Site icon

Arijit Singh: અરિજીત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી લીધી નિવૃત્તિ, ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી ચાહકો સ્તબ્ધ; જાણો શું છે કારણ

Arijit Singh: પદ્મશ્રી સિંગર અરિજીતે ચાહકોનો આભાર માન્યો; બોલ્યા- ‘હું આ કામથી કંટાળી ગયો છું, હવે ભારતીય શાસ્ત્રીય સંગીત પર ધ્યાન આપીશ.’

Arijit Singh announces retirement from playback singing; Says he is bored and wants to focus on Indian Classical Music

Arijit Singh announces retirement from playback singing; Says he is bored and wants to focus on Indian Classical Music

News Continuous Bureau | Mumbai

Arijit Singh: સિંગર અરિજીત સિંહે સોશિયલ મીડિયા પર પ્લેબેક સિંગિંગ (ફિલ્મી ગીતો) છોડવાની જાહેરાત કરી છે. તેમણે લખ્યું કે, “વર્ષો સુધી મને આટલો પ્રેમ આપવા બદલ આભાર. હું હવે પ્લેબેક સિંગર તરીકે કોઈ નવા અસાઇનમેન્ટ લેવાનો નથી. હું આ સફરને અહીં જ પૂર્ણ કરી રહ્યો છું.”

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Varun Dhawan Metro Controversy: વરુણ ધવનની શિસ્તભંગની હરકત પર મુંબઈ મેટ્રો ની લાલ આંખ! વીડિયો વાયરલ થતા જ કાયદાનું ભાન કરાવ્યું; જાણો શું છે આખો વિવાદ

કેમ લીધો આ મોટો નિર્ણય?

અરિજીત સિંહે નિવૃત્તિ પાછળના અનેક કારણો આપતા જણાવ્યું કે, તેઓ એકના એક પ્રકારના ગીતો અને અરેન્જમેન્ટથી કંટાળી ગયા છે. જીવંત રહેવા માટે તેમને કંઈક નવું સંગીત કરવાની જરૂર છે. અરિજીત હવે ભારતીય શાસ્ત્રીય સંગીત (Indian Classical Music) માં ઊંડા ઉતરવા માંગે છે. તેઓ સંગીત બનાવવાનું ચાલુ રાખશે પરંતુ સ્વતંત્ર રીતે.તેઓ ઈચ્છે છે કે હવે કોઈ નવો અવાજ તેમને પ્રેરણા આપે અને ઇન્ડસ્ટ્રીમાં આગળ આવે.


અરિજીતની આ પોસ્ટ પર આખું બોલિવૂડ ભાવુક થયું છે. રેપર બાદશાહે લખ્યું – “સદીઓમાં એક”, જ્યારે મ્યુઝિક કમ્પોઝર અમાલ મલિકે કહ્યું કે, “તમારા વગર ફિલ્મ મ્યુઝિક ક્યારેય પહેલા જેવું નહીં રહે.” ચાહકો પણ આ સમાચાર માનવા તૈયાર નથી, ઘણાએ તેને ‘પ્રૅન્ક’ ગણાવ્યું છે તો કેટલાકે તેમના આ નિર્ણયને માન આપીને નવા ઇન્ડિપેન્ડન્ટ મ્યુઝિક એરાની રાહ જોવાની વાત કરી છે.૨૦૦૫માં રિયાલિટી શો ‘ફેમ ગુરુકુલ’ થી પોતાની સફર શરૂ કરનાર અરિજીતે ૨૦૧૧માં ‘મર્ડર ૨’ થી ડેબ્યૂ કર્યું હતું. ‘તુમ હી હો’, ‘કેસરિયા’ અને ‘બિંતે દિલ’ જેવા હજારો હિટ ગીતો આપનાર અરિજીતે ૨ નેશનલ એવોર્ડ જીત્યા છે. ૨૦૨૫માં તેમને પદ્મશ્રી થી સન્માનિત કરવામાં આવ્યા હતા. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેમના જૂના કમિટમેન્ટ્સ મુજબ આ વર્ષે તેમના કેટલાક ગીતો હજુ રિલીઝ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Arijit singh: મુંબઈના બંગલા નહીં, પણ અરિજીત સિંહનું આ રેસ્ટોરન્ટ છે ચર્ચામાં; માત્ર ૪૦ રૂપિયામાં મળે છે ઘર જેવું સ્વાદિષ્ટ ભોજન!
KRK Sent to Jail: ઓશિવારા ફાયરિંગ કેસમાં કેઆરકેની મુશ્કેલી વધી, મુંબઈ કોર્ટે જામીન નકારતા ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડી
Adrija Roy Engagement: તમિલ રીતિ-રિવાજ મુજબ અદ્રિજા રોયની રિંગ સેરેમની; સોશિયલ મીડિયા પર વાયરલ થઈ સગાઈની સુંદર તસવીરો
Dhurandhar 2 Update: ‘ધુરંધર 2’ વિશે ફેલાયેલા પાકિસ્તાન કનેક્શનના દાવા ખોટા! મુંબઈમાં શૂટિંગની અસલી સત્યતા અને રણવીરની ફિલ્મની રિલીઝ ડેટ જાણી લો
Exit mobile version