Site icon News Continuous Bureau | Mumbai

સિરિયલ અનુપમા ના ચાહકો માટે ખરાબ સમાચાર- નિર્માતાઓએ આ મહત્વના પાત્ર ને શો માંથી કર્યો બહાર- પ્રોડક્શન હાઉસે રાતોરાત લીધો નિર્ણય

News Continuous Bureau | Mumbai

ટીવીના ફેમસ શો 'અનુપમા'ના ફેન્સ (Anupama fans)માટે એક ખરાબ સમાચાર છે. શોના મુખ્ય પાત્રોમાંનું એક હવે તેનો ભાગ નથી. પ્રોડક્શન હાઉસ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને શોમાં અનુપમાના પુત્ર સમરનું પાત્ર ભજવનાર પારસ કલનાવત (Paras Kalnawat)નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. અભિનેતાએ પ્રતિસ્પર્ધી ચેનલ પર શરૂ થતા શો પર હસ્તાક્ષર કર્યા પછી તેનો કરાર સમાપ્ત કરવામાં આવ્યો છે.

Join Our WhatsApp Channel

વાત એમ છે કે,પારસ કલનાવત 'ઝલક દિખલા જા'ની(Jhalak Dikhla ja) નવી સીઝનમાં જોવા મળશે. આવી સ્થિતિમાં પ્રોડક્શન હાઉસે તેનો કોન્ટ્રાક્ટ(contract) ખતમ કરી દીધો છે. પ્રોડક્શન હાઉસે એક નિવેદન બહાર પાડ્યું છે કે સીરિયલ 'અનુપમા' માટે અભિનેતા તરીકે પારસ કાલનવતનો કોન્ટ્રાક્ટ ડિરેક્ટરના કુટ પ્રોડક્શન દ્વારા સમાપ્ત કરવામાં આવ્યો છે. નિર્માતા રાજન શાહીએ(Rajan Shahi) પારસ કલનાવત કોન્ટ્રાક્ટ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે.આગળ લખ્યું છે કે પારસ અનુપમામાં સમરનું પાત્ર ભજવી રહ્યો હતો. પરંતુ તેણે કોઇપણ જાતની સૂચના આપ્યા વગર અન્ય શો સાઇન કરીને કરારનો ભંગ કર્યો છે. જો કે, રાજન શાહી અને તેનું પ્રોડક્શન હાઉસ કલાકારોને દરેક રીતે ટેકો આપે છે અને તેમની કારકિર્દીની વૃદ્ધિને અટકાવતા નથી. આટલું જ નહીં પારસ કલનાવતે ભૂતકાળમાં અન્ય ઘણા પ્રોજેક્ટ્સમાં(projects) પણ કામ કર્યું છે. આ દરમિયાન પારસ કલનાવતે પ્રોડક્શન હાઉસને પૂછીને નિર્ણય લીધો હતો.

આ સમાચાર પણ વાંચો : સંભાળજો કોરોના ગયો નથી-બોલિવૂડના આ દિગ્ગજ ફિલ્મ નિર્માતા બીજી વાર આવ્યા કોરોનાની ચપેટમાં

રાજન શાહી કહે છે કે અમે પ્રોડક્શન હાઉસ તરીકે કોન્ટ્રાક્ટનું(contract) ઉલ્લંઘન નહીં કરીએ. અમે અભિનેતા તરીકેની તેમની સેવાઓ તાત્કાલિક અસરથી સમાપ્ત કરી દીધી છે. અમે તેમને તેમના ભાવિ પ્રયાસો માટે શુભેચ્છા પાઠવીએ છીએ. તમને જણાવી દઈએ કે પારસ શરૂઆતથી જ 'અનુપમા' શોનો ભાગ રહ્યો છે અને તેના પાત્રને દર્શકો પણ પસંદ કરે છે. જોકે હવે તેનું પાત્ર શોમાંથી ખતમ થઈ ગયું છે.

Shagun Sharma Khatron Ke Khiladi 15| ‘‘બહુ ગોરી’ હોવાને કારણે કરિયરમાં મળ્યા રિજેક્શન, હવે ‘ખતરોં કે ખિલાડી’માં સ્ટન્ટ્સ કરતી જોવા મળશે આ હસીના!
Raja Shivaji Shooting Locations|ઐતિહાસિક પહાડો અને અભેદ્ય કિલ્લાઓ! ‘રાજા શિવાજી’ના શૂટિંગ માટે રિતેશે પસંદ કર્યા આ ખાસ સ્થળો
Aditya Dhar Instagram Post| ઓજસ ગૌતમના ફેન બન્યા આદિત્ય ધર! ‘ધુરંધર’માં સાળાના પર્ફોર્મન્સ પર આદિત્યની આ પોસ્ટે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ
Gaurav Gera Dhurandhar Movie| ‘ડાર્લિંગ ડાર્લિંગ દિલ ક્યું તોડા’, કેવી રીતે બન્યો ધુરંધરનો લોકપ્રિય ડાયલોગ? ગૌરવ ગેરાએ કર્યો ખુલાસો
Exit mobile version