Site icon

Anurag kashyap: સલમાન-શાહરુખ સાથે કેમ કામ નથી કરતા અનુરાગ કશ્યપ? નિર્દેશકે કર્યો ખુલાસો

Anurag kashyap: અનુરાગ કશ્યપે જણાવ્યું કે બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગયા પછી પણ તે શાહરૂખ ખાન અને સલમાન ખાન જેવા મોટા સ્ટાર્સ સાથે કેમ કામ નથી કરતો.

Anurag kashyap answers why he never worked with salman khan shahrukh khan

Anurag kashyap answers why he never worked with salman khan shahrukh khan

News Continuous Bureau | Mumbai

Anurag kashyap: અનુરાગ કશ્યપ હિન્દી ફિલ્મ ઉદ્યોગના જાણીતા નિર્દેશક છે. તેણે ‘ગેંગ્સ ઓફ વાસેપુર’, ‘મનમર્ઝિયા’ જેવી ઘણી શાનદાર ફિલ્મો બનાવી. હા, તેની ફિલ્મો બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી ન હતી. પરંતુ, તેણે ઈન્ડસ્ટ્રીમાં પોતાનું આગવું સ્થાન ચોક્કસ બનાવી લીધું છે. તાજેતરમાં જ્યારે ફિલ્મ નિર્માતાને પૂછવામાં આવ્યું કે તે શાહરૂખ ખાન અને સલમાન ખાન જેવા મોટા સ્ટાર્સ સાથે કેમ કામ નથી કરતા? ત્યારે ફિલ્મ નિર્દેશકે ખૂબ જ આશ્ચર્યજનક જવાબ આપ્યો.

Join Our WhatsApp Community

  આ સમાચાર પણ વાંચો : Anupam kher: ‘જવાન’ જોવા ગયેલા અનુપમ ખેરે સિનેમા હોલ માં કર્યું આ કામ, ફિલ્મ જોયા બાદ DDLJ સ્ટાઈલમાં SRK ને આપ્યા અભિનંદન

આ કારણે શાહરુખ-સલમાન સાથે કામ નથી કરતો અનુરાગ કશ્યપ

ફિલ્મ ડિરેક્ટરે મીડિયા ને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “જ્યારે તમે કોઈ મોટા સ્ટાર સાથે ફિલ્મ કરો છો ત્યારે તેના ચાહકોની અપેક્ષાઓ પણ તેની સાથે આવે છે. તમે તેમની છબી સાથે રમી શકતા નથી. તમારે તેમને તેમના ચાહકો જે રીતે ઈચ્છે છે તે રીતે બતાવવું પડશે. તમારે તેમના ચાહકોની જરૂરિયાતો પૂરી કરવી પડશે અને તે કેવી રીતે કરવું તે મને ખબર નથી. અનુરાગ કશ્યપે વધુમાં કહ્યું, “ભારતીય ચાહકો ખૂબ જ કટ્ટરપંથી છે. શાહરૂખ ખાન અને સલમાન ખાન જેવા સ્ટાર્સ પણ તેમના ફેનબેઝ ને ક્યારેય અવગણતા નથી. તેઓ કોઈ પણ નવો પ્રયોગ કરતા પહેલા ઘણું વિચારે છે. કારણ કે જો તેમના ફેન્સને તેનો પ્રયોગ પસંદ ન આવે તો તેઓ ખૂબ જ ખરાબ રીતે પ્રતિક્રિયા આપે છે.. ઉદાહરણ તરીકે, ટ્યુબલાઇટ. સલમાન ખાનના ચાહકોને તેની ફિલ્મ ટ્યુબલાઇટ બિલકુલ પસંદ ન આવી. તેના ચાહકો ફિલ્મના દિગ્દર્શક કબીર ખાનની પાછળ પડ્યા. બસ, તેથી જ હું તેમની સાથે કામ કરતો નથી.”

KRK Arrested in Oshiwara Firing Case: ઓશિવારા ફાયરિંગ કેસમાં KRK ની ધરપકડ! પોલીસને આપ્યું એવું બહાનું કે અધિકારીઓ પણ માથું ખંજવાળતા રહી ગયા; જાણો શું છે મામલો.
Taarak Mehta Ka Ooltah Chashmah: શું ગોકુલધામમાં પાછો ફરશે જૂનો ચહેરો? શોમાં રી-એન્ટ્રીના સમાચારો પર કલાકારનું મોટું નિવેદન; જાણીને ફેન્સ થયા ગદગદ
Border 2 Box Office Collection : બોર્ડર 2’ એ પહેલા જ દિવસે મચાવી ધૂમ! 30 કરોડના કલેક્શન સાથે રણવીર સિંહની ‘ધુરંધર’ ને પછાડી; બનાવ્યો નવો રેકોર્ડ
Abhishek Bachchan Emotional: લગ્નેતર સંબંધો પરની ફિલ્મ જોઈ ધ્રુસકે ને ધ્રુસકે રડ્યો અભિષેક બચ્ચન, કરણ જોહરે વર્ષો પછી શેર કર્યો આ કિસ્સો
Exit mobile version