Site icon News Continuous Bureau | Mumbai

છોટી ના દુ:ખમાં ડૂબેલા અનુજે અનુપમાના પર ફોડ્યો છૂટાછેડાનો બોમ્બ, શું સાડી છોડીને આધુનિક અવતારમાં જોવા મળશે અનુપમા?

અનુપમા સિરિયલમાં અનુજ અને અનુપમા વચ્ચેનું અંતર વધી ગયું છે, જેનો લાભ લેવા વનરાજ પ્રયાસ કરી રહ્યો છે. #MaAnના ચાહકોને આ ટ્રેક પસંદ નથી આવી રહ્યો. એવા અહેવાલો છે કે મેકર્સ નવો ટ્વિસ્ટ લાવશે

anupamaa will leave anuj will live a new life after memory loss

છોટી ના દુ:ખમાં ડૂબેલા અનુજે અનુપમાના પર ફોડ્યો છૂટાછેડાનો બોમ્બ, શું સાડી છોડીને આધુનિક અવતારમાં જોવા મળશે અનુપમા?

News Continuous Bureau | Mumbai

અનુપમાનો વર્તમાન ટ્રેક દર્શકોને પસંદ નથી આવી રહ્યો. શોમાં મુખ્ય પાત્રો અનુજ અને અનુપમા વચ્ચેનું અંતર બતાવવામાં આવી રહ્યું છે. મામલો છૂટાછેડા સુધી પહોંચી ગયો છે. દરમિયાન, વનરાજ તક ઝડપી લેશે અને અનુપમાને તેના જીવનમાં પાછા લાવવાનો પ્રયાસ કરશે. બીજી બાજુ અન્ય એક અહેવાલ મુજબ અનુપમાની કહાની બદલાવાની છે. આમાં પણ મેકર્સ એ જ જૂનો ટ્વિસ્ટ લાવવાના છે. જેમાં અનુપમા અકસ્માતમાં તેની યાદશક્તિ ગુમાવી બેસશે. લોકો તેને મૃત માને છે અને તે બીજું જીવન શરૂ કરશે. જોકે, મેકર્સ તરફથી શોમાં આ બદલાવનો કોઈ સંકેત મળ્યો નથી.

Join Our WhatsApp Channel

 

અનુપમા ઘર છોડી જશે

અનુપમાના જીવનમાં ફરી એકવાર દુ:ખનો પહાડ તૂટી પડ્યો. છોટીઅનુએ ઘર છોડી દીધું અને અનુપમાને નફરત કરવાનું શરૂ કર્યા પછી અનુજ ડિપ્રેશનમાં છે. હોળી પર, તે તેના પર પોતાનો ગુસ્સો કાઢે છે. તે અનુપમાને કહેશે કે સંબંધોમાં ગૂંગળામણ છે. અનુપમા સાથે હવે રહેવા માંગતો નથી. તે તેનાથી દૂર જાણવા માંગે છે. અનુપમા આ જાણીને ચોંકી જાય છે. તેણી તેને પૂછે છે કે તેણે 26 વર્ષ સુધી કેમ રાહ જોઈ. અનુપમાને અનુજના વચનો યાદ છે જ્યારે અનુજ છોટી અનુને યાદ કરે છે. અનુપમા ખૂબ સમજાવવાની કોશિશ કરે છે. તે તેને કહેશે કે તારે દૂર જવું હતું તો નજીક કેમ આવ. અનુપમાના રડવાની અનુજ પર કોઈ અસર ન થઈ. તેના મનને આઘાત લાગે છે અને તે ઘર છોડી ને જવા લાગે છે.

અનુપમા નવા ગેટઅપમાં જોવા મળશે

તે બધા થી દૂર જવા માંગે છે. જ્યારે અનુપમા નીકળી જાય છે, ત્યારે વનરાજ અને કાવ્યા તેને શોધવાનો પ્રયાસ કરે છે, જ્યારે અનુજને તેની પરવા નથી. હવે સિરિયલના આગામી ટ્રેકને લઈને બે પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. પ્રથમ, અનુજ અને અનુપમા અલગ થઈ જશે અને વાર્તા વનરાજ સાથે ફરી શરૂ થશે. બીજું, અનુપમા નો અકસ્માત થશે. લોકો તેને મૃત માને છે પણ ગામલોકો તેને બચાવશે. તેણી તેની યાદશક્તિ ગુમાવશે અને નવા પરિવાર સાથે હિલ સ્ટેશનમાં નવું જીવન જીવશે. અનુપમાની આગળની કહાની શું હશે, તે તો જલ્દી જ ખબર પડશે. પરંતુ અનુજ અને અનુપમાનું અલગ થવું ઘણા દર્શકોને પસંદ નથી આવી રહ્યું. ટીઆરપી ઘટતાં જ મેકર્સે ચોક્કસપણે આ વિશે વિચારવું પડશે.

Shah Rukh Khan property renovation ‘મન્નત’ પહેલા શાહરૂખ ખાન ક્યાં રહેતા હતા? કિંગ ખાનનું મુંબઈ સ્થિત પહેલું ઘર થઈ રહ્યું છે રીડેવલપ, સામે આવી વિગતો!
Yash upcoming movies box office clash યશની આંધી સામે ટીકી શકાશે કોણ? ‘કેજીએફ’ સ્ટારની અપકમિંગ ફિલ્મો અને બોક્સ ઓફિસની મોટી ટક્કરના ધમાકેદાર અહેવાલો
Mahakali first look ‘મહાકાલી’ ની પહેલી ઝલક આઉટ, અક્ષય ખન્નાનો ખૌફનાક શુક્રાચાર્ય લુક થયો વાયરલ
Drishyam 3 title announcement ‘દ્રશ્યમ ૩’ નું ઓફિશિયલ ટાઇટલ જાહેર, નવા પોસ્ટર સાથે ફિલ્મની રિલીઝ ડેટ પણ આવી સામે
Exit mobile version