી

મીડિયા ને આપેલા ઈન્ટરવ્યુમાં નિધિ શાહે ખુલાસો કર્યો કે તેને ‘ક્યોંકી સાસ ભી કભી બહૂ થી 2’ માં તુલસીની પુત્રી પરીનું પાત્ર ભજવવા માટે પસંદ કરવામાં આવી હતી. નિધિએ આ વિશે વાત કરતા કહ્યું, “મારે તુલસીની પુત્રીનો રોલ કરવાનો હતો, પરંતુ કોઈ કારણસર વાત બની શકી નહીં અને અમારે અલગ રસ્તો પસંદ કરવો પડ્યો. સ્મૃતિ જી ખરેખર એક લીજન્ડ છે. બાળપણમાં હું મારા પરિવાર સાથે આ શો જોતી હતી અને આજે પણ તે પળો મને યાદ છે.”

સ્મૃતિ ઈરાનીનું ટીવી પર કમબેક અને પ્રેક્ષકોની આતુરતા

વર્ષ 2000માં જ્યારે આ શો શરૂ થયો હતો, ત્યારે સ્મૃતિ ઈરાનીએ તુલસી તરીકે ભારતીય ટેલિવિઝન ઇતિહાસમાં સૌથી યાદગાર પાત્ર ભજવ્યું હતું. હવે જ્યારે તેની બીજી સીઝન સાથે સ્મૃતિ ઈરાની કમબેક કરી રહી છે, ત્યારે પ્રેક્ષકોની અપેક્ષાઓ ખૂબ વધી ગઈ છે. નિધિ શાહને જે રોલ ઓફર થયો હતો, તે હવે અભિનેત્રી શગુન શર્મા ભજવી રહી છે. નિધિએ સ્મૃતિ ઈરાનીના કમબેકને ટીવી જગતની સૌથી મોટી અને ખાસ વાત ગણાવી છે.

‘અનુપમા’ છોડવા પાછળનું કારણ અને વિવાદ

નિધિ શાહ ‘અનુપમા’માં કિંજલના રોલમાં ખૂબ જ લોકપ્રિય થઈ હતી, પરંતુ લગભગ દોઢથી બે વર્ષ પહેલા તેણે આ શોને અલવિદા કહી દીધું હતું. તે સમયે એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે મુખ્ય અભિનેત્રી રૂપાલી ગાંગુલી સાથેના અણબનાવને કારણે તેણે શો છોડ્યો છે. જોકે, નિધિ અત્યારે અનેક પ્રોજેક્ટ્સ અને ઈન્ટરવ્યુમાં વ્યસ્ત છે. ગૌરવ ખન્ના સાથેના તેના અફેરની અફવાઓ પર પણ તેણે તાજેતરમાં સ્પષ્ટતા કરી હતી કે આ બધું માત્ર કામ પૂરતું મર્યાદિત છે.

👉 આ સમાચાર વાચો:
Pati Patni Aur Woh 2 Controversy| ફિલ્મ ‘પતિ, પત્ની ઔર વો ૨’ પર લાગ્યો છેતરપિંડીને પ્રોત્સાહન આપવાનો આરોપ, આયુષ્માન ખુરાનાએ આપી સફાઈ

Hrithik Roshan Rents Commercial Property રિતિક રોશને અંધેરીમાં કોમર્શિયલ સ્પેસ ભાડે આપી, દર મહિને કરશે લાખોની કમાણી
Kangana Ranaut Viral Video Fact Check GenZ વિરુદ્ધ આપેલા નિવેદન બાદ કંગના રનૌતની ‘જાહેરમાં પીટાઈ’? વાયરલ વીડિયોના દાવાની ફેક્ટ ચેકમાં ખુલી ગઈ પોલ
Ramleela Mahasangh Opposes Ranbir Kapoor Ramayana Casting રણબીર કપૂરના ‘રામ’ બનવા સામે શ્રી રામલીલા મહાસંઘનો તીવ્ર વિરોધ, ફિલ્મમાંથી હટાવવાની કરી માગણી
Dipika Chikhlia Supports Ranbir Kapoor Ramayana Casting રણબીર કપૂરના ‘રામ’ બનવાના વિવાદ વચ્ચે સીતા માતા ફેમ દીપિકા ચિખલિયાનું સમર્થન, કહ્યું ‘તે એક ઉત્તમ કલાકાર છે’
Exit mobile version