Site icon News Continuous Bureau | Mumbai

સિરિયલ ‘અનુપમા’ માં આ જુના પાત્રની થશે ફરી એન્ટ્રી! અનુ ની જિંદગીમાં આવશે નવો વળાંક

રિપોર્ટ અનુસાર, અનુજે છોટી અનુના કારણે અનુપમાને છોડી ન હતી, પરંતુ તે એક જીવલેણ બીમારીનો શિકાર છે અને તેના જીવન ના માત્ર થોડા જ વર્ષ બાકી છે. તેથી તે ઈચ્છે છે કે અનુપમાસ્વતંત્ર રીતે જીવે અને તેથી અલગ થવાનો નિર્ણય કરે છે.

anupamaa this lead actor to make a comeback in anu life after her separation with anuj

સિરિયલ ‘અનુપમા’ માં આ જુના પાત્રની થશે ફરી એન્ટ્રી! અનુ ની જિંદગીમાં આવશે નવો વળાંક

News Continuous Bureau | Mumbai

સિરિયલ ‘અનુપમા’ હાલમાં ટીવીના ટોચના શોમાંથી એક છે. વર્તમાન ટ્રેક મુજબ, અનુપમા તેના જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે કારણ કે અનુજ કાપડિયાએ છોટી અનુની વાસ્તવિક માતા માયા સાથે રહેવાનું નક્કી કર્યું છે. અનુપમા આના કારણે સંપૂર્ણપણે ભાંગી પડી છે અને પોતાને સંભાળવાનો પૂરો પ્રયાસ કરી રહી છે. પરંતુ અનુજ અનુપમાને છોડવા પાછળ એક મોટું કારણ છે અને તેણે જાણી જોઈને આકરું પગલું ભર્યું છે.

Join Our WhatsApp Channel

 

 અનુજ ને થઇ ગંભીર બીમારી 

એક મીડિયા હાઉસ ના રિપોર્ટ અનુસાર, અનુજે અનુપમાને છોટી અનુના કારણે છોડી નથી, પરંતુ તે એક જીવલેણ બીમારીનો શિકાર છે અને તેના જીવન ના માત્ર થોડા જ વર્ષ બાકી છે. તેથી તે ઈચ્છે છે કે અનુપમા  સ્વતંત્ર રીતે જીવે અને તેથી અલગ થવાનો નિર્ણય કરે છે. હવે એવા અહેવાલો છે કે શોમાં એક નવા પાત્રની એન્ટ્રી થવાની છે જે અગાઉ પણ શોનો ભાગ હતો.અહેવાલો મુજબ, અપૂર્વ અગ્નિહોત્રી શોમાં ડો. અદ્વૈત તરીકે પુનરાગમન કરવા માટે તૈયાર છે. તે અનુપમાના જીવનમાં મોટો બદલાવ લાવવાનો છે. એવું કહેવાય છે કે ડૉ. અદ્વૈત અનુજને તેની બીમારી સામે લડવામાં મદદ કરશે અને તેને અહેસાસ કરાવશે કે અનુપમા તેની સૌથી મજબૂત તાકાત બની શકે છે. તે ડૉક્ટર અદ્વૈતનું પાત્ર હશે જે અનુજ અને અનુપમા નું ફરી મિલન કરાવશે. અનુજ જે બીમારીથી પીડિત છે તે ધીરજને ખબર છે, પરંતુ તે કોઈની સામે સત્ય જાહેર કરી શકતો નથી.

 

માયા ને થશે અહેસાસ 

મીડિયા રિપોર્ટ અનુસાર, માયાને ખ્યાલ આવશે કે અનુજ ફક્ત અનુપમાનો છે અને અનુજને તે જે જીવલેણ રોગ સામે લડી રહ્યો છે તે વિશે જાણ્યા પછી તેને પાછા આવવામાં મદદ કરી શકે છે. જો કે હાલ આ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. પરંતુ ડો. અદ્વૈત ઉર્ફે અપૂર્વ અગ્નિહોત્રીએ શો છોડતી વખતે લગભગ એક વર્ષ પહેલા જ પરત ફરવાનો સંકેત આપ્યો હતો. અનુજ અને અનુપમા વચ્ચેના જાદુઈ પુનઃમિલનને જોવા માટે ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Cezanne Khan Kasautii Zindagii Kay ‘કસોટી ઝિંદગી કે’નો અનુરાગ બાસુ હવે ક્યાં છે? ગ્લેમરની દુનિયાથી કેમ દૂર છે સઝાન ખાન; જાણો..
Aamir Khan Sunny Deol ‘અંદાજ અપના અપના’ના સેટ પર આમિરની મસ્તી રાજકુમાર સંતોષી સમક્ષ મૂકી હતી આવી અનોખી શરત!
Mahaprabhu Jagannath Movie Supreme Court Order સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી, રામાયણમહાભારતનું ઉદાહરણ આપી ‘મહાપ્રભુ જગન્નાથ’ ફિલ્મને આપી લીલી ઝંડી
Ramayana Ranbir Kapoor Music Deal રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની મ્યુઝિક ડીલ TSeries એ ₹૭૫ કરોડમાં ખરીદ્યા મ્યુઝિક રાઇટ્સ
Exit mobile version