Site icon News Continuous Bureau | Mumbai

Arijit Singh’s First Wife:અરિજીત સિંહના રિટાયરમેન્ટની ચર્ચા વચ્ચે પૂર્વ પત્ની લાઈમલાઈટમાં: જાણો કોણ છે રૂપરેખા બેનર્જી અને અત્યારે ક્યાં છે?

Arijit Singh’s First Wife:રિયાલિટી શો 'ફેમ ગુરુકુલ' દરમિયાન શરૂ થયેલી લવ સ્ટોરીનો કરુણ અંત; છૂટાછેડા બાદ રૂપરેખાએ ફરી વસાવ્યો છે સંસાર.

Arijit Singh’s First Wife: Who is Ruprekha Banerjee? Life After Divorce and Her Current Status Revealed

Arijit Singh’s First Wife: Who is Ruprekha Banerjee? Life After Divorce and Her Current Status Revealed

News Continuous Bureau | Mumbai

Arijit Singh’s First Wife:બોલિવૂડના સિંગિંગ સેન્સેશન અરિજીત સિંહ જ્યારે પણ ચર્ચામાં આવે છે, ત્યારે તેમની સાદગી અને રહસ્યમય અંગત જિંદગી વિશે જાણવા ચાહકો આતુર હોય છે. હાલમાં જ અરિજીતના સંગીત જગતમાંથી લાંબો બ્રેક લેવાની વચ્ચે તેમની પ્રથમ પત્ની રૂપરેખા બેનર્જી  ફરી એકવાર સમાચારોમાં છે. બહુ ઓછા લોકો જાણે છે કે અરિજીત સિંહે પોતાના સંઘર્ષના દિવસોમાં જ લગ્ન કરી લીધા હતા.રૂપરેખા બેનર્જી પણ એક તાલીમબદ્ધ ગાયિકા છે. વર્ષ 2005 માં પ્રખ્યાત રિયાલિટી શો ‘ફેમ ગુરુકુલ’ દરમિયાન તેની મુલાકાત અરિજીત સાથે થઈ હતી. બંને વચ્ચે સંગીત પ્રત્યેના લગાવને કારણે મિત્રતા થઈ અને બાદમાં તેમણે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, આ લગ્ન જીવનમાં મતભેદો અને કારકિર્દીના દબાણને કારણે થોડા જ સમયમાં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Vadh 2 Trailer Release: સંજય મિશ્રા અને નીના ગુપ્તાની મિસ્ટ્રી થ્રિલર ‘વધ ૨’ નું ટ્રેલર આઉટ, જાણો ક્યારે અને ક્યાં રિલીઝ થશે ફિલ્મ

છૂટાછેડા બાદ હવે ક્યાં છે અને શું કરે છે રૂપરેખા?

છૂટાછેડા પછી રૂપરેખા બેનર્જીએ ગ્લેમરની દુનિયાથી અંતર જાળવી લીધું હતું. રિપોર્ટ્સ મુજબ, તે હાલમાં કોલકાતામાં સ્થાયી છે અને હજુ પણ સંગીત સાથે જોડાયેલી છે. તે એક મ્યુઝિક ટીચર અને સ્વતંત્ર કલાકાર તરીકે કામ કરે છે. તે સોશિયલ મીડિયા પર પણ મર્યાદિત સક્રિય રહે છે અને અવારનવાર પોતાની સ્ટેજ પરફોર્મન્સની વિગતો ફેસબુક પર શેર કરતી રહે છે.


જેમ અરિજીત સિંહે બાળપણની મિત્ર કોયલ રોય સાથે બીજા લગ્ન કર્યા, તેમ રૂપરેખાએ પણ પોતાની જિંદગીમાં આગળ વધીને નલિનાક્ષ્ય ભટ્ટાચાર્ય સાથે લગ્ન કર્યા છે. તેમને એક પુત્રી પણ છે, જેનું નામ સિરીન છે. રૂપરેખા અવારનવાર પોતાની પુત્રી અને પતિ સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે, જે દર્શાવે છે કે તે હવે પોતાના નવા જીવનમાં ખૂબ જ ખુશ છે.ભલે બંનેના રસ્તા અલગ થઈ ગયા હોય, પરંતુ રૂપરેખા હજુ પણ અરિજીતના સંગીતને યાદ કરે છે. ગયા વર્ષે તેણે અરિજીત સાથેની એક જૂની તસવીર રી-શેર કરી હતી. આ સિવાય તે સોશિયલ મીડિયા પર અરિજીતના ગીતો પણ પોસ્ટ કરતી રહે છે, જે દર્શાવે છે કે જૂની કડવાશ હવે દૂર થઈ ગઈ છે. બીજી તરફ, અરિજીતે ક્યારેય જાહેરમાં પોતાની પ્રથમ પત્ની કે લગ્ન વિશે મૌન તોડ્યું નથી.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Salman Khan Alliance Show ‘અલાયન્સ’ શોમાં સલમાન ખાનની સરપ્રાઈઝ એન્ટ્રી ભાઈ સોહેલ ખાનને ભેટીને ભાવુક થયા દબંગ સ્ટાર, નવો પ્રોમો વાયરલ
Love and War Promotion Sanjay Leela Bhansali સંજય લીલા ભંસાલીની ફિલ્મ ‘લવ એન્ડ વોર’ માટે નહીં બને કોઈ ટીઝર કે મોશન પોસ્ટર, મેકર્સે બનાવ્યો ખાસ પ્લાન
Woh Phir Aayegi Box Office ૮૦ના દાયકાની હોરર ફિલ્મ ‘વો ફિર આયેગી’ જાણો રાજેશ ખન્નાની આ ડરામણી મૂવીએ સિનેમાઘરોમાં કેવું કર્યું હતું પ્રદર્શન
Mukesh Khanna CJP Protest “ભવિષ્ય બરબાદ થઈ જશે” CJP પ્રોટેસ્ટ મામલે યુવાનો પર ભડક્યા મુકેશ ખન્ના, પ્રાયોજિત આંદોલન ગણાવ્યું
Exit mobile version